SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ પ્રખર નિશ્ચય અને વ્યવહારનો અદ્ભુત સમન્વય જોવા મળે છે. તેમનાં માતા–પિતા, બે ભાઈઓ તથા બે બહેનોએ પણ દીક્ષા લીધી છે, પરંતુ તેઓશ્રી તેમના પ્રત્યે પણ મમત્વભાવ રાખતા નથી. તેમના એક નાના ભાઈ તેમના જેવા જ આત્મસાધક છે. મોટા ભાગે મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં વિચરે છે. સં. ૨૦૫૩માં ગુજરાતમાં સુરત પાસે મહુવા ગામે ચાતુર્માસ કરેલ ત્યારે ચાતુર્માસ બાદ પાલિતાણા તથા ગિરનાર તીર્થની યાત્રા પણ કરેલ. પૂજ્યશ્રીના જીવનમાંથી પ્રેરણા મેળવીને આપણે । સહુ નિશ્ચય-વ્યવહારનું સંતુલન જાળવીએ એ જ શુભાભિલાષા. (૭) સિદ્ધગિરિ આદિના પ્રત્યેક જિનાલયમાં પ્રત્યેક પ્રભુજીને ૩-૩ ખમાસમણ આપનાર પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ.ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. બાલદીક્ષા સંરક્ષણ, બોકડાની બલિપ્રથાનો સફળ પ્રતિકાર, નાસ્તિકવાદ નિરસન ઇત્યાદિ અનેક શાસનપ્રભાવક તથા શાસનરક્ષક સત્કાર્યો દ્વારા વ્યાખ્યાનવાચસ્પતિ તથા પરમશાસનપ્રભાવક તરીકે સુપ્રસિદ્ધ થયેલા ઉપરોક્ત મહાપુરુષની આ વાત તેમના સમુદાય સિવાય કદાચ બહુ થોડાઘણા જાણતા હશે કે તેઓશ્રીએ શત્રુંજય મહાતીર્થ પર બિરાજમાન લગભગ ૨૨૦૦૦ જેટલાં જિનબિંબો પૈકી દરેક પ્રભુજીને ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી હતી. તેવી જ રીતે અમદાવાદ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, કચ્છ વગેરેમાં જ્યાં જ્યાં તેઓશ્રી વિચર્યા ત્યાં ત્યાં પાષાણના દરેક જિનબિંબોને તેઓશ્રીએ ૩-૩ ખમાસમણ આપીને વંદના કરી છે!....... ૨ વાર શ્રી સિદ્ધગિરિજીની વિધિપૂર્વક ૯૯ યાત્રા કરી ત્યારે પણ ગિરિરાજ ઉપર ક્યારેય આહાર કે નીહાર કરેલ નથી. બનતાં સુધી ગિરિરાજ ઉપર પાણી પીવાનું પણ ટાળતા. ૯૫ વર્ષની જૈફ વયે ગિરિરાજની યાત્રા કરી ત્યારે પણ સવારના પ્રકાશ થયા પછી જ યાત્રાનો પ્રારંભ કર્યો. ૯ ટૂંકોનાં દર્શન તથા મુખ્ય જિનાલયોમાં ચૈત્યવંદન કરતાં કરતાં ૧૨ વાગે દાદાના દરબારમાં પહોંચ્યા. ત્યાં પ્રભુભક્તિમાં લીન બનીને સવા બે વાગે બહાર આવ્યા. પછી ઘેટી પાગે જઈને ત્યાં પ્રત્યેક મંદિરમાં ચૈત્યવંદનાદિ કરીને ૩ા વાગે નીચે જઈને પચ્ચક્ખાણ પાર્યું!.......પૂજ્યશ્રીની જિનભક્તિ તીર્થભક્તિશાસન ભક્તિની ભૂરિશઃ હાર્દિક અનુમોદના... Jain Education International (૮) મુંબઈથી સમેતશિખર તથા સમેતશિખરથી પાલિતાણાના છ'રી પાલક સંઘોના પ્રેરક યથાર્થનામી, શાસનસમ્રાટ, ભારતદિવાકર, તીર્થપ્રભાવક, તપોનિધિ કચ્છકેસરી અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા. ૬૦૫ ૧૩ વર્ષની વયે શીતળાના રોગથી મૂર્છિત થયેલા ગાંગજીભાઈને મૃત્યુ પામેલ જાણીને સ્મશાનયાત્રાની તૈયારી થવા લાગી! પરંતુ આ બાળકના હાથે ભવિષ્યમાં અનેકવિધ શાસનપ્રભાવક સત્કાર્યો થવાનાં હોવાથી પગના અંગૂઠાના સ્ફુરણ પરથી બાળકને જીવિત જાણી યોગ્ય ઉપચાર કરતાં ૬ મહિને બિમારીથી સર્વથા મુક્ત થયા બાદ વૈરાગ્યવાસિત બની તપત્યાગ-સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ આદિ આરાધના કરવાકરાવવા દ્વારા સંયમની તૈયારી કરી. દીક્ષાની અનુમતિ ન મળે ત્યાં સુધી એકાસણાનો અભિગ્રહ લીધો. માતુશ્રીને રસોઈમાં મદદ કરવા જતાં કળકળતું તેલ શરીર પર ઉછળતાં સખત રીતે દાઝી જવા છતાં એકાસણા ન જ છોડ્યા. આખરે ૩ વર્ષ બાદ સંયમની અનુમતિ મળવા છતાં એકાસણા આજીવન ચાલુ જ રાખ્યા. ગાંગજીભાઈમાંથી મુનિરાજ શ્રી ગુણસાગરજી બન્યા. કુશાગ્રબુદ્ધિથી ભણવાના અલ્પ સાધનો છતાં પાંચ વર્ષમાં ગુરુવૈયાવચ્ચ અને ગુરુકૃપા દ્વારા સંસ્કૃત આદિનો વિશિષ્ટ અભ્યાસ કર્યો. પરિણામે પાંચ વર્ષના દીક્ષાપર્યાયમાં સં. ૧૯૯૮માં ઉપાધ્યાયપદે આરૂઢ થયા. સંસ્કૃતમાં ‘શ્રીપાળ-ચરિત્ર’, ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચિરત્ર’, ‘સમરાદિત્ય કેવલી ચારિત્ર’, ‘દ્વાદશ પર્વકથા સંગ્રહ', ‘સ્તુતિ ચોવીશી’ આદિ રચનાઓ તથા ગુજરાતીમાં ‘ભાવવાહી સ્તવન' ચોવીશી સહિત સેંકડો સ્તવનો, ‘પૂજાઓ', ‘ચોઢાળિયા', ‘રાસ’, વગેરેની રચના અનેકવિધ શાસનકાર્યોની જવાબદારી અદા કરતાં કરતાં પૂર્ણ કરી. એક જ ચાતુર્માસમાં ૨ ટાઇમ વ્યાખ્યાન, દાદા ગુરુદેવ શ્રી ગૌતમસાગર-સૂરીશ્વરજી મ.સા.ની દરેક પ્રકારની વૈયાવચ્ચ કરવા સાથે ૧૧ અંગસૂત્રોનું સ્વયમેવ વાંચન કર્યું!.......ધાર્મિક દૃષ્ટિએ પછાત ગણાતા કચ્છી સમાજમાં જ્ઞાનની ચેતના જગાડવા માટે બાલક-બાલિકાઓ માટે બે વિદ્યાપીઠોની સ્થાપના કરી. દર વર્ષે બંને વેકેશનમાં બાલક-બાલિકાઓ માટે ૧૦ દિવસીય શિબિરો ચાલુ કરાવી. સં. ૨૦૧૨માં આચાર્ય પદારૂઢ થતી વખતે જાહેરાત કરી કે જો બધા આચાર્યો ભેગા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy