SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૬ ત્યાગ હતો. કારમા ગોઝારા દિને યમરાજાની સવારી આવી પહોંચી અને પૂજ્યશ્રીને આપણા સૌ વચ્ચેથી ઝૂંટવી લીધા. સૌ નિરાધાર થયાં. પરમ ગુરુકૃપાપાત્ર, પ્રવચનપ્રભાવક, પ.પૂ.આ. શ્રીમદ્ વિજય સોમચંદ્ર સૂ. મહારાજા આદિના વિશાળ પરિવારની ઉપસ્થિતિમાં ઉપકારી પૂજ્યગુરુદેવની ૧૨મી સ્વર્ગારોહણતિથિ મુંબઈ મહાનગરીમાં લાલબાગને આંગણે દબદબાભેર ઊજવાઈ ગઈ. સૌજન્ય : પૂ. મુનિશ્રી પુણ્યસુંદરવિજયજી મ.સાની પ્રેરણાથી પાટણનિવાસી સ્વ. વિનિતાબહેનના જીવનમાં કરેલ સુકૃત્યોની સ્મૃત્યાર્થે શાહ વિરેન્દ્રભાઈ નરોત્તમદાસ પરિવાર. હ : હિરલ, હાર્દિક, વૃષ્ટિ, બિજલ, કૈવન્ય, અક્ષય. ધ્યાનયોગની અનુભૂતિના સાધક પૂ.આ.શ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મ.સા. પરમ શાસનપ્રભાવક ગુરુભગવંત આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પ્રેરણા ઝીલીને તેઓશ્રીના પનોતા પટ્ટધર પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયજંબૂસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ આદિ શિષ્ય-પ્રશિષ્ય વિદ્વાનોએ ‘કર્મસાહિત્ય'ના નિર્માણનું કાર્ય આરંભ્યું, તેમાં પૂ. મુનિશ્રી ધર્માનંદવિજયજી મહારાજ (પછીથી આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરીશ્વરજી મહારાજ) અગ્રગણ્ય હતા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૮૪ના વૈશાખ વદ પાંચમે સુરતમાં થયો હતો. પિતાનું નામ ચિમનલાલ ઝવેરી અને માતાનું નામ મોતીકોરબહેન હતું. તેઓશ્રીનું સંસારી નામ યથાનામગુણ ફતેહચંદ હતું. ફતેહચંદ સં. ૨૦૦૭ના મહા વદ ૬ને દિવસે પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી મુનિશ્રી ધર્માનંદવિજયજી બન્યા અને અધ્યયન તેમ જ તપોધર્મની સાધનામાં લીન બન્યા. કર્મવિષયક અધ્યયનમાં અત્યંત ગહન જ્ઞાન પ્રાપ્ત કર્યું અને યોગ્યતાનુસાર તેઓશ્રીને સં. ૨૦૩૨માં ગણિ પદે અને સં. ૨૦૩૮માં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારબાદ સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ ને દિવસે કોલ્હાપુર મુકામે આચાર્યપદે અલંકૃત કરાયા. મહારાજ પૂજ્ય આચાર્યશ્રી વિજયધર્મજિતસૂરિજી તીર્થયાત્રા અને પ્રભુભક્તિના અવ્વલ ઉપાસક હતા. વિહારમાર્ગની આજુબાજુમાં ૪-૫-૭ કિ.મી. જેટલા અંતરે રહેલાં ગામોમાં પણ જો જિનમંદિર હોય તો એટલો આવવા-જવાનો વિહાર વધારીને પણ દર્શનાદિએ જતા. વિહારમાં જ્યારે જ્યારે Jain Education International ધન્ય ધરા સુરત, ખંભાત, અમદાવાદ કે પાટણ જવાનું થાય ત્યારે, થોડા જ દિવસો રહેવાનું હોય તો પણ અવશ્ય ચૈત્યપરિપાટી કરી લગભગ બધાં જ જિનમંદિરોને જુહારતા. તેઓશ્રી કહેતા કે અહીં સંયમજીવનની સાધનાના પ્રભાવે દેવલોકની પ્રાપ્તિ લગભગ નિશ્ચિત છે, ત્યાં વૈભવોમાં ફસાતા બચવાનો એક માત્ર ઉપાય પ્રભુભક્તિ છે, એટલે અહીંથી જ પ્રભુભક્તિનો તીવ્ર–રસ સંસ્કાર પેદા થઈ જાય એ માટે હું આ પ્રભુભક્તિ કરું છું. તેઓશ્રીને અનેકવાર સ્વપ્નમાં વિશાળ રમણીય જિનબિંબોનાં દર્શન થતાં. એક વાર સ્વપ્નમાં પ્રભુભક્તિ કરતાં તેમને ભગવાને પૂછ્યું, “બોલ! તારે શું જોઈએ?” ત્યારે તેઓશ્રીએ જવાબ આપેલો કે, “મારે ન રાગ જોઈએ, ન દ્વેષ જોઈએ.....ન ક્રોધ જોઈએ, ન માન જોઈએ....ન વિકાર જોઈએ, ન વિલાસ જોઈએ.......ન સુખ જોઈએ, ન દુઃખ જોઈએ.....ન પાપ જોઈએ, ન સંસાર જોઈએ.....' અને ભગવાને સ્વપ્નમાં જ ઊભા થઈને એમની પીઠ થાબડી. આવું તેઓશ્રીએ સ્વપ્નમાં જોયું. એક વાર સ્વપ્નમાં એક દેવે દર્શન આપી કહેલ કે “હું ધર્મજિત' નામના વિમાનનો દેવ છું અને તમે મારા સ્થાને આવવાના છો, એટલે આવ્યો છું.” આ સંકેતને અનુસરીને ગણિપદપ્રદાન વખતે તેઓશ્રીનું નામ બદલીને ‘ધર્મજિતવિજયજી ગણિવર' રાખવામાં આવેલ. આ સિવાય પણ અનેકવિધ પ્રભાવક અને સૂચક સ્વપ્નો પૂજ્યશ્રીએ નિહાળ્યાં હતાં. પૂજ્યશ્રીએ વર્ધમાન તપની ૮૯ ઓળીની તથા વરસીતપની અનુપમ આરાધના કરી હતી, તેમાં હાર્ટએટેક આવ્યા બાદ પણ તેઓશ્રીએ હજારો કિલોમીટરનો પગપાળા વિહાર કરેલ, તેમ જ ૮૬ થી ૮૯ એમ ચાર દીર્ઘ ઓળીઓ કરી. આચાર્ય પદ પ્રાપ્ત થતાં જ મહાપ્રભાવક શ્રી સૂરિમંત્રના પંચપ્રસ્થાનની વિધિપૂર્વક આરાધના કરી હતી. ધ્યાન, યોગ અને અધ્યાત્મનાં ક્ષેત્રોમાં પ્રગતિ સાધીને અનેક ચમત્કૃતિનો અનુભવ કર્યો હતો. પૂજ્યશ્રીમાં ભક્તિ, ઉપશમભાવ, સરળતા, નિઃસ્પૃહતા આદિ આત્મગુણોનો સંચય થયો હતો. તેઓશ્રીનાં પગલેપગલે કુટુંબના ૧૪ સભ્યોએ સંયમમાર્ગે પ્રયાણ આદર્યું. તેમ જ તેઓશ્રીના પરિવારમાં ૧૪ શિષ્યો-પ્રશિષ્યો સંયમ-જીવનની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રીએ ૪૦ વર્ષના દીક્ષાપર્યાયમાં અંજનશલાકા, પ્રતિષ્ઠા, ઉપધાન, સંઘયાત્રા આદિ અનેક પ્રભાવક કાર્યો કર્યાં હતાં. પૂજ્યશ્રીની તારક નિશ્રામાં સં. ૨૦૪૪માં ઇસ્લામપુરથી કુંભોજ તીર્થનો છ'રી પાલિત સંઘ નીકળ્યો, સાંગલીમાં ભવ્ય ઉપધાન તપનું અનુષ્ઠાન થયું, સાંગલીમાં શ્રી મહાવીરસ્વામી જિનપ્રાસાદનો ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy