SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૫૧૫ ધર્મકાર્યપ્રવકિ પુણ્ય પુરુષો જૈનશાસનની વર્તમાનની જાહોજલાલીના મૂળમાં તે તે સમયે થયેલા બહુશ્રુત આચાર્યભગવંતોની કર્તવ્યનિષ્ઠાનો અને શાસનપ્રભાવનાનાં કાર્યોનો ફાળો મહત્ત્વનો છે. અરિહંત પરમાત્મા પછી, જગતના જીવો પર ઉપકાર કરવાની દૃષ્ટિએ, આચાર્યભગવંતોનું પ્રદાન મોખરે છે. જૈનશાસનની સેવા, રક્ષા અને પ્રભાવના માટે જ જેમણે અવતાર લીધો હોય તેવા અનેક શ્રમણભગવંતોની અજોડ વિદ્વત્તા, અદ્ભુત ગ્રંથરચના અને મહાન શાસનપ્રભાવનાથી આપણો ઇતિહાસ ઉજ્વળ છે. પ્રતિભાશાળી : બાલબ્રહ્મચારી પૂ. આ.શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા. | ગુજરાતના ઉત્તર વિભાગમાં નાનકડું ગામ કુવાલા. ગામમાં ધર્મસમ્મુખ રહેતા સવજીભાઈ અને દલીબાઈને સં. ૧૯૫૦ના કારતક સુદ બીજને દિવસે એક યશસ્વી પુત્ર–યુગલની પ્રાપ્તિ થઈ. મોટા પુત્રનું નામ સીરચંદ અને નાના પુત્રનું નામ રૂપચંદ રાખવામાં આવ્યું. બંને બાળકો તેજસ્વી હતાં અને તેમનામાં સુયોગ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું. કાળક્રમે માતાપિતાના સ્વર્ગવાસે ભાઈ સીરચંદને યુવાનીના ઉંબરે આવતાં રંગરાગના વાતાવરણથી દૂર રહી, ત્યાગ અને વૈરાગ્યના પંથે વિચરવાનાં અરમાનો જાગવાં લાગ્યાં. એવામાં મહાન ધુરંધર, જ્યોતિષશાસ્ત્રના પ્રકાંડ પંડિત પૂજ્ય પંચાસજી શ્રી ધર્મવિજયજી મહારાજનો સંપર્ક થયો અને અંતરમાં પ્રગટેલી વૈરાગ્યજ્યોત વધુ પ્રજ્વલિત થઈ. સં. ૧૯૬૯ના પોષ વદ ૧૦ના શુભ દિવસે પાટણ શહેરમાં ભવ્ય મહોત્સવપૂર્વક, પરિવારની અનુમતિ પ્રાપ્ત કરી, સૌ કોઈના લાડીલા સીરચંદે સાપ કાંચળી ઉતારે તેમ સંસારનાં સ્નેહસંબંધોનો ત્યાગ કરી સંયમજીવનનો સ્વીકાર કર્યો. ભાઈ સીરચંદ મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા. થોડા સમય બાદ નાનાભાઈ રૂપચંદને પણ સંયમપંથે વાળી દીક્ષા આપી, તેમને મુનિશ્રી રવિવિજયજી નામે ઘોષિત કર્યા. પૂર્વની પ્રબળ આરાધના, ગુરુજનોની સેવા અને જ્ઞાન ધ્યાનની અપૂર્વ લગનથી ઘણા ટૂંકા સમયમાં વ્યાકરણ, ન્યાય, કાવ્ય અને જુદાંજુદાં શાસ્ત્રોના અધ્યયન સાથે, ધાર્મિક તત્ત્વ-જ્ઞાનનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી, જૈનસમાજમાં એક તપસ્વી મુનિ રૂપે શ્રી સુરેન્દ્રવિજયજી મહારાજની ઉત્કૃષ્ટ પ્રતિભા જોતાં, પૂ. ગુરુદેવશ્રીએ અનેક શહેરોના સંઘોની આગ્રહભરી વિનંતીથી ડહેલાના ઉપાશ્રય મળે ખૂબ જ ધામધૂમથી, શહેરના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કરવા યોગ્ય મહોત્સવપૂર્વક પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પંન્યાસજી શ્રી સુરેન્દ્રવિજયજીએ પોતાની અનોખી પ્રતિભાના પ્રભાવે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર આદિ પ્રદેશોમાં વિચરીને અને ધાર્મિક કાર્યોના પ્રસારથી અનેક મુમુક્ષુઓને સંયમી બનાવીને જૈન સમાજમાં નામાંકિત અને તપત્યાગ તથા જ્ઞાન-ધ્યાનની સમૃદ્ધિથી સમૃદ્ધ સમુદાયની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. પૂ. પંન્યાસજી મહારાજે સંયમી જીવનની સાધનાને કેન્દ્રબિંદુ બનાવવા સાથે પોતાના દૃષ્ટિબિંદુથી સમાજસુધારણાનાં કાર્યો તરફ પણ ઘણું લક્ષ આપ્યું હતું. પરિણામે પોતાની જન્મભૂમિ કુવાળામાં અજ્ઞાનતાને લીધે વર્ષોથી કન્યાવિક્રય આદિ સામાજિક દૂષણો હતાં તે નાબૂદ થયાં. આ કાર્યો માટે, ભગીરથ પ્રયત્નો કરી બનાસકાંઠા જિલ્લામાં જૈનસમાજને સંગઠિત કરવાનો મહાન પુરુષાર્થ કર્યો. વિ.સં. ૧૯૯૯ના વર્ષમાં શ્રી ગિરનાર મહાતીર્થમાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘની આગેવાની નીચે, અનેક શ્રીસંઘોએ યોજેલા અપૂર્વ આનંદ-ઉલ્લાસના વાતાવરણમાં ભવ્ય સમારોહપૂર્વક પંન્યાસપ્રવર શ્રી સત્યવિજયજી ગણિવરની પાટ–પરંપરામાં પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરવાનું આદર્શ ગૌરવ પ્રાપ્ત કર્યું. અનેક સ્થાનોમાં મંદિરોનું નવનિર્માણ, જીર્ણોદ્ધાર, ઉપાશ્રય, ધર્મશાળાના નિર્માણમાં અને ઉજમણાં, પ્રતિષ્ઠામહોત્સવો, ઉપધાન તપની આરાધના આદિ શાસનપ્રભાવનાનાં વિવિધ કાર્યોમાં પૂજ્યશ્રીની પ્રભાવપૂર્ણ ધર્મદેશનાનું અમૃતપાન કરવાપૂર્વક ભાવિકોએ લાખો રૂપિયાનું દાન કરી જિનશાસનની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy