SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ . શાશ્વત સૌરભ ભાગ-૧ ગિરિરાજની યાત્રા માટે પાલિતાણા આવેક એક સુશ્રાવકની સલાહમાત્રથી માત્ર ધાર્મિક અભ્યાસનો લક્ષ્ય બનાવી આજ થી ૭૦ વર્ષ પહેલાં મહેસાણા સંસ્કૃત પાઠશાળામાં ૧૯ વર્ષની ઉંમરે રતનચંદભાઈએ પ્રવેશ કર્યો. ભાવીમાં શુભ ઉદય થવાનો હોય ત્યારે જ શુભ સ્થળે જવાનું મન થાય. ધાર્મિક અભ્યાસ કરતાંકરતાં પોતાનું દિલ વૈરાગ્યવાસિત બન્યું. બલજબરીથી ઘેર લાવવા છતાં પોતાનો સમય ધાર્મિક અભ્યાસ કરાવવામાં પસાર કરવા લાગ્યા. માત્ર એક જ વખત ભોજન કરીને સંતોષ માનીને મૌન રાખતા. આવી શુદ્ધ અને કઠોર સાધ॰આ દેખી પરિવારજનોને ઝૂકવું પડ્યું. પરંતુ મોહનાં કારણે રજા નહિ આપી. ત્યારે પોતાનાં મામા (આ. રત્નાકરસૂરિનાં દાદા) પાસે ભાડુ લઈ મહેસાણા પહોંચ્યા. ભાવના સારી હોય તો સદ્ગુરુનો સંયોગ મળી જાય. મુનિતિલકવિજયજી (ભાભરસમુદાયનાં)નો સંયોગ મળ્યો. એમની પાસે સંયમ સ્વીકાર્યો. ત્યાગી ગુરુને પ્રાપ્ત કરી મન મોરલો નાચી ઉઠ્યો. પરંતુ કુદરતને આ મંજૂર ન હતું. માત્ર પાંચ વર્ષના પર્યાયમાં ગુરુનું છત્ર ખોવું પડ્યું. ત્રણ રત્નની ત્રણ કરણ વડે સાધના કરતા સંયમ જીવનમાં ઓતપ્રોત બન્યાં. ગચ્છનાયક આ. શાંતિચંદ્રસૂરિજીનાં હસ્તે વિ.સં. ૨૦૧૫માં ભાભરનગરમાં પંન્યાસપદથી વિભૂષિત બન્યા અને નવાક્ષેત્રમાં શાસન પ્રભાવનાનાં કારણે ગુજરાત છોડી મહારાષ્ટ્રમાં અનેકવિધ કષ્ટો સહન કરી શાસનનાં કાર્યો કરાવ્યા. વિશિષ્ટ યોગ્યતા મળી સામેથી આજ્ઞા આપી વિ.સં. ૨૦૨૯માં સાંગલી મુકામે આચાર્ય પદવીથી અલંકૃત કરાવ્યા. વ્યક્તિનો ચારે બાજુથી શુભોદય જાગે ત્યારે ક્યાંકથી અશુભોદય જાગે. (કર્નાટક) બીજાપુરમાં ચાતુર્માસ મધ્યે મ.સા.ની બિમારી થતાં ડોક્ટરોને બતાવતા કેંસરની બિમારી નીકળી. ડોક્ટરોએ કહ્યું કે તાત્કાલિક મુંબઈ લઈ જવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. આવી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જીવનાં ચારિત્રાચારને ભાર આપી શ્રાવકગણની આજીજીને નકારી કાઢી. કોઈપણ પ્રકારના યંત્રનો ઉપયોગ કર્યા વિના વડીલોની આજ્ઞા મંગાવી ડોળીનો ઉપયોગ કરી મીરજ મુકામે ગયા. ડોક્ટરોએ પમ ઓપરેશન કરી સફળતા મેળવી. ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈ આવ્યા ત્યારે હાર્ટનો હુમલો થયો. વારંવાર વ્યાધિ આવવા છતાં સમતા રાખી સંયમ જીવનમાં અડગ રહેતા હતાં. હાર્ટના હુમલા વખતે ભક્તવર્ગ એમ્યુલન્સ લાવી ખડેપગે હાજર હોવા છતાં હાથના ઇશારાથી ના પાડી દીધી. ઉપાશ્રયમાં જ બધી વ્યવસ્થા કરાવી ચારિત્રાચારનાં ભાવથી જીવલેણ બિમારીથી ઉગરી ગયા. વ્યાધિની સામે વૈરાગ્યનાં શસ્ત્રથી ઝઝુમી આખરે જીત મેળવી. Jain Education Intemational ૫૩૦ “જ્ઞાનાભ્યાસ એ સાધુનો પ્રાણ છે” એ વાક્ય એમના મનમાં એવું ઘર કરી ગયું કે છેલ્લી ઉંમર સુધી અવનવા ચૈત્યવંદન - સ્તુતિ આદિ કંઠસ્થ કરતાં ગયાં. ડોળીમાં બેઠા બેઠા પણ અરિહંતપદનો જાપ કરતા. વાપતા પૂર્વે અરિહંતપદનો જાપ કરી પછી જ વાપરતા. કલ્પસૂત્ર ઉપર સં. લઘુટીકા, આવશ્યક નિર્યુક્તિ દીવિકા ભાષાંતર, શ્રાદ્ધવિધિનું ભાષાંતર, પ્રબંધ પંચશતી આદિ ગ્રંથોનું કાર્ય કરેલ. શત શત વંદન હો આવા મહાપુરુષ.... મને એક વાત યાદ આવે છે કે જ્યારે ગૃહસ્થપણામાં હું એમની પાસે પાઠ કરવા જતો ત્યારે મારા કરતા પહેલાં આસન પાથરી બેસી જતાં.પોતાના જીવનના છેલ્લા દિવસ સુધી જ્ઞાનાભ્યાસ કરાવ્યો અને બીજા દિવસે સવારે ચંડીસર-પાલનપુર વચ્ચે અકસ્માતથી ડોળી ફેંકાઈ ગઈ. ડોળવાળા પડી ગયા. અંતે પાલનપુર હોસ્પિટલમાં સ્વર્ગવાસી બન્યા. આવા અરિહંતનાં અણગાર...જિનશાસનનાં શણગાર....કોટિ કોટિ વંદના... છે સૌજન્ય : પૂ. મુનિ શ્રી રત્નજ્યોતિવિજયજી મ.સા.ની પ્રેરણાથી શા કાન્તિલાલ દેવાજી - કીરાણી પરિવાર માલવાડા શાંતિદૂત જૈનાચાર્ય પ.પૂ.શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરીશ્વજી મ.સા. વિશ્વમાં સર્વત્ર શાંતિ, સદ્ભાવ, સહયોગ, સૌહાર્દના સમર્થક, રાષ્ટ્રીય વિચારધારાઓમાં આધ્યાત્મિક અભિવ્યક્તિના પ્રખર પ્રવક્તા, આત્મ વલ્લભ દર્શનને આચરણ દ્વારા ચરિતાર્થ કરી ભૌતિકવાદના ત્રાસમાં સર્વત્ર સર્વધર્મ સદ્ભાવ રાખી સર્વજન કલ્યાણ માટે ચેતના અને વિકાસનો શંખનાદ કરનારા, જિનશાસનમાં અગણિત કાર્યો શાંતિ અને સરળતાથી પૂર્ણ કરનારા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા.ના અસાધારણ વ્યક્તિત્વથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. ભારતની રાજધાની દિલ્હીમાં શ્રી ચીમનલાલજી જૈનનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy