________________
શાશ્વત સૌરભ ભાગ-૧
(૧) ૧ મહિનામાં આયંબિલ સહિત સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા (૨) એકાસણાંથી ૯૯ યાત્રા અને (૩) ૪ વાર ગિરનારજી મહાતીર્થની ૯૯ યાત્રા (૪) ૨ વાર ચોવિહાર છઠ્ઠ સાથે સિદ્ધાચલજી મહાતીર્થની ૭-૭ યાત્રાઓ વગેરે વિશિષ્ટ આરાધનાઓ કરેલ.
આવા મહાન તપસ્વી પૂજ્યોની અજોડ તપશ્ચર્યાનું વર્ણન વાંચીને આપણે પણ યથાશક્તિ તપ, ત્યાગ આદિના શુભ સંકલ્પ કરવા દ્વારા પૂજ્યશ્રીના જીવનની સાચી અનુમોદના દ્વારા પુણ્યશાળી બનીએ એ જ એકમેવ શુભાભિલાષા.
(૩) મહા તપસ્વીરત્ન
પ.પૂ. આ. ભ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ.સા.
૪૩ વર્ષની વયે સજોડે સંયમ સ્વીકારીને પ્રાકૃત વિશારદ પ.પૂ.આ. ભ. શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વીકારી ૫૧ વર્ષનો સંયમપર્યાય પાળી ૯૪ વર્ષની વયે સં. ૨૦૪૮માં કાળધર્મ પામેલા મહાતપસ્વીરત્ન પ.પૂ.આ.ભ.શ્રીએ પોતાના જીવનમાં કરેલી તપ-જપની આરાધના ખરેખર, આશ્ચર્ય ઉપજાવે તેવી છે. આ રહી તેમની વિશિષ્ટ આરાધનાની અનુમોદનીય રૂપરેખા.
(૧) શ્રી નવકાર મહામંત્રના સળંગ ૬૮ ઉપવાસ, પારણામાં ૧૧ આયંબિલ, (૨) ૪૫ આગમના ૪૫ ઉપવાસ, (૩) માસક્ષમણ, (૪) ૨૦ વાર સિદ્ધિતપ. તેમાં પણ ૧૮ વાર પ્રત્યેક પારણામાં આયંબિલપૂર્વક સિદ્ધિતપ કરેલ. (પ) શ્રેણિ તપ, (૬) ચત્તારિ-અઠ્ઠ-દશ-દોય તપ, (૭) ૯૬ જિન આરાધનાના ૯૬ ઉપવાસ, (૮) સહસ્રકૂટના ૧૦૨૪ ઉપવાસ, (૯) ૪-૫-૬-૭-૮-૧૦-૧૫-૧૬ ઉપવાસ અનેકવાર કર્યા. (૧૦) વર્ષમાં ૬ અઠ્ઠાઈઓ દરમ્યાન ૮-૯ ઉપવાસ, (૧૧) પારણામાં પાંચ જ દ્રવ્યના અભિગ્રહપૂર્વક ૨ વર્ષીતપઇત્યાદિ (૧૨) ૭૦ વર્ષોથી એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં. (૧૩) વર્ધમાન તપની ૧૦૦ + ૭૩ ઓળી. (૧૪) નવપદજીની ૧૩૧ ઓળી. (૧૫) ૨ વાર સળંગ ૫૦૦ આયંબિલ. (૧૬) વર્ધમાન તપની ૮૬ + ૮૭ મી ઓળી ઉપર સિદ્ધિતપ. (૧૭) વર્ધમાન તપની ૯૧મી ઓળી ઉપર માસક્ષમણ. (૧૮) ૧૦૦મી ઓળીમાં છેલ્લે ૧૬ ઉપવાસ. (૧૯) ૨૦ વર્ષ સુધી ગુરુનિશ્રામાં રહીને દરેક ચાતુર્માસમા પ્રવેશથી માંડીને વિહાર પર્યંત આયંબિલના અભિગ્રહ.
Jain Education International
૬૦૩
(૨૦) સંપૂર્ણ ૪૫ આગમોના આયંબિલપૂર્વક યોગોહન. (૨૧) કરોડોની સંખ્યામાં શ્રી નવકાર મહામંત્રનો જાપ. (૨૨) લાખોની સંખ્યામાં શ્રી વર્ધમાનવિદ્યાનો જાપ. (૨૩) સૂરિમંત્ર પંચ પ્રસ્થાનની ૮૪ આયંબિલપૂર્વક સાધના બાદ લાખોની સંખ્યામાં સૂરિમંત્રનો જાપ. (૨૪) મુનિજીવનમાં શ્રી સિદ્ધગિરિજીની ૯ વાર ૯૯ યાત્રાઓ સહિત કુલ ૧૮૦૦ યાત્રાઓ. (૨૫) ૧૦ વાર ચોવિહાર છઠ્ઠ પૂર્વક ૭-૭ યાત્રાઓ. (૨૬) ૩૩ દિવસમાં શ્રી ગિરનારજી મહાતીર્થની ૧૦૮ યાત્રાઓ તથા અદમ કરીને ૧૧ યાત્રાઓ. (૨૭) ગૃહસ્થ જીવનમાં અલ્પાયુષવાળા ૧ સંતાનની પ્રાપ્તિ બાદ ૩૦ વર્ષની વયે સજોડે બ્રહ્મચર્ય અંગીકાર કરેલાં. આવા મહાતપસ્વીરત્નસૂરીશ્વરજીની ભૂરિશઃ અનુમોદના સહ અનંતશઃ વંદના.
(૪) ૩૫૦થી અધિક વાર ચોવિહાર છઠ્ઠ સાથે સિદ્ધગિરિજીની ૭–૭ યાત્રાઓ કરનાર ગચ્છાધિપતિ ૫.પૂ. આચાર્ય ભગવંત શ્રી અરિહંતસિદ્ધસૂરીશ્વરજી મ.સા.
ગૃહસ્થ અવસ્થામાં ક્ષયરોગ (ટી.બી.)ના કારણે બચવાની શક્યતા ન હતી ત્યારે અંતિમ શ્વાસ છોડવા માટે તેઓશ્રી સિદ્ધાચલજી મહાતીર્થમાં પધાર્યા અને ચોવિહાર છટ્ટ સાથે ૭ યાત્રાઓ કરતાં જોતજોતાંમાં ડૉકટરો દ્વારા અસાધ્ય તરીકે ઘોષિત થયેલ ટી.બી. અદૃશ્ય થઈ જતાં તેમણે સંયમ ગ્રહણ કરવાનો સંકલ્પ કર્યો અને ટૂંક સમયમાં સંયમનો સ્વીકાર કર્યો. પોતાને નવજીવન આપનાર સિદ્ધગિરિજીની ચોવિહાર છઠ્ઠ સાથે ૭-૭ યાત્રાઓ તેમણે વારંવાર ઉત્કૃષ્ટ ભાવથી ચાલુ રાખી. પરિણામે આજે ૩૫૦થી અધિકવાર તેઓશ્રીએ ચોવિહાર છઠ્ઠ કરી ૭-૭ યાત્રાઓ કરીને અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. છતાં પ્રસિદ્ધિની ખેવનાથી પર રહીને, ગચ્છાધિપતિ પદે બિરાજમાન હોવા છતાં ફક્ત વ્યાખ્યાન કે ચોમાસામાં રાત્રે સૂવા પૂરતો જ પાટનો ઉપયોગ કરીને બાકીના સમયમાં નીચે જ બેસે છે. સ્વભાવે અત્યંત સરલ છે. પૂજ્યશ્રીની નિશ્રામાં જાખોડા (રાજસ્થાન) તીર્થથી સમેતશિખરજી મહાતીર્થનો છ'રીપાલક મહાન યાત્રાસંઘ સં. ૨૦૫૪માં નીકળેલ. સિદ્ધાચલ શણગાર ટૂંક તથા ઘેટી પગલાં પાછળ આદપર ગામ પાસે વિશાલકાય આદિનાથ ભગવંતની અંજન-પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વરદ હસ્તે થયેલ છે. હાલ તેઓશ્રીના શુભાશીર્વાદથી પાલિતાણાથી ૪-૫ કિ.મી. દૂર
For Private & Personal Use Only
www.jainelibrary.org