________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પ્રેરણા આપી, તે દ્વારા પણ પૂજ્યશ્રી સંઘમાં અહિંસાધર્મ, સંસ્કૃતિ અને માનવજીવનનાં આદર્શ કર્તવ્યોના દિવ્ય સંદેશાને ઘરે ઘરે પહોંચાડવા પોતાના અમૂલ્ય સમય અને શક્તિનો ભોગ આપી રહ્યા છે. ‘શ્રી આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ' (સચિત્ર; પૃ. ૧૦૦૦) એ એમનો અતિ ઉપયોગી સંશોધિત-સંપાદિત ગૌરવપ્રદ ગ્રંથ છે. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ પંદર જેટલો છે. પૂજ્યશ્રીએ પ્રભુભક્તિરૂપી ચોવીશીની રચના પણ કરેલ છે. પૂજ્યશ્રીએ ૯૯ યાત્રા દરમ્યાન ૧૧૧ યાત્રા તથા છઠ્ઠ કરીને પણ સાતયાત્રા કરેલ છે. અને આજે ૫૪ વર્ષની વયે દર મહિનાની ચાર છઠ્ઠ તપ શરૂ છે. (અઠવાડિયાની એક)
પૂજ્યશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ આબાલવૃદ્ધસૌમાં નવચેતના પ્રગટાવે એવી મંગલકારી શાસનપ્રભાવક પ્રવૃત્તિઓનો ઉદ્ભવ અને વિકાસ થયો છે, જેમાં શ્રી આર્યજય કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટ, શ્રી આર્ય-ગુણ સાધર્મિક ફંડ, શ્રી ગૌતમનીતિ ગુણસાગરસૂરિ જૈન મેઘ સંસ્કૃતિ ભવન, શ્રી ગુણશિશુ જિનાગમાદિ ચિત્કોષ અને અનેક જ્ઞાનભંડારો, મહા ઉજમણાંમહોત્સવો—છ'રીપાલિત સંઘો, અજોડ ૯૯ યાત્રાસંઘ, તીર્થોના પ્રણેતા, જ્ઞાનસત્રો, સાંસ્કૃતિક પ્રદર્શનો વગેરેનો સમાવેશ થાય છે. તેમ જ અચલગચ્છ જૈનસંઘને લગતી કે અન્ય પણ મોટી નાની અનેક ધાર્મિક સંસ્થાઓ, જીવદયાકેન્દ્ર, યુવક પરિષદ શિબિરો અને યુવક મંડળો વગેરેને પૂજ્યશ્રી નિખાલસભાવે પોતાની સૂઝસમજનો લાભ આપી રહ્યા છે. રાજસ્થાન, કચ્છ, બૃહદ્ મુંબઈ, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર તેમ જ પૂર્વ ભારતની લાંબી મજલના વિહારોમાં પૂજ્ય ગચ્છાધિપતિ ગુરુદેવ આ.ભ.શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.ની સાથે વિચરી પ્રવચન અને પ્રેરણા દ્વારા જ્ઞાનબોધનાં ઝરણાં વહેતાં કરી પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની ગચ્છ અને શાસનની જવાબદારીઓમાં બળપૂરક બની સારી એવી ગુરુકૃપા પ્રાપ્ત કરી સંઘો અને જનતાની લાગણી સંપાદન કરી છે.
તેઓશ્રીએ ગચ્છના વર્તમાન મુનિગણમાં પ્રથમવાર શ્રી ‘મહાનિશીથસૂત્ર’ સુધીના બૃહદ્યોગ પૂજ્ય અચલગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં પૂર્ણ કરી, ‘ભગવતીસૂત્ર'ના યોગપૂર્વક સં. ૨૦૪૦ના કારતક વદ ૧૧ના દિવસે તેઓશ્રી મુંબઈ–વડાલા મુકામે ‘ગણિ’ પદધારક બન્યા. અનુમોદન કરવા યોગ્ય વાત પણ એ છે કે, ચોપાસ વિધિ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત એવા પૂજ્યશ્રીએ એકાંતરાં ૫૦૦ આયાબલ જેવી ઉગ્ર તપસ્યા પણ ૩૦ વર્ષની નાની ઉંમરે કરેલ છે. એટલે, તેઓશ્રીનો તપ-જપ
Jain Education International
૫૦૯
પ્રત્યેનો અનુરાગ પણ અનુમોદનીય છે. વરસીતપ પણ કર્યાં છે. શિખરજી તીર્થની એકવાર અને શત્રુંજય તીર્થની બે વાર ૧૦૮ યાત્રાઓ પણ કરી છે. તેઓશ્રીની પ્રેરણાના પરિણામસ્વરૂપ શ્રી આર્યરક્ષિત જૈન શ્વેતાંબર તીર્થ પ્રાચીન દંતાણી તીર્થનો ઉદ્ધાર થયો. સં. ૨૦૪૧માં શિખરજી તીર્થમાં ભ. મહાવીરદેવની જન્મભૂમિ ક્ષત્રિયકુંડ તીર્થના નિર્ણય માટે અખિલ ભારતીય વિદ્વદ્ સંમેલનમાં વિદ્વાનોએ એમને ‘સાહિત્યદિવાકર' નું બિરુદ અર્પણ કર્યું. સં. ૨૦૪૧માં અમદાવાદમાં ચાતુર્માસ રહી, તેમણે ઘણા પ્રાચીન ભંડારોમાંથી ગચ્છની વિરલ હસ્તપ્રતો મેળવી તેના ઉદ્ધારનું મહાન કાર્ય કર્યું. અમદાવાદ ચાતુર્માસની ફલશ્રુતિ રૂપે ત્યાં ગચ્છના વિશાળ ઉપાશ્રયનું સર્જન થયું. ગુજરાત, મારવાડ, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, મુંબઈ, યુ.પી., એમ.પી. કચ્છ જેવા અનેક રાજ્યોમાં ઉગ્ર વિહારે વિચરી અનેરી શાસન પ્રભાવના કરી છે.
સં. ૨૦૪૩માં કચ્છથી ગુરુદેવની આજ્ઞા આવતાં મુંબઈથી ઉગ્ર વિહાર કરી માત્ર ૪૦ દિવસમાં ભીનમાલ–(રાજસ્થાન) અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે પધાર્યા. સં. ૨૦૪૪-માં ગુરુદેવના શુભ હસ્તે બાડમેરમાં પોષ વદ ૧૩ના દિવસે ઉપાધ્યાયપદ અને એક મહિના પછી, સં. ૨૦૪૪ના મહા વદ ૧૨ના દિવસે શ્રી આર્યરક્ષિત દંતાણી તીર્થ (રાજસ્થાન) માં પ્રતિષ્ઠા પ્રસંગે નવકાર મહામંત્રના તૃતીયપદ આચાર્યપદે બિરાજમાન થયા. તેઓશ્રીના વિહારોથી–પ્રેરણાથી રાજસ્થાન-મેવાડ-માલવામાં ગચ્છમાં જાગૃતિ આવી; તેથી તેઓશ્રી ‘રાજસ્થાન-દીપક' તરીકે પણ ઓળખાયા છે. સં. ૨૦૪૪માં મુંબઈ પધારેલા અચલગચ્છાધિપતિ પૂ.આ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ.સા.ની બિયત એકાએક કથળતાં નૂતન યુવાચાર્યશ્રી ઉગ્ર વિહાર કરી મુંબઈ પધાર્યા અને અંતિમ મહિનાઓમાં ગુરુદેવશ્રીની સેવાભક્તિનો અપૂર્વ લહાવો લીધો. આમ, પૂજ્ય ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધા-ભક્તિના પ્રભાવે હાલ તેઓશ્રી ૫૪ વર્ષની યુવાવયમાં અનેક અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ મહોત્સવો, તીર્થોદ્ધાર, છ'રીપાલિત સંઘો, ૨૦૪૭માં શત્રુંજય તીર્થમાં ૧૦૦ યાત્રિકોની અજોડ ૯૯ યાત્રાસંઘ તેમ જ રત્નત્રયવર્ધક શુભ પ્રવૃત્તિઓ દ્વારા જૈનશાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. તાજેતરમાં તેઓશ્રીની પ્રેરણાથી દંતાણી તીર્થ વીશ વિહરમાન મહાવિદેહધામ અને ગુરુ ગુણની જન્મદીક્ષાભૂમિ કચ્છ દેસીયાના હાઈવે પર સમેતશીખરાવતાર તીર્થ ગુણપાર્શ્વતીર્થધામ નિર્માણ પામ્યાં છે. મુંબઈ આદિ સ્થળોમાં ઉપાશ્રયોનાં નિર્માણ, શંખેશ્વર તીર્થમાં અચલગચ્છ કચ્છી ભવન ધર્મશાળા, ડોંબીવલીમાં સાધારણ ખાતાની સદ્ધરતા માટે વિરાટ કલ્પતરુ સાધારણ ફંડ યોજના
For Private & Personal Use Only
www.jainelibrary.org