________________
૫૪૦
ધન્ય ધરા:
નાગપુર નગરે ઉપધાન તપ માલારોપણ પ્રસંગે ૨૦૨૧ પોષ સુદ-૧૫ના દીક્ષા ગ્રહણ કરેલ અને પૂ. મરાઠાવાડા દેશોદ્ધારક પૂ.આ. શ્રી વારિષેણ સૂરીશ્વરજી મ.ના પટ્ટધર શિષ્ય રત્ન તરીકે પ્રસિદ્ધ થયેલ, જેઓશ્રીના સંસારીબંધુ છે. વડી દીક્ષા ૨૦૧૧ના વૈશાખ સુદ-૬ સંગમરમાં પૂ.આ. શ્રી ભુવનતિલક સૂરીશ્વરજી મ.ના હસ્તે પૂ.આ. વિક્રમ સૂરીશ્વરજી, પૂ. આ. જયંતસૂરીજી મ.ની આચાર્યપદવી પ્રસંગે થયેલ.
ગણિ પદવી પચાસ પદ મહા વદી-૩ ૨૦૧૧ના ૐકાર તીર્થમાં, અંજનપ્રતિષ્ઠા પૂ. આ. શ્રી પુણ્યાનંદસૂરીજી, પૂ.આ. વારિણ સૂરી મ.સા.ના હસ્તે થયેલ. પૂજય વારિસ સૂરીજી મ.સા. કરકમલો દ્વારા મહાવીરધામ કર્નલ આંધિ પ્રવેશે અંજનપ્રતિષ્ઠા પ્રસંગે આચાર્યપદવી વિભૂષિત કરેલ. ગુજરાત, મહારાષ્ટ્ર, આ%, કર્નાટક, બંગાળ, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, તામિલનાડુ આદિ દેશોમાં વિચરેલ. ૪૪ ચાતુર્માસ કરેલ છે. અનેક શાસનપ્રભાવના સાથે વર્ષીતપ, ૫૦૦ આયંબિલ, ૬૬ અટ્ટમ, અઠ્ઠાઈ, વર્ધમાન ઓળી, નવપદ ઓળી આદિ તપસ્યા કરેલ છે. પૂજ્યશ્રીના શિષ્ય પ્રવર્તક શ્રી વજસેન વિ. પ્રશિષ્ય પ્રવચનકાર મુનિશ્રી વલ્લભસેન વિ.મ.સા. (સંસારીભાઈ) સાથે ઉગ્ર વિહાર કરે છે. તેઓશ્રીની ૧ ભત્રીજીએ દીક્ષા ગ્રહણ કરેલ છે, જે સાધ્વી પાવનયશાશ્રીજી મ. નામે શાસનપ્રભાવના કરી રહ્યા છે. પૂજય મુનિશ્રી વિરાગસેન વિજયજી મ.સા. તેઓશ્રીના સંસારીભાઈ હતા. તપ, ત્યાગ, જાપધ્યાન આદિ દ્વારા આરાધના કરી રહ્યા છે.
સૌજન્ય : શ્રી જૈન છે. મૂ. સંધ- કરેલી સરાક સમાજમાં પ્રથમ આચાર્ય પ.પૂ.આ. શ્રી ચંદ્રશેખરસાગરસૂરિજી
મહારાજ બિહાર અને બંગાળમાં આજે “સરાક' જાતિની લગભગ ત્રણ લાખની વસ્તી છે. ભગવાન પાર્શ્વનાથના સમયમાં આ જાતિના પૂર્વજો જૈનધર્મી શ્રાવકો હતા. કાળબળે તેઓનો જૈનધર્મ સાથેનો સંબંધ વિચ્છેદ પામ્યો, છતાં તેમનામાં શાકાહારીપણાના સંસ્કારો આજે પણ ટકી રહ્યા છે. આજે તેઓ “શ્રાવકને બદલે ‘સરાક
જાતિથી ઓળખાય છે. છેલ્લા ચાર-પાંચ દાયકાથી આ ‘સરાક’ જાતિને તેઓના મૂળ ધર્મની જાણ અને સમજ આપવાના ઉદ્દેશથી અનેક પૂજ્ય સાધુભગવંતો દ્વારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે અને તેના પરિણામે તેઓ સારી એવી સંખ્યામાં પોતાનો અસલ જૈનધર્મ અંગીકાર કરી શ્રદ્ધાસંપન્ન બની રહ્યા છે. એટલું જ નહીં, કેટલાકે ચારિત્રધર્મનો સ્વીકાર પણ કર્યો છે. તેમાંના એક છે, પૂ. આચાર્ય શ્રી ચંદ્રશેખરસાગરસૂરિજી મહારાજ તેમનો જન્મ બિહારના ધનબાદ જિલ્લાના બેલટ ગામે સં. ૨૦૦૯ના વૈશાખ સુદ ૭ના દિવસે થયો. બાલ્યવયમાં શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો અને પૂજ્ય શ્રમણભગવંતોના સમાગમમાં આવતાં વૈરાગ્યનો રંગ લાગ્યો અને માત્ર ૧૪ વર્ષની કુમારવયે સં. ૨૦૨૩ના જેઠ વદ ૭ના શુભ દિને, કપડવંજ મુકામે દીક્ષા અંગીકાર કરી પૂજયપાદ આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય અને સરાક જાતિના ઉદ્ધાર માટે કાર્યરત પૂ. આ. શ્રી યશોભદ્રસાગરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી ચંદ્રશેખરસાગરજી નામે જાહેર થયા.
પૂજ્યશ્રી દીક્ષા બાદ સંયમની સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર આગળ વધતાં, તેમને સં. ૨૦૪૨ના ચૈત્ર સુદ પાંચમને દિવસે પાલિતાણાની પાવન ભૂમિમાં ગણિપદથી અને સં. ૨૦૪૭ના વૈશાખ સુદ ૧૦ના દિવસે માળવાના બડૌદ નગરે પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂજ્ય પંન્યાસશ્રી ચંદ્રશેખરસાગરજી મહારાજના બે શિષ્યો મુનિશ્રી વિશ્વશેખરસાગરજી અને મુનિશ્રી દિવ્યશેખરસાગરજી પણ ‘સરાક' જાતિમાંથી આવેલ છે. પૂજ્ય પંન્યાસશ્રી “સરાક' જાતિ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાવંત અને ક્રિયાશીલ બને તે માટે સારો એવો પ્રયત્ન કરી રહ્યા છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી એ ક્ષેત્રોનાં અનેક ગામોમાં દેરાસર, ઉપાશ્રય, પાઠશાળાઓ વગેરે સ્થપાયાં છે. અને એ કાર્ય ઉત્તરોત્તર આગળ વધી રહ્યું છે. પૂજ્યશ્રી દ્વારા આવાં કાર્યોમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પ્રગતિ થતી રહો એવી અભ્યર્થના સાથે પૂજ્યશ્રીનાં ચરણોમાં કોટિ કોટિ વંદના!
પૂજયશ્રીના શાસનપ્રભાવનાના મહત્ત્વનાં આયોજનોમાં કલકત્તામાં શ્રી સંઘના સહયોગથી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ શાનદાર રીતે સંપન્ન થયો. - પૂજ્યશ્રી ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ આદિ પ્રદેશોમાં વિચરણ કરતાં રહીને દીક્ષા મહોત્સવો, છ'રીપાલિત સંઘો, પ્રતિષ્ઠા, અંજનશલાકા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org