________________
શાશ્વત સૌરભ ભાગ-૧
રચનાત્મક કાર્યો કરાવી તેઓ જન-જનની શ્રદ્ધાના કેન્દ્ર બની ગયા. ૧૯ વર્ષોથી નિર્માણાધીન શ્રી ચિંકાર મહાતીર્થનું નિર્માણ એમના પ્રભાવે દ્રુત ગતિએ ફરી શરૂ થયું. એની ઐતિહાસિક અંજનશલાકા-પ્રતિષ્ઠા વખતે લુધિયાણાથી ૮૦૦ યાત્રી સ્પેશ્યલ યાત્રા-ટ્રેન લઈ પહોંચ્યા હતા. આ વિશેષ અવસરે તીર્થ ટ્રસ્ટ દ્વારા એમને 'શાસન-દિવાકર' પદથી સુશોભિત કરવામાં
આવ્યા.
આ.ભ. શ્રીમદ્ વિજય જનચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના આદેશથી તેમણે પંજાબ કેસરી જૈનાચાર્ય શ્રીમદ વિજય વલ્લભ સૂરીશ્વરજી મ.સા.ની સ્વર્ગારોહણ અર્ધશતાબ્દી રાષ્ટ્રીય સ્તરે ઉજવવા માટે તત્કાલ દક્ષિણ ભારતથી દિલ્હી પહોંચી મહોત્સવને ઐતિહાસિક રૂપ આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
દિલ્હીના વલ્લભ સ્મારકની પુણ્યધરા પર સમુદાયવડીલના આશીર્વાદ અને દેશના લગભગ પ્રત્યેક સંઘ, મહાસભા તથા મહાસંઘની આગહભરી વિનંતીથી એમણે સમુદાયની લગામ હાથમાં લીધી અને શ્રી આત્મવામ-સમુદ્ર-ઇન્દ્રદિન પપરંપરાના તેઓ ક્રમિક પરંધર બન્યા. પછી સમાના ચાતુર્માસમાં ચતુર્વિધ સંઘે એમને ગચ્છાધિપતિ પદથી વિભૂષિત કર્યા.
મુનિ હતા ત્યારથી તેઓ વોવૃદ્ધ મુનિજનો પ્રત્યે વિનય, સેવા અને સમ્માનની ભાવના રાખતા. બચપણમાં શ્રી વલ્લભદત્ત વિજયજી મ.સા. અસ્વસ્થ્ય થયા ત્યારે એમણે અનુપમ સેવા કરી. સાયરામાં પં. પ્રવર શ્રી જયંત વિજયજી મ.સા.ના અભિનંદન સમારોહ તથા ઇડરમાં સમુદાયના વડીલોના ૮૧મા જન્મોત્સવનું ભવ્ય આયોજન કરી એમના કાળધર્મ પામ્યા બાદ મંદિર–નિર્માણ, પ્રતિષ્ઠા વગેરે કાર્યો સંપન્ન કરાવતાં એમનું વ્યક્તિત્વ નીખરી ઊઠ્યું. કચ્છમાં શ્રી પાર્શ્વ-વલ્લમઇન્દ્રધામની અંજનશલાકા પ્રતિષ્ઠા વખતે આ.ભ. શ્રી વિજયવસંત સૂરીજી મ.સા.ને 'તપ-ચક્રવર્તી', વર્ષોવૃદ્ધા સાથી જતશ્રીજી મ.સા.ને શાસનતિકા' અલંકરણ પ્રદાન કરીને તથા અમદાવાદમાં સાધ્વીશ્રી સુજ્ઞાન શ્રી મ.સા. તથા સાધ્વી સુબુદ્ધિશ્રીજી મ.સા.ના ૮૧મા જન્મદિન તથા દીર્ઘ સંયમપર્યાયની અનુમોદનાર્થે મહામહોત્સવ ઊજવી વડીલો પ્રત્યે પોતાનું કર્તવ્ય નિભાવ્યું. ઇડરમાં સમુદાય વડીલે શાલ ઓઢાડી વાસક્ષેપ આપી આશીર્વાદ આપ્યા તે અવિસ્મરણીય ઘટના છે. મુનિ શ્રી લક્ષ્મીચંદ્ર વિજયજી મ.સા.ને ‘આદર્શ ગુરુચરણ સેવી’, મુનિ શ્રી ધર્મરત્ન વિજયજી મ.સા.ને ‘નિઃસ્પૃહસેવાશીલ’ પદથી વિભૂષિત કરવામાં એમનો વાત્સલ્યભાવ પ્રગટ થાય છે. એમના
Jain Education International
૫૩૯
ત્રણે શિષ્યો તત્ત્વચિંતક મુનિશ્રી ચિદાનંદ વિજયજી મ.સા., સંગઠન પ્રેમી મુનિ શ્રી દિવ્યાનંદ વિજયજી મ.સા. તથા વિદ્યાનુરાગી મુનિશ્રી મોક્ષાનંદ વિજયજી મ.સા. એમના આશીર્વાદથી સ્વ-પર-કલ્યાણમાં તલ્લીન છે.
ભક્તોની અડધી થયા તો એમની મધુર વાણીથી જ દૂર થઈ જાય છે. સહવતી મુનિઓ, આચાર્યોની તેઓ મુક્ત કંઠે પ્રશંસા કરે છે. જેતપુરામાં શ્રી આત્મવલ્લમ સમુદાયના કેન્દ્ર શ્રી વિજયવલ્લભસાધના–કેન્દ્રના નિર્માણની પ્રેરણા આપી પૂર્વવર્તી ગુરુદેવો પ્રત્યે એમમે સમર્પણભાવ પ્રગટ કર્યો છે.
લાતુર અને ભૂજના ભૂકંપ, કારગીલ યુદ્ધ, સુનામી વિભિષિકા વખતે આર્થિક સહયોગની અપીલ દ્વારા નવા સ્વદેશી ખાદી ધારણ કરી રાષ્ટ્રપ્રેમ એમણે વ્યક્ત કર્યો છે.
શ્રી વિજયાનંદસૂરિ વિદ્યાપીઠ-નાગૌર, શ્રી આત્મવલ્લભ જૈન કન્યા મહાવિદ્યાલય-શ્રી ગંગાનગર, શ્રી વિજયવલ્લભ સ્કૂલ-કડિયાલા, ગુરુ શ્રી આત્મવલ્લભ જૈન ચી.સૈ. સ્કૂલસુનામ, જૈનાચાર્ય શ્રી વિજય ઇન્દ્રદિન્નસૂરિ કે.જી. સ્કૂલબોડેલી, શ્રી વિજય વલ્લભ વિદ્યાવિહાર–અમદાવાદ વગેરે સંસ્થાઓ દ્વારા એમનો શિક્ષણ-પ્રેમ વ્યક્ત થાય છે. જૈન ધર્મના વિભિન્ન વિષયો પર એમના ૩૫થી વધારે પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.
તેઓ શ્રી જીવનનું સુવર્ણજયંતી વર્ષ (૫૦મું વર્ષ) પસાર કરી રહ્યા છે. તે નિમિત્તે સાધુ ભગવંતો, શ્રમણ-શ્રમણીઓ તથા પૂજ્ય માતાજી મહારાજની શુભ ભાવનાઓ એમને પ્રાપ્ત થઈ છે. ગુરુ વલ્લભનું સ્વપ્ન જૈન યુનિવર્સિટી” એમના સાકાર થાય તેવી શુભકામનાઓ સમગ્ર દેશના શ્રી સંઘો એમને પાઠવી રહ્યા છે. સૌજ્જ છે એ ધર્મનાર-ચાર્જના જેન જે દેવસ્થાન ટ્રસ્ટ, ફાલના (રાજ.)
-
૫.પૂ. આ.શ્રી વિનયસેન સૂરીશ્વરજી
મ.સા.
પૂજ્યશ્રી ગુજરાતના દીક્ષાની ખાણી સમા વડોદરા નજીકના છાણી તીર્થના સુશ્રાવક પિતાશ્રી સોમચંદભાઈ ગિરધરદાસ શાહના લાડકવાયા, માતા કમલાબહેનના દુલારા કિરીટભાઈ નામથી પ્રસિદ્ઘ પૂ.આ. શ્રી કરસૂરીજી મ.સા. તથા (સંસારી મામા) પૂ. આ. શ્રી પુણ્યાનંદ સુરીજી મ.સા.નું સાંનિધ્ય મળતાં વૈરાગ્ય ભાવ પ્રગટ થયા અને મહારાષ્ટ્રના
For Private & Personal Use Only
www.jainelibrary.org