SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ ધન્ય ધરા: ચૂનીલાલજી હતું. ચૂનીલાલ માત્ર દોઢ વર્ષના થયા કે તેમનાં માતુશ્રી સ્વર્ગવાસ પામ્યાં. પિતા ચતરાજીનાં મોટાં ભાભી ચમનીબાઈએ તેમને ઊછેરીને મોટા કર્યા. પૂર્વના પુણ્યયોગે અને આ જન્મના ધર્મસંસ્કારોએ તેમની ધર્મ પ્રત્યેની રુચિ ઉત્તરોત્તર ખીલતી ગઈ. બાળવયથી જ પ્રતિક્રમણ, પૌષધાદિ વ્રત-નિયમો તેમના જીવન સાથે વણાઈ ગયાં. કુમારવયે પહોંચતાં હિન્દી, અંગ્રેજી સાથે વ્યાવહારિક શિક્ષણ સંપાદન કર્યું. તેજ બુદ્ધિ અને સાલસ સ્વભાવના કારણે તેઓ સૌમાં પ્રિય બન્યા હતા. ૧૬ વર્ષની વયે તેમને દત્તક પુત્ર તરીકે જોધપુર રાજ્યના બગડીનગરના શ્રી લાલચંદજી ચંદનમલજી અને તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબાઈએ ખોળે લેતાં તેમને મુંબઈ જવાનું થયું. મુંબઈ ગયા છતાં વ્રત-નિયમો તો ચાલુ જ રહ્યાં અને આગળ જતાં આ સંસ્કારો વૈરાગ્યભાવમાં પરિણમ્યા અને તેઓ દીક્ષા લેવા તત્પર બન્યા. સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે તેમની એ ભાવના સાકાર બની અને દીક્ષા અંગીકાર કરવાપૂર્વક તેઓ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચંદ્ર-સૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પૂ. આ. શ્રી વિજયભુવનસૂરિજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી આનંદઘનવિજયજી નામે જાહેર થયા. મુનિજીવનના ઉષાકાળે તેઓશ્રીએ ગુરુગમ બની “કર્મગ્રંથ', “પ્રકરણ, ‘ન્યાય' તથા આગમશાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્ર અને મંત્રવિદ્યાનું પણ વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તપ-જપ અને યોગસાધના : પૂજ્યશ્રીએ સંયમસાધના અને જ્ઞાનોપાસનામાં આગળ વધવા સાથે જપ-તપ અને યોગમાં પણ ઉત્તરોત્તર આગળ વધતા રહી એક સમર્થ સાધક તરીકે નામના પ્રાપ્ત કરી છે. તેઓશ્રીએ વરસીતપ-૨, ચૌમાસી-૧, અઠ્ઠાઈ-૫, ૨૩ કલાકે મૌનપૂર્વક સતત ૫૦૦ આયંબિલ, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનાં ૧૦૮ અઠ્ઠમ વગેરે તપશ્ચર્યા કરી છે. ઈશ્વરગઢ પર શ્રી શાંતિનાથ જિનાલયની પાછળ આવેલી પ્રાચીન ગુફામાં રહીને અષ્ટાંગ યોગસાધના તેમ જ વિવિધ આસનો સિદ્ધ કર્યા. અહીં ગુફામાં ત્રણ વર્ષ દરમિયાન તપ પૂર્વક સવાકરોડ નવકારમંત્રનો જાપ કર્યો. ઈડર પાંજરાપોળમાં રહીને દિવસ દરમિયાન માત્ર બે વાર ૫૦૦ ગ્રામ દૂધ પર રહીને ૯ લાખ નવકારમંત્રનો જાપ કર્યો. પ00 આયંબિલમાં ૯ લાખ નવકારમંત્રનો જાપ પ્રાયઃ મૌન રહીને કર્યો. ઉપરાંત, તારંગા તીર્થની ગુફામાં ૨૦ દિવસના આયંબિલપૂર્વક શ્રી ઋષિમંડલ મૂલમંત્રનો એક લાખનો જાપ, અચલગઢ (આબુ)માં એક વર્ષ રહી એકાસણાં સાથે શ્રી સિદ્ધચક્ર મૂલમંત્રનો જાપ, પોસીના તીર્થમાં ચાર માસ દરમિયાન પાંચ અઠ્ઠમ અને ૬ આયંબિલ કરી, સવા લાખ ઉવસગ્ગહરં સ્તોત્રનો જાપ, ગિરનારજી પર ગુફામાં રહી એકાસણાં સાથે એક લાખ નવકારમંત્રનો જાપ, આગલોડ (ઉ. ગુ.)માં ૨૧ દિવસ શ્રી માણિભદ્રવીરની સાધના કરેલ. પૂજ્યશ્રીએ ઈડર અને તારંગાની ગુફાનો જીર્ણોદ્ધાર કરાવી તથા અચલગઢની ટોચ પરનો રૂમ રિપેર કરાવી, તે તે સ્થાનોની તીર્થપેઢીને અર્પણ કરેલ. પૂજ્યશ્રીને સં. ૨૦૩૯ના અષાઢ સુદ ૬ના રોજ ઘાણેરાવ (રાજસ્થાન) સ્થિત કીર્તિસ્તંભ તીર્થે પૂ. આ. શ્રી વિજયહિમાચલ-સૂરિજી મહારાજે આચાર્યપદે આરૂઢ કર્યા. સં. ૨૦૪૬ના જેઠ સુદ પાંચમે વક્તાપુર (સાબરકાંઠા)માં પૂ. ગુરુદેવશ્રી વિજય-ભુવનસૂરિજી મહારાજ આદિ તથા ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ‘યોગદિવાકર'ની પદવી અર્પણ કરવામાં આવી. પૂ. આ. શ્રી વિજયઆનંદઘનસૂરિજી મહારાજના શિષ્ય પરિવારમાં મુનિશ્રી જયચંદ્રવિજયજી, મુનિશ્રી ભુવનાનંદવિજયજી, મુનિશ્રી રાજયશ-વિજયજી, મુનિશ્રી પ્રદીપચંદ્રવિજયજી અને મુનિશ્રી શાંતિચંદ્ર-વિજયજી છે. શાસનપ્રભાવના : પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સંપન્ન થયાં છે. તેમાં વિજાપુર પાસે આગલોડમાં શ્રી માણિભદ્રવીરના પ્રાચીન સ્થાનનો ઉદ્ધાર કરાવી, તેને તીર્થરૂપે સારી રીતે વિકસાવ્યું છે. એક બાજુ નવું તીર્થ સાબરકાંઠામાં હિંમતનગરથી ૮ કિ. મી. દૂર વક્તાપુર ગામે ‘ૐ શ્રી પાર્શ્વ–પદ્માવતી જૈન શ્વે. મૂ. તીર્થ’ નામે સ્થાપી, ત્યાં પણ જિનાલય, ઉપાશ્રયો, ધર્મશાળા, ભોજનશાળા આદિનું આયોજન કરાવી, સં. ૨૦૪૬માં પ્રતિષ્ઠામહોત્સવ ઊજવવાપૂર્વક વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, જૂનાગઢ તડ ટી-મંદિર, જસનગર, કાલુકોકીન (રાજસ્થાન)માં શિખરબંધ દેરાસર, સુમેરપુર (ઉંદરી), બેલાપુર (થાણા) અને મામલતદારવાડી–મલાડ (મુંબઈ)માં જિનાલયો, દેવ-દેવીની પ્રતિષ્ઠા, નાડોલમાં શ્રી પદ્મનાભસ્વામી જિનાલયે શ્રી પાર્શ્વ-પદ્માવતીની પ્રતિષ્ઠા, અચલગઢ (આબુ)માં યક્ષયક્ષિણીની પ્રતિષ્ઠા તથા વડાલી (બનાસકાંઠા) ગામે સોસાયટીમાં શિખરબંધ દેરાસર અને ઉપાશ્રયનું નિર્માણ, ખેરોજમાં જિનાલયનું શિલારોપણ, અમદાવાદ-નારણપુરામાં હરિપાર્કમાં, હિંમતનગરમાં મહાવીરનગરમાં તેમ જ એકલારા, મટોડા અને ડરામલી ગામે ઉપાશ્રયોનું નિર્માણ ઉપરાંત ૧. તારંગાજીનો, ૨. ભદ્રેશ્વર તીર્થનો, ૩. જેસલમેરનો અને ૪. સમેતશિખરજીનો— Jain Education Intemational Education Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy