SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ ધન્ય ધરાઃ અમલી બની છે. ડોંબીવલીમાં સુવિધિનાથ ભગવાનનું જિનાલય, હૈદરાબાદ સીટીમાં શાંતિનાથ જિનેશ્વરધામ, પવઈ કચ્છી ભવન, દેવલાલીમાં શાંતિનાથધામ, બાડમેર (રાજ0)માં ચિંતામણિ પાર્થ જિનાલય ને સમેતશીખરાવતારની પ્રતિષ્ઠ સહ પ્રેરણા, બાડમેરમાં આ. ગુણસાગરસૂરિ વિશાળ સાધના ભવન, બાડમેર પાસે રામજી કીગોલ મધ્યે નિર્માણાધીન આર્ય-ગુણ-ગુરુકૃપા તીર્થની પ્રેરણા આપેલ છે. પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટી કોટિ વંદના. સૌજન્ય : પૂ. મુનિશ્રી હેમચન્દ્રસાગરજી મ.સાની પ્રેરણાથી સંઘમાતા કસ્તૂરબહેન પ્રેમજી ગાલા (કચ્છ) દેવપુર જ્ઞાનયાત્રાના અથાક પ્રવાસી પૂજ્ય આચાર્ય મુનિચંદ્રસૂરિજી મ.સા. દાદાશ્રી ઈશ્વરભાઈ (પૂ. મુનિશ્રી વિલાસવિજયજી મહારાજા), કાકાશ્રી ચીનુભાઈની (પૂ.આ.ભ. ૐકારસૂરીશ્વરજી મહારાજાની) દીક્ષા ૧૯૯૦ મહા સુદ ૧૦ના દિવસે થયેલ. વડીલ બંધુ શ્રી યશોવિજયસૂરિજી મહારાજાની દીક્ષા વિ.સં. ૨૦૧૩માં થયેલ. આવી રીતે વિરતિની વાટે પરિવારમાંથી ૨૦-૨૫ વ્યક્તિ નીકળેલ તેમાં પણ ધુરંધર એવા ત્રણ ત્રણ આચાર્યોની ભેટ આ પરિવારે આપેલ છે. | દાદાશ્રી વિલાસવિજયજી મહા તપસ્વી હતા. ૬૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે (૬ વર્ષના દીક્ષા પર્યાયમાં) પણ ૩૧, ૪૫, ૬૦, ૭૦ ઉપવાસ કર્યા. કાકાશ્રી ૐકારસૂરીશ્વરજી મહારાજા જૈન સમાજમાં એક અતિ સન્માનનીય આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા. સં. ૨૦૪૪માં તપાગચ્છ શ્રમણ મહાસંમેલનનું સંચાલન કરી આચાર્યશ્રીએ સંધ એકતાનું અધૂરું કાર્ય પરિપૂર્ણ કર્યું અને સંઘ એકતાના શિલ્પીનું બિરુદ પ્રાપ્ત કર્યું. પિતાશ્રી જિનચંદ્રવિજયજી ૯૦ વર્ષની વયોવૃદ્ધ ઉંમરે પણ તપ ત્યાગ ક્રિયા આદિમાં વ્યસ્ત રહેતા અપ્રમત્ત ભાવે ભગવાનની ભક્તિ આદિ કરી રહ્યા છે. વડીલ બંધુ આ. યશોવિજયસૂરીશ્વરજી ભક્તિમાર્ગ યોગમાર્ગના પથદર્શક છે. પ્રસન્નતા, સમર્પણભાવ, સાક્ષીભાવના સ્વામી છે. આ હરિભદ્રસૂરિજી, આનંદઘનજી, દેવચંદ્રજી, ઉ. યશોવિજયજીના ગ્રંથો ઉપર એમની વાચના તથા પુસ્તકો ભક્તિમાર્ગની માર્ગદર્શિકા સમાન છે. વિ.સં. ૨૦૦૭ ઇ.સ. ૧૯૫૧ ફાગણની અજવાળી ચૌદસે કુળને અજવાળનાર પુત્રરત્ન મહેન્દ્રનો જન્મ થયો. મોરના ઈંડાને જેમ ચીતરવા ન પડે તેમ પૂર્વભવની કો'ક પ્રબળ વૈરાગ્યવાસિત આરાધના લઈને આવેલ પુત્ર મહેન્દ્ર માત્ર ૧૨ વર્ષની બાળ ઉંમરે પ્રથમ ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરી. સંસારીપક્ષે કાકા, સંઘ એકતાના શિલ્પી આ. કારસૂરિજી મ. પાસે સંસ્કૃતની પ્રથમ બુક કરી જ્ઞાનયાત્રાનો પ્રારંભ કર્યો. ૧૩ વર્ષની ઉંમરે રજુ ઉપધાન તપ-પાંત્રીસુ કરી સાધના ક્ષેત્રે વધુ દઢ બન્યા. આત્માને વૈરાગ્યથી વાસિત કર્યો. માત્ર ૧૫ વર્ષની ઉંમરે શત્રુંજયની ૯૯ યાત્રા કરી શરીરને પણ કર્યું. સંસ્કૃતની ૨જી બુક પ્રકરણાદિ તથા તત્ત્વાર્થ કંઠસ્થ કર્યા. ધર્મપરાયણ પિતાશ્રીને પણ સંયમની ભાવના હતી જ. માતા-પિતા સહિત સમગ્ર પરિવાર વિ.સં. ૨૦૨૩ના મહા સુદ ૧૦ના દિવસે વિરતિની વાટે સંચર્યો, સંયમ લઈ અભ્યાસમાં ગૂંથાઈ ગયા. દીક્ષા જીવનના ‘પાંચ'માં જ વર્ષે પૂ.આ. ભ. શ્રી 3ૐકારવિજયજી મ. સાથે બનાસકાંઠાના વાવ તાલુકાના બેપણ નગરે (બેનાતટ નગરે) પ્રતિષ્ઠા પ્રસંગે જવાનું થયું. ત્યાં એક કબાટમાં “ધાતુ-પારાયણ” ગ્રંથના અધૂરા ફર્મા જોયા. પૂછપરછ કરતાં જણાયું કે એક મુનિરાજે સંપાદન-મુદ્રણકાર્ય શરૂ કરેલ પણ તે પૂરું કરી શક્યા નથી. - પૂ.આ. શ્રી ૐકારવિજયજી મ.ને અધૂરા ગ્રંથને પૂર્ણ કરવાની ભાવના થઈ. આ માટે તેમની દૃષ્ટિ મુનિરાજ શ્રી મુનિચંદ્ર વિ.મ. પર ઠરી. પૂજ્યશ્રીએ ગ્રંથનું સંપાદન કરવા મુનિચન્દ્ર વિ.ને આજ્ઞા કરી અંતરના આશીર્વાદ આપ્યા. પૂજ્યશ્રીના આશીર્વાદને પ્રાપ્ત કરી અધૂરા ગ્રંથને પૂર્ણ કરવા જરૂરી માહિતી તથા સામગ્રી મેળવવાના પ્રયાસો આદર્યા. સંસારીપક્ષે કાકા આગમપ્રજ્ઞ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજે સંશોધન સંપાદનની કેટલીક સમજ અને મહત્ત્વની સૂચનાઓ કરી સફળતાના આશિષ આપ્યા. આ આશિષની અમીવર્ષાથી સંશોધન કાર્યને બળ અને વેગ મળ્યો અને અહીંથી સાહિત્ય સર્જનના શ્રીગણેશ થયા. ધાતુ-પારાયણથી શરૂ થયેલી આ સર્જનયાત્રા આજ સુધી અવિચ્છિન્ન રીતે ચાલે છે. પ્રવચનસારોદ્ધારટીકા, પ્રવચન સારોદ્ધાર વિષમપદ ટીકા, કયારત્નાકર, ધર્મરત્નકરંડક, ધર્મસંગ્રહ, દસાવગચરિયમ્ આદિ ગ્રંથો પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત પ્રતોના આધારે Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy