________________
શાશ્વત સૌરભ ભાગ-૧
એમ આગલોડથી ૪ સંઘો, પાલીથી સિદ્ધાચલગિરિનો, પોરબંદરથી ગિરનારજીનો, પાલિતાણાથી બાર ગાઉની સંઘયાત્રા સામુદાયિક તથા ૯૯ યાત્રા, એકલારાથી તારંગાજી, વડાલીથી તારંગાજી, હિંમતનગરથી પોસીનાજી આદિના છ'રીપાલિત યાત્રાસંઘો; ચારભુજા (રાજસ્થાન)ના રસ્તે નિર્માણાધીન ‘હિમાચલનગર’નું ખાતમુહૂર્ત; આગલોડ, પાલિતાણા અને વક્તાપુરમાં ઉપધાનતપની આરાધના વગેરે અનેકવિધ ધર્મકાર્યો પૂજ્યશ્રીની નિશ્રામાં સુસંપન્ન બન્યાં છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક શાસનપ્રભાવક કાર્યો પ્રવર્તી રહ્યાં છે. એવાં કાર્યો માટે પૂજ્યશ્રી નિરામય દીર્ઘાયુ પ્રાપ્ત કરો એવી શાસનદેવને હાર્દિક અભ્યર્થના તથા પૂજ્યશ્રીનાં ચરણારવિંદમાં કોટિશઃ વંદના! (સંકલન : મુનિશ્રી વિશ્વચંદ્રવિજયજી મહારાજ) સૌજન્ય : શ્રી આગલોડ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, મણિભદ્રવીર જૈનતીર્થ પેઢી આગલોડ (તા. વિજાપુર) સરળ સ્વભાવી : પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. શ્રી વિજય કનકશેખરસૂરિજી મ. સા
તીર્થોની
અનેક શ્રેણિઓથી શોભતો મરુધર દેશ, પાંચ ભવ્ય જિનાલયોથી મંડિત નયનરમ્ય ખિવાન્દી ગામ. તેમાં ધર્મમૂર્તિ સુશ્રાવક ચંદનમલજીનાં ધર્મપત્ની જતનાબહેનની રત્નકુક્ષિથી જન્મ પામેલ બાળક કુંદનમલના કુંદન સમા રૂપલાવણ્યને જોઈને કોણ કહે
કે આ માત્ર ઘરનો દીપક નથી, પણ જિનશાસનનો સિતારો છે! પિતાજી સમગ્ર કુટુંબને સંસારની જડ ઉખાડનાર ચારિત્રના માર્ગે પ્રયાણ કરવા-કરાવવાની ભાવનામાં રમતા હતા. તેથી જ બાળકના વ્યાવહારિક શિક્ષણને મુખ્યતા ન આપતાં ધાર્મિક સંસ્કરણ માટે બોર્ડિંગમાં મૂક્યો. બીજી બાજુ, પરમ વ્યાખ્યાન વાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના વૈરાગ્યને દૃઢાવનારા, સંસારના રસને ક્ષીણ કરનારાં પ્રવચનો વાંચવા-સાંભળવાનો સુયોગ પ્રાપ્ત થયો. તેથી સંસાર ઉપરથી મન ઊઠી ગયું.
શાસનપ્રભાવક
Jain Education International
૫૮
ભવોચ્છેદક તારણહાર, અસીમોપકારી એવા પૂ. પિતાશ્રી ચંદનમલજીએ પોતાની બે લાડલી દીકરીઓને સંયમમાર્ગે સ્થાપિત કરીને, સંયમ માટેનો પોતાનો માર્ગ ખુલ્લો થયો જાણીને સં. ૨૦૧૧ના જેઠ સુદી-પાંચમે પોતાના સુપુત્રરત્ન કુંદન સાથે કલકત્તા મુકામે પૂજ્યપાદ ગુરુદેવશ્રી આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજશ્રીના વરદ હસ્તે દીક્ષા સ્વીકારી.
સં. ૨૦૪૬ વૈશાખ સુદી ૧૨ના દિવસે મુંબઈ,
ચંદનબાળા ઉપાશ્રયે પૂ. આ. ભગવંતશ્રી મિત્રાનંદસૂરિજી મ.સા.ના વરદ હસ્તે ગણિ-પંન્યાસ પદવી થઈ.
ત્યારબાદ મુનિશ્રીના વિનય વૈયાવચ્ચ, ઔચિત્ય, ધીરતા, ગંભીરતા અને શાસ્ત્રોનું પઠનપાઠન, પૂજ્યો પ્રત્યેનો સમર્પિત ભાવ વગેરે ગુણોના પ્રભાવે વડીલોએ સં.૨૦૫૦, મહાસુદ આઠમના દિવસે મુંબઈ લાલબાગ ઉપાશ્રયે પૂ. આ. શ્રી પ્રભાકરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે આચાર્ય પદે આરૂઢ કર્યા.
પોતે આચાર્ય હોવા છતાં પોતાના અનંતોપકારી સંસારી પૂજ્ય પિતાશ્રી-ગુરુ ભગવંતશ્રીની ખૂબ જ ઉત્સાહ-ઉલ્લાસપૂર્વક સમતાભાવે અને પ્રસન્નચિત્તે અપ્રમત્તભાવે, વિનયવિવેક, નમ્રતાપૂર્વક જે અપ્રતિમ સેવા-ભક્તિ-વૈયાવચ્ચ કરવા દ્વારા પૂ. ગુરુ ભગવંતશ્રીનો સૌથી વધારે પ્રિય મનોભિષ્ટ એવો કર્મનિર્મૂલક મુક્તિપ્રદાના એવો મહામૂલો સ્વાધ્યાય કરાવવા દ્વારા અપૂર્વ શાતા સમાધિ આપવા દ્વારા, ગુરુને પ્રમુદિત કરી
રહ્યા.
આવા કલિકાલમાં પણ આવા શાંત વિનયવંત સેવાભાવી ઉત્કૃષ્ટ ભક્તિ કરનારા સુપુત્ર રત્ન જોવા કે મળવા મુશ્કેલ છે.
ગુરુકૃપાથી તેઓશ્રીના શ્રીમુખેથી લીધેલ કોઈ પણ તપના પચ્ચક્ખાણ દ્વારા તે તે પ્રાય નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય છે તેવો ઘણાને અનુભવ છે. તેમના શ્રીમુખેથી અજિતશાંતિ અને સંતિકર સૂત્રો સાંભળવાં જેવાં છે. પોતાના ગુરુ ભગવંતની નિષ્કામ સેવાભક્તિના પ્રતાપે તેઓશ્રીને પણ સેવાભાવી શિષ્ય મુનિશ્રી કીર્તિધ્વજ વિજયજી મ. સુંદર આરાધના કરી રહ્યા છે.
પૂજ્યશ્રીના પ્રવચનો લખવા અને તેના ઉપરથી પ્રવચનની તૈયારી કરવા સતત પ્રેરણા આપનાર પૂ. પંન્યાસ શ્રી ભદ્રાનંદવિજયજી ગણિવર્ય (માસ્તર સાહેબ) છેલ્લા ઘણા વર્ષોથી સુંદર પ્રવચનો દ્વારા અનેકના હૃદયમાં પૂજ્યશ્રીએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અલ્પ ચોમાસામાં પણ તેઓશ્રી અનેકવાર રાહદાર બન્યા છે. સં. ૨૦૪૫ના વૈશાખ વદ-૬ને દિવસે મુમુક્ષુ
For Private & Personal Use Only
www.jainelibrary.org