SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૫૮૧ સંશોધિત સંપાદિત કરી સંઘને સમર્પિત કર્યા. પ્રભાવક ચારિત્ર, જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ ભાગ ૧-૨-૩ વગેરે ગ્રંથોના શ્રમસાધ્ય સંપાદનો સર્વત્ર આવકાર પામ્યા છે. | સંશોધન સંપાદન માટે ઘણા બધા સાધુ-સાધ્વીજી પંડિતો પૂજ્યશ્રીના અભિપ્રાયને પૂછાવે છે. પૂજ્યશ્રી પણ સંશોધન ક્ષેત્રે રસ-રુચિ ધરાવતા ઘણા વિદ્વાનો અને મહાત્માઓ સાથે સ્વપર ગચ્છના ભેદભાવ વિના આત્મીય સંબંધ જાળવે છે. કોઈ પણ પૂ. સાધુ-સાધ્વીજી અથવા પંડિતવર્ય આદિને સંશોધનસંપાદન માટે જરૂરી માર્ગદર્શન આપવું, જરૂરી સામગ્રી મેળવી આપવી. પ્રફો જોઈ આપવા, પ્રસ્તાવના લખી આપવી, સુધારાવધારા કરવા વગેરે અનેક બાબતમાં સહાયક થતા રહ્યા છે. સંપર્કમાં આવનાર રુચિ ધરાવનાર વ્યક્તિને કક્ષા મુજબ કાર્ય સોંપી પ્રોત્સાહિત પણ કરી રહ્યા છે. પ્રસિદ્ધિની ઘેલછાથી લાખો યોજન દૂર એવા પૂજ્યશ્રી આજે સકળ સંઘ માટે સાહિત્ય સંશોધન-સંપાદન ક્ષેત્રે દીવાદાંડી સમાન બન્યા છે. વિદ્ધજ્જનોને આદરણીય હોવા સાથે બાળકોને પણ અતિપ્રિય છે. બાળકો માટે બોધપાઠસભર કથાઓ પૂજયશ્રી પીરસતા રહ્યા છે. સર્વક્ષેત્રગ્રાહી પ્રસંગકથાઓ લખવામાં પૂજ્યશ્રીની હથોટી છે. “શાંતિસૌરભ”માં “પ્રસંગ—પરિમલ' કૉલમમાં “મુનીન્દુ'ના ઉપનામથી નિયમિતપણે વાર્તાઓ પ્રગટ થાય છે. પ્રસંગ પરિમલ, પ્રસંગ નવનીત, પ્રસંગ સુધા, પ્રસંગ શિખર, પ્રસંગ કલ્પલતા, પ્રસંગ વિલાસ, પ્રસંગ સુવાસ, પ્રસંગ પ્રભા, જનક કથાપરીમલ વગેરે પૂજયશ્રીના કથાપુસ્તકો અદ્યાવધિ પ્રગટ થયા છે. સહુની વચ્ચે છતા સહુથી અલિપ્ત રહીને શ્રુતની દુનિયામાં મગ્ન બનીને જ્ઞાનાનંદમાં મહાલતા, ગંભીરતા, સરળતા, નમ્રતા, નિખાલસતા, જેવા ગુણોના સ્વામી અલગારી વ્યક્તિત્વસંપન્ન એવા પૂજય આચાર્યદેવ બહુમુખી વ્યક્તિત્વ દ્વારા પોતાનું આગવું સ્થાન જૈન શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં સતત આપી રહ્યા છે. સાથે સાથે બનાસકાંઠા, મરૂભૂમિ, સુરત, મુંબઈ, અમદાવાદ વગેરે વિચક્ષણ ક્ષેત્રમાં ચાતુર્માસ તપ, ઉપધાન, પ્રતિષ્ઠા, ઉજમણા, દીક્ષા, સંઘ, જ્ઞાનભંડારનિર્માણાદિ અનેકવિધ શાસનની ઉન્નતિના કાર્યો કરી રહ્યા છે. સૌજન્ય : પ.પૂ.આ.ભ.શ્રી અરવિંદસૂરિજી મ.સા. આદિની નિશ્રામાં મોદી ત્રિભોવનદાસ ઉજમશીભાઈ પરિવાર આયોજિત શ્રી ભાભરથી તારંગાતીર્થનો છ'રીપાલક સંઘ (વિ.સં. ૨૦૬ ૨માં) અનુમોદનાર્થે મોદી હીરાલાલ વાલચંદ પરિવાર પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા. આવા છે ગુરુવર્ય અમારા “અભિનંદન હૈ જ્યોતિર્મય કિરણકા, અભિનંદન હૈં તુમ્હારે અમૃતમયી શરણોંકા, સ્વર્ગ બન જાતી હૈ મિટ્ટી જિન્ટે કર અભિનંદન હૈ તુમ્હારે મંગલમય ચરણોમા !”' જન્મ : વિ.સં. ૧૯૯૨, શ્રાવણ | વદી ૧૦, તા. ૧૨-૮( ૧૯૩૬ રાધનપુર, ગુજરાત દીક્ષા : વિ.સં. ૨૦૨૫ માગશર સુદિ-૪, તા. ૨૨-૧૧ ૧૯૬૮, વાપી (ગુજરાત) ગુરુ : દક્ષિણકેશરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. | વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૫, જયેષ્ઠ વદી ૧૧, ચિકપેટ (બેંગ્લોર). | દાતા : ૫.પૂ. જયંતસૂરીશ્વરજી મ.સા. અને તીર્થપ્રભાવક પ.પૂ. વિક્રમસૂરીશ્વરજી મ.સા. ઉપાધ્યાય-પદ : વિ.સં. ૨૦૫૮, મહાસુદિ ૧૨, તા. ૧૪ ૨-૨૦૦૩, મૈસૂર. દાતા : દક્ષિણકેશરી, આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી ક, મ.સા. | આચાર્યપદ : વિ.સં. ૨૦૫૯, જયેષ્ઠ સુદિ ૧, તા. ૧-૬ (૨૦૦૩, શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, દેવનહલ્લી (કર્ણાટક). દાતા : દક્ષિણ કેસરી આચાર્યદેવ શ્રી સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા. શ્રી લબ્ધિવિક્રમ સ્થૂલભદ્ર પટ્ટાલંકાર, શ્રી સંકટમોચન પાર્થભૈરવતીર્થ સ્થાપક વર્ધમાનતપોનિધિ, શાસનપ્રભાવક, કવિરત્ન પૂ.આ. દેવ શ્રી કલ્પયશસૂરીશ્વરજી મ.સા.નો જન્મ રાધનપુર ગામમાં થયો હતો. કવિકુલકિરીટ પૂ.આ. શ્રી લબ્ધિ સૂરીશ્વરજી મ.સા.એ રાધનપુરને “આરાધનાપુર’ કહી રાધનપુરની જનતામાં જે ધર્મની જ્યોત પ્રજ્વલિત થઈ રહી હતી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy