________________
૫૩૮
ધર્મપરાયણા પત્ની શ્રીમતી રાજરાનીની કુક્ષિએ તેઓશ્રીનો જન્મ થયો. અનિલ, સુનીલ તથા પ્રવીણ ત્રણેય પુત્રોથી પોતાનો ભાગ્યભંડાર ભરેલો જોઈ માતાપિતા અપાર ખુશ થતાં. મહાતીર્થ હસ્તિનાપુરીજીમાં માતાનાં હાલરડાંની સાથે સત્સંસ્કારોનું પણ સંવર્ધન થવા લાગ્યું. પિતાના પ્રેમસભર અનુશાસનમાં જીવનઘડતરનો આરંભ થયો. તીવ્ર બુદ્ધિ, મધુર વાણી સાથે વડીલો પ્રત્યે વિનમ્રતાના ગુણના કારણે તેઓ સૌના પ્રિય પાત્ર બન્યા. પિતાજીનું હૃદય દૃઢ રાષ્ટ્રભક્તિથી સભર હતું તો સાથે સાથે સંસાર પ્રતિ વિરક્તિનો ભાવ એમને સંન્યસ્ત જીવન જીવવા માટે આકર્ષી રહ્યો હતો.
માતા-પિતાના ધર્મસંસ્કારોનું અમૃત પીનાર ત્રણેય બાળકોને સંસારની વિલાસિતાની ચમકદમક પ્રભાવિત ન કરી શકી. પરિવારમાં દીક્ષાની વાત નીકળતાં બંને મોટાભાઈઓની વાતને સમર્થન આપતાં એમણે કહ્યું : “અમે નાના હોવા છતાં સંયમ પાલનમાં શૂરવીર સાબિત થશે.” પુત્રોની પ્રબળ ભાવના સમજી સં. ૨૦૨૪ના માગશર સુદી દશમને દિવસે માત્ર નવ વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના બડૌત શહેરમાં જિનશાસનરત્ન, શાંત તપોમૂર્તિ, રાષ્ટ્રસંત આ.ભ. શ્રીમદ્ વિજય સમુદ્ર સૂરીશ્વરજી મ.સા.નાં કર કમળોએ માતાપિતા, ત્રણે ભાઈઓ અને બાબાજી—કુલ છ સભ્યોએ એક સાથે ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સ્વ-પર-કલ્યાણાર્થ જીવન સમર્પિત કર્યું. ગુરુ સમુદ્રએ મુનિશ્રી નિત્યાનંદવિજય નામ આપી સંસારી પિતા મુનિ શ્રી અનેકાંત વિજયજી મ.સા.ના શિષ્ય ઘોષિત કર્યા.
ગુરુ સમુદ્રની છત્રછાયામાં બાલ મુનિઓનો સર્વાંગી વિકાસનો આરંભ થયો. એમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય સહિત જૈનાગમોનુ તલસ્પર્શી અધ્યયન કર્યું. બાળવયમાં જ પ્રવચન-પ્રવિણતા પ્રાપ્ત કરી તેઓએ ગુરુ સમુદ્રના પત્ર વ્યવહારનો સંપૂર્ણ ભાર ઉપાડી લીધો અને તેર વર્ષની ઉંમરથી જ ગુર્વાશાથી વિવિધ વિવાદોના નિર્ણય આપવા લાગ્યા. દસ વર્ષ સુધી તેમણે આ જવાબદારી નિભાવી. મુનિ શ્રી અનેકાંત વિજયજી તો મૌનપૂર્વક લાંબી લાંબી તપસ્યામાં લીન થઈ ગયા અને માત્ર ત્રણ વર્ષના સંયમ પર્યાયમાં કાળધર્મ પામ્યા. ગુરુ સમુદ્ર અસ્વસ્થ થતાં બાલમુનિઓની સંભાળની જવાબદારી એમણે પૂ. ગણિવર્ય શ્રી જનક વિજય મ.સા.ને સોંપી. એમની અસીમ કૃપા અને પ્રશિક્ષણથી તેમનું વ્યક્તિત્વ વધુ ને વધુ વિકસતું રહ્યું.
ગુરુવર્ય ઇન્દ્રના અંગત સચિવ મુખ્ય સલાહકાર તરીકે
Jain Education International
ધન્ય ધરા
વર્ષો સુધી કામ કરી અનેક સમુદાય-વિકાસનાં કાર્યો કર્યાં. એમની નિર્ણયશક્તિ, વિનયવિવેક, શાસનસેવાની ઉત્કંઠાથી પ્રભાવિત થઈ પરમાર ક્ષત્રિયોદ્ધારક ચારિત્ર ચૂડામણિ આ.ભ. શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મ.સા.એ એમને વિ.સં. ૨૦૪૪માં ઠાણામાં ગણિ પદવી, વિ.સં. ૨૦૪૭માં વિજય વલ્લભ સ્મારક, દિલ્હીમાં પંન્યાસ પદવી થા વિ.સં. ૨૦૫૦માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયતીર્થ-પાલિતાણામાં આચાર્ય પદવીથી વિભૂષિત કરતાં ઉત્તર ભારતીય ક્ષેત્રોની દેખરેખની જવાબદારી સોંપી.
જાલના (મહારાષ્ટ્ર)ના બે ફિરકાઓનો વિવાદ એમણે માર્મિક પ્રવચનો દ્વારા ઉકેલ્યો અને દ્વેષના દાવાનળને પ્રેમગંગાથી બુઝાવી નાખ્યો. પરિણામે સકળ સંઘે તેમને ‘શાંતિદૂત’ પદથી અલંકૃત કર્યા. ગંગાનગરમાં આત્મવલ્લભ કન્યા મહાવિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી નારી–ઉત્કર્ષનું કામ કર્યું. તેથી સકળ સંઘે ‘શિક્ષા-સંત' પદથી વિભૂષિત કર્યા. પીલીબંગા, હનુમાનગઢ, સૂરતગઢ, નોહર ભાદરા વગેરે ક્ષેત્રોમાં મંદિરોના જીર્ણોદ્ધારનાં કરેલાં અગણિત કાર્યોના કારણે ‘જીર્ણોદ્ધારપ્રેરક’ પદથી તેમને અલંકૃત કરાવ્યા. ખૌડ, ચાતુર્માસ દરમ્યાન ૩૬ કોમનાં અગ્રગણ્ય લોકોએ ‘જ્ઞાનગંગા ભગીરથ’ પદથી તથા તીર્થ, મંદિર અને ધર્મ-સાધના કેન્દ્રોના જીર્ણોદ્ધાર-કાર્યના પરિણામે ૧૯ કલ્યાણકોની ભૂમિ અયોધ્યા તીર્થ-સકળ શ્રી સંઘ દ્વારા ‘કલ્યાણક તીર્થોદ્ધારક' પદથી અને ગોટવાડ ક્ષેત્રના લાટાડા ગામમાં સંક્રાંતિ કાર્યક્રમમાં સ્થાનકવાસી સંપ્રદાયના સંત શ્રી રૂપ મુનિજી મ.સા.એ એમને શાલ ઓઢાડી ‘પંજાબ માર્તંડ’ પદથી સમ્માનિત કર્યા.
શ્રીમદ્ નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા.ના અભિનંદનીય ગુણોથી આકર્ષાઈ દિગંબરાચાર્ય શ્રી પુષ્પદંત સાગરજી મહારાજે પોતે ઉપાશ્રયે આવી વિવિધ વિષયો પર વિચારવિનિમય કર્યો. શ્રી આત્મવલ્લભ-સમુદ્રઈન્દ્રિકા પાટપરંપરાના તેઓ એવો પ્રથમ આચાર્ય હતા કે તેમણે કોલકાત્તામાં ચાતુર્માસ કરી જિનશાસન–પ્રભાવનાનો સુવર્ણ ઇતિહાસ રચ્યો. સમેત શિખર મહાતીર્થમાં એમણે શ્રી જૈન શ્વે. તપાગચ્છ-દાદાવાડી, રામપુરમાં શ્રી આત્મવલ્લભ જૈનભવન વગેરે જિન–શાસન– પ્રભાવનાનાં કાર્યો કરાવ્યાં.
દક્ષિણ ભારત પ્રવાસનાં બે વર્ષો દરમ્યાન પૂ. ગુરુદેવોની યશ-પતાકા લહેરાવવાની સાથે લોક-કલ્યાણ, સાધર્મિક ઉત્કર્ષ, જીવદયા, જિનશાસન અને પરોપકારનાં લગભગ ૧૦૦ કરોડનાં
For Private & Personal Use Only
www.jainelibrary.org