________________
or
ઉત્કૃષ્ટ કાળે અઢી દ્વીપમાં વિચરતા ૧૭૦ તીર્થંકરોનાં ૧૭૦ જિનાલય તીર્થનું નિર્માણ ચાલુ છે. પૂજ્યશ્રીના ગુરુદેવનું નામ તીર્થોદ્ધારક પ.પૂ.આ.ભ. શ્રી નીતિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના ખાખી મહાત્મા' તરીકે પ્રસિદ્ધ થયેલ ૫.પૂ.આ.ભ. શ્રી મંગલપ્રભસૂરીશ્વરજી મ.સા. હતું. પૂજ્યશ્રી પાલિતાણામાં ‘લુણાવા મંગલ ભુવન' ધર્મશાળામાં બહુધા બિરાજમાન હોય છે. ખરેખર એકવાર તો આવા જંગમતીર્થ સમાન મહાત્માના દર્શન–વંદન અચૂક કરવા યોગ્ય છે.
(૫) અધ્યાત્મયોગી, પ્રભુભક્તિપરાયણ, પ.પૂ.આ.ભ. શ્રી વિજય કલાપૂર્ણ સૂરીશ્વરજી મ.સા.
પોતાનાં સંસારી ધર્મપત્ની અને બંને સુપુત્રો સાથે વાગડ સમુદાયમાં સંયમ અંગીકાર કરીને, અધ્યાત્મયોગી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા.ની નિશ્રામાં રાજસ્થાનમાં કેટલોક સમય વિતાવીને ઉપરોક્ત પૂજ્યશ્રીએ વિશિષ્ટ કોટિની પ્રભુભક્તિ તથા ધ્યાનયોગમાં ખૂબ જ અનુમોદનીય પ્રગતિ સાધી હતી. ત્રિકાળ દેવવંદન વખતે પ્રભુભક્તિમાં તલ્લીન બનેલા પૂજ્યશ્રીનાં દર્શન કરનાર વ્યક્તિને પણ પ્રભુભક્તિનો રંગ લાગ્યા વગર રહેતો નહીં. ક્યારેક તો પર્વતિથિએ ઉપવાસ કરીને આખો દિવસ જિનાલયમાં પ્રભુભક્તિમાં તલ્લીન બની જતા. રાત્રે પણ માત્ર ૨-૩ કલાક અલ્પ આરામ કરીને કલાકો સુધી કાયોત્સર્ગધ્યાનમાં નિમગ્ન બની જતા. આવી ઉત્કૃષ્ટ પ્રભુભક્તિ અને ધ્યાનયોગજન્ય પુણ્ય પ્રભાવે તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠાદિના પ્રસંગોમાં અનેકવાર જિનાલયમાં અમીઝરણાં થતાં તો ક્યારેક પૂજ્યશ્રી પસાર થાય ત્યાં કેસરનાં પગલાં થઈ જતાં, છતાં તેઓશ્રી સહજપણે થઈ જતી આવી ચમત્કારિક ઘટનાઓને ખાસ મહત્ત્વ ન આપતાં પોતાના કર્તવ્યમાં લીન રહેતા. વ્યાખ્યાનાદિના સમયમાં જ્યારે ઉપરોક્ત પૂ. પંન્યાસજી મ.સા. સાથે પાટ પર બેસવાનો પ્રસંગ આવે ત્યારે તેઓશ્રી રત્નાધિક તથા પરમોપકારી એવા પંન્યાસજી મ.સા.ને વચ્ચે બેસાડતા અને પોતે આચાર્ય હોવા છતાં તેમની બાજુમાં બેસતા. કેવી અનુમોદનીય વિનમ્ર-લઘુતા કૃતજ્ઞતા!..... તેઓશ્રીના અનેકવિધ સદ્ગુણો તથા તેઓશ્રીની પાવન નિશ્રામાં થયેલાં અનેકવિધ શાસનપ્રભાવક સત્કાર્યોનું વર્ણન જાણવા માટે તો તાજેતરમાં તેઓશ્રીના શિષ્ય-પ્રશિષ્યો દ્વારા સંપાદિત થયેલ સ્મૃતિગ્રંથ ભાગ ૧-૨ નું અવગાહન કરવું રહ્યું. આવી વિશિષ્ટ પ્રભુભક્તિ તથા ધ્યાનદશા સહુમાં પ્રગટે તેવી શુભ ભાવના સાથે પૂજ્યશ્રીના ચરણોમાં ભાવભરી વંદના.
Jain Education International
ધન્ય ધરા
(૬) સળંગ 33 કલાક સુધી ઉભા ઉભા કાયોત્સર્ગ ધ્યાનમાં લીન રહેનાર વિદ્વદ્વ આત્મજ્ઞાની
પૂ.આ. શ્રી વિધાસાગરજી મ.સા.
(સાંપ્રદાયિક પૂર્વગ્રહથી મુક્ત થઈને ગુણગ્રાહી સૃષ્ટિથી પ્રમોદ ભાવનાપૂર્વક આ દૃષ્ટાંત વાંચવા વિનંતિ).
૨૨ વર્ષની ભર યુવાવસ્થામાં સં. ૨૦૨૫માં દિગંબર મુનિ દીક્ષા સ્વીકારીને અપ્રમત્તપણે જ્ઞાન-ધ્યાનની સાધના તથા વિનય–વૈયાવચ્ચ આદિ સદ્ગુણોની યોગ્યતાને લીધે ગુરુ દ્વારા માત્ર ૪ વર્ષના દીક્ષાપર્યાયમાં (૨૬ વર્ષની વયે) આચાર્ય પદ પર આરૂઢ થનાર આ મહાત્માની સાધનાની વાતો વર્તમાનમાં આશ્ચર્યચકિત કરે તેવી છે. રોજ ૩ ટાઇમ ૨-૨૫ કલાક (કુલ ૬-૭ કલાક) સુધી ધ્યાનમુદ્રામાં સ્થિર થઈને આત્માનુભૂતિ માટે સાધના કરતા આ મહાત્મા ક્યારેક નિર્જન ગુફા વગેરેમાં કલાકો સુધી ઉભા ઉભા ધ્યાનમાં લીન રહે છે. એકવાર ચાતુર્માસ દરમ્યાન સળંગ ૩૩ કલાક સુધી ઉભા ઉભા ધ્યાનમગ્ન રહ્યા હતા !......આટલા દીર્ઘ સમય સુધી ભૂખતરસ-થાક-નિદ્રા-લઘુશંકા-વડીનીતિ આદિ શારીરિક બાધાઓ પર કેવો અદ્ભુત વિજય પ્રાપ્ત કર્યો હશે!........તેમણે દીક્ષાથી માંડીને યાવજ્જીવ સુધી મીઠું, મરચું, તેલ તથા ખાંડનો ત્યાગ કરેલ છે! કેટલાય વર્ષોથી તમામ ફળોનો પણ ત્યાગ કરેલ છે.
કાયમ ઠામ ચોવિહાર એકાસણા ઉપરાંત વર્ષમાં ૪૦– ૫૦ ઉપવાસ પણ કરે છે. આવા તપ-ત્યાગ તથા જ્ઞાનધ્યાનના પ્રતાપે સમયસાર ગ્રંથની અનુપ્રેક્ષા તથા નિદિધ્યાસન કરતાં કરતાં તેમને આત્મસ્વરૂપનો વિશિષ્ટ અનુભવ થયેલ છે. આવા સ્વાનુભૂતિ સંપન્ન પ્રખર આત્મસાધક હોવાની સાથે સાથે તેઓશ્રી વિશિષ્ટ કક્ષાના સાહિત્યકાર તથા શીઘ્ર કવિ પણ છે. તેમની અનેક રચનાઓ પૈકી ‘મૂક માટી’ નામનાં આધ્યાત્મિક મહાકાવ્યે ખૂબ જ પ્રશંસા પ્રાપ્ત કરી છે. સંસ્કૃત તથા હિન્દીમાં ૭ શતક, ૫ કાવ્યસંગ્રહો, ૨૨ પ્રવચનસંગ્રહો, અંગ્રેજી તથા બંગાળી ભાષામાં પણ કાવ્ય રચનાઓ વગેરે તેમનું સાહિત્ય ખૂબ જ લોપ્રિય બન્યું છે. આટલી સાહિત્ય-રચના તથા નિયમિતપણે શિષ્યો અને મુમુક્ષુઓને શાસ્ત્રવાચના આપવા છતાં રોજ ૬-૭ કલાક ધ્યાન સાધનાને તેઓ ક્યારેય પણ ગૌણ થવા દેતા નથી. અનેક વિદ્વાનોના પત્ર પણ તેમના નામે આવે છે પરંતુ તેઓ કદી પણ પત્ર ખોલતા કે વાંચતા નથી. તેઓશ્રીના એક શિષ્ય આ જવાબદારી સંભાળે છે. તેમના જીવનમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org