________________
૬૧૪
શાસનને દીપાવનાર :
૫.પૂ. આ.શ્રી વિજયસોમચંદ્રસૂરિજી મ.
વિક્રમ સંવત ૧૯૭૧નું વર્ષ, તહેવારોની હારમાળા સર્જતો શ્રેષ્ઠ શ્રાવણમાસ અને તેમાં પણ લૌકિક પર્વ બળેવ (રક્ષાબંધન)નો દિવસ એટલે શ્રાવણ સુદ ૧૫, ધન્યઘડી, ધન્યપળે ઉત્તર ગુજરાતની ધન્યધરાએ અનેક તીર્થોથી સુશોભિત બનાસકાંઠા જિલ્લાના થીરપુર (થરાદ) નગરની બાજુમાં રહેલા મોટી પારવાડ ગામમાં શ્રેષ્ઠીવર્ય સુશ્રાવક સગથાચંદભાઈનાં ધર્મપત્ની સુશ્રાવિકા પારુબહેનની રત્નકુક્ષિએ આ બાળકનો (મહાપુરુષનો) જન્મ થયો. ચોમેર આનંદનું વાતાવરણ છવાઈ ગયું. સૌએ સાથે મળી આ બાળકનું હુલામણું નામ જાહેર કર્યું ‘હાલચંદકુમાર’.
આ
બાળ હાલચંદ તેમને સમજાવેલ સુંદર વાતોમાં, વિચારમાં અને માતા-પિતા તેમ જ પરિવારની સેવામાં પોતાનો સમય પસાર કરે છે. એમ કરતાં કરતાં સમય જતાં બાળ હાલચંદને પિતાજીની આજ્ઞાથી અમદાવાદ ધંધાર્થે આવવાનું થયું. અમદાવાદમાં કાપડની ફેરીનો વ્યવસાય (સર્વિસ) શરૂ કર્યો. જન્મસ્થળ મોટી પાવડ કરતાં અહીં અમદાવાદમાં તો ધર્મક્રિયાઓ કરવાના ચાન્સ વધારે મળે, એટલે હાલચંદભાઈને તો કેમ મજા ન આવે? દરરોજ ભગવાનની પૂજા, બે ટાઇમ પ્રતિક્રમણ (જૈનોની નિત્યક્રિયા વ્યાખ્યાનશ્રવણ) વગેરેમાં સમય ફાળવતાં જે સમય વધે તેમાં કાપડની ફેરી કરવાનું નક્કી કરી સારી રીતે દિવસો પસાર થાય છે, પણ નાનપણમાં સાચા સુખની શોધમાં લાગેલું મન દીક્ષા લેવા માટે (જૈન મુનિ બનવા માટે) તડપી રહ્યું છે. જૈન મુનિઓ પૂ. શ્રી બુદ્ધિવિજયજી મ., પૂ. શ્રી તિલકવિજયજી મ.ના વરદ હસ્તે આ બાળકની પાલિતાણામાં દીક્ષા થઈ અને હાલચંદભાઈમાંથી આ વિરલ વિભૂતિ જૈન મુનિ સુજ્ઞાનવિજયજી બન્યા અને તેમને પૂ. શ્રી શાન્તિચંદ્રસૂરિજીના શિષ્ય તરીકે જાહેર કર્યા. એ સમય હતો વિક્રમ સંવત ૧૯૯૧, ચૈત્ર સુદ વદ ૭નો (હવે બાળરત્ન હાલચંદભાઈને આપણે મુનિ સુજ્ઞાનવિજયજી તરીકે સંબોધીશું).
હવે મુનિ સુજ્ઞાનવિજયજીનું એક જ લક્ષ્ય (મિશન) વડીલોની–ગુરુજીની આજ્ઞામાં રહેવું, તેમની બધાની ખૂબ ખૂબ ભક્તિ કરવી, જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવો વગેરે વગેરે લક્ષ્યને સિદ્ધ કરવા તનતોડ મહેનત ચાલુ કરી. કવિ ‘બેફામ’ની કાવ્યપંક્તિ ખરેખર સત્ય છે જ ને? કે –કદમ અસ્થિર છે તેને,
Jain Education International
ધન્ય ધરાઃ
કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને, હિમાલય પણ નથી નડતો''.
જૈન જગતના તમામ ગચ્છ-સંપ્રદાયો જ્યોતિષ શિલ્પશાસ્ત્ર વિષયે પૂજ્યશ્રીની સલાહ મેળવતા એટલું જ નહીં પણ મુનિ સુજ્ઞાનવિજયજીએ આપેલ મુહૂર્ત દિવસ ઘડી પળ એટલા ચોક્કસ રહેતા કે ગમે તેવા મહા જ્યોતિષીને પણ તેમાં લેશમાત્ર વિચારવાનું નહોતુ રહેતું. અર્થાત્ મહા વિદ્વાન જ્યોતિષીઓ પણ પૂજ્યશ્રીના આ વિષયે માનભેર વખાણ કરતા. શિલ્પના વિષયોમાં પણ આ મહામુનિએ જોરદાર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. જૈન જિનાલયોના ખજાના સ્વરૂપ અદ્ભુત કલાકારીગીરી અને કોતરણીઓ વગેરે તમામ નાનામાં નાની બાબતે પણ તેઓશ્રીનું માર્ગદર્શન, અનુભવ અને જ્ઞાન અદ્ભુત હતું. જૈનજગતના નાના મોટા ઘણા શિલ્પગ્રંથોનું પૂજ્યશ્રીએ વારંવાર ચિંતનપૂર્વક મંથન કર્યું હતું. તેથી જ તેઓશ્રી જ્યોતિષશિલ્પશાસ્ત્રવિશારદ કહેવાયા હતા, એટલું જ નહીં પણ પ્રસિદ્ધ બન્યા હતા. કૂદકે અને ભૂસકે સુધારકવાદી વલણ ધરાવતા અને તે તરફ આગળ વધી રહેલા વિજ્ઞાનના ભૌતિકયુગમાં જે સિદ્ધિઓ અને સફળતાઓ જગતના વૈજ્ઞાનિકો મેળવી શક્યા નથી, તેનાથી પણ ચડિયાતી જાજરમાન સિદ્ધિઓ અને સફળતા આ પૂજ્યશ્રીએ જૈનશાસનના સિદ્ધાંતો-આગમો દ્વારા મેળવી. ભગવાન મહાવીરે સ્વશરીરે નિઃસ્પૃહી રહી, અતિ ભયાનક કાતિલ કર્મોનો ખાત્મો કરી જ્યારે વિશ્વ-વંદનીય સ્તુત્ય કેવલજ્ઞાન (સર્વજ્ઞપણું) (જેમનાથી જગતનો કોઈ પદાર્થ અજાણ ન હોય તેવી સિદ્ધિ) મેળવ્યું અને જૈન આગમોનો પ્રકાશ પાથરી જગતના જીવોના અજ્ઞાન (અણસમજ)નું અંધારું દૂર કરવા સમર્થ પુરુષાર્થ કર્યો. તે હકીકતોને જૈનશાસનના ધુરંધર મહાપુરુષોએ) ગણધર ભગવંતોએ શબ્દદેહે સ્વીકારી તે તે પછીના થયેલા મહાપુરુષોએ (જૈનાચાર્યોએ) આગમો (પુસ્તકો) દ્વારા આજ સુધી અકબંધ રાખ્યો અને તે ટકાવ્યો તે તે અદ્ભુત જ્ઞાનખજાનાને આ મહા મુનિવરે પોતાની આગવી સૂઝ-બૂઝ અને હોશિયારી દ્વારા પ્રાપ્ત કર્યો.
આ મુનિવરની ખાસ વિશેષતા એ હતી કે એ જે પણ પુસ્તકોનું–ગ્રંથોનું વાચન કરે એટલે તેમાં પેન્સિલથી નિશાનીઓ કરે અગત્યના મુદ્દાઓની નોંધ કરે. ન સમજાય તેવા વિષયો પ્રશ્નોની તેમનાથી નાના હોય કે મોટાની પાસે જરાપણ સંકોચ રાખ્યા વગર બાળભાવે પ્રશ્નોત્તરી કરે, સાચી સમજણ ખુલાસો ન થાય ત્યાં સુધી એ પ્રશ્નને-વાતને છોડે નહીં અને સંતોષકારક ખુલાસો થઈ જાય તો ભાવવિભોર
For Private & Personal Use Only
www.jainelibrary.org