________________
૫૧૪
સંયમજીવન પ્રત્યેની ભાવના વધતાં ગયાં અને તે દીક્ષાગ્રહણ કરવાના સંકલ્પ સમક્ષ આવીને અટલ બન્યા! જામનગરમાં સં.
૨૦૧૮ના વૈશાખ સુદ ૬ને શુભ દિવસે પૂ. પં.શ્રી વિનયવિજયજી મહારાજશ્રીના વરદ્ હસ્તે દીક્ષા લીધી અને તેઓશ્રીના શિષ્ય મુનિરાજ શ્રી કલ્પજયવિજયજી તરીકે જાહેર થયા.
પૂજ્યશ્રીએ પહેલું ચાતુર્માસ જામનગર-દિગ્વિજય પ્લોટમાં કરીને, વિહાર કરી સીધા જ શ્રી સમેતશિખરજીની યાત્રાએ ઊપડ્યા. દસ વર્ષ સુધી ગુજરાત બહાર રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો. ગુજરાતમાં પૂ. ગુરુદેવ સાથે રહીને શાસનનાં વિવિધ કાર્યો કર્યા. નાની ઉંમરમાં વ્યાખ્યાતા બન્યા. સરળ અને સચોટ શૈલીમાં વ્યાખ્યાન આપવાની અદ્ભુત કુશળતાથી જૈનસમાજમાં ખૂબ વિખ્યાત બન્યા. વિદ્વત્તા, પ્રભાવકતા અને વત્સલતાને લીધે વિશાળ શિષ્યસમુદાય ધરાવે છે. તેઓશ્રીને સં. ૨૦૩૩માં કારતક વદ પાંચમે અમદાવાદ-નવરંગપુરામાં ગણિ-પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૩૯ના જેઠ સુદ પાંચમે ધ્રાંગધ્રા મુકામે મહામહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વર્તમાનમાં સૌથી નાની ઉંમરે . આચાર્ય પદવી પ્રાપ્ત કરનારા તેઓશ્રી એક માત્ર મહાપુરુષ છે. સં. ૨૦૪૫નું ચાતુર્માસ મલાડ સંઘના વારંવાર આગ્રહથી મુંબઈમાં કરીને વિવિધ આરાધનાપૂર્વક જૈનધર્મનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રી ગુરુનિશ્રાએ અનેકવિધ શાસનપ્રભાવના કરતાં શિષ્ય-સમુદાય અને ભક્તસમુદાય વચ્ચે વિચરી રહ્યા છે અને જયવંતા વર્તી રહ્યા છે. એવા એ સમર્થ સૂરિવરને કોટિ કોટિ વંદના! સૌજન્ય : શ્રી ગોડીજી પાર્શ્વનાથ તીર્થ પ્રભાવક ટ્રસ્ટ રૂની (જિ. બનાસકાંઠા) ૫.પૂ. આચાર્યશ્રી સિંહસેનસૂરિજી મહારાજ
પૂ.આ. શ્રી સિંહસેનસૂરિજી મહારાજનો જન્મ તા. ૨૦૧-૪૨ના રોજ અમદાવાદ સાબરમતીના પ્રતિષ્ઠિત આગેવાન સુશ્રાવક શ્રી પોપટલાલ મગનલાલને ત્યાં, તેમનાં ધર્મપરાયણ પત્ની હીરબહેનની કુક્ષિએ થયો. તેમનું જન્મનામ શશિકાંત હતું. શશિકાંતનો ઉછેર સુખસમૃદ્ધિ વચ્ચે થવા સાથે એટલા જ ઉચ્ચ સંસ્કારી વાતાવરણમાં થયો. વ્યાવહારિક ઉચ્ચ અભ્યાસ સંપાદન કરવા સાથે ધાર્મિક અભ્યાસ પણ ઘણો સારો કર્યો. ધર્મભાવના પ્રબળ હોવાથી પૂ. શ્રમણભગવંતોનો સમાગમ થતો રહ્યો અને વૈરાગ્યભાવ પ્રબળ બનવા લાગ્યો અને એક દિવસ, ૨૬ વર્ષની વયે, તેમની એ ભાવના સાકાર બની. સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૬ને દિવસે અમદાવાદ-સાબરમતીમાં પરમ ગીતાર્થ પૂ. આ.
Jain Education International
ધન્ય ધરાઃ
શ્રી વિજયઉદયસૂરિપટ્ટધર પૂ. આ.ભ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પ્રખર પ્રવચનકાર પૂ. આ. શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે જાહેર થઈ મુનિશ્રી સિંહસેનસૂરિવિજયજી નામ પામ્યા. એ જ વર્ષે અષાઢ સુદ ૧૦ને દિવસે તેમની વડી દીક્ષા પૂ. આ. ભ. શ્રી વિજયઉદયસૂરીશ્વરજી મ.સા.ના વરદહસ્તે થઈ.
જ્ઞાનસંપાદનની તીવ્ર રુચિ અને તેજસ્વી બુદ્ધિના કારણે દીક્ષા બાદ તેઓશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના અને ધર્મશાસ્ત્રના ઊંડા અભ્યાસમાં એકાગ્ર બની ગયા. પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે અને કૃપાબળે તેમને સંસ્કૃત-પ્રાકૃત ભાષાનું સહજ જ્ઞાન પ્રાપ્ત થયું. વ્યાકરણ, ન્યાય, તર્ક, સાહિત્ય, આગમ આદિમાં પારંગત બન્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી સં. ૨૦૪૦ના કારતક વદ ૧૦ના દિવસે ગણિ પદથી અને સં. ૨૦૪૬ના વૈશાખ સુદ ૬ના દિવસે પંન્યાસ પદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂ. પંન્યાસશ્રી સિંહસેનવિજયજી મહારાજ ધર્મશાસ્ત્રોના ઊંડા જાણકાર અને
કુશળ વ્યાખ્યાનકાર પણ છે. પૂ. ગુરુદેવશ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં ઊજવાતાં તપારાધનાનાં અને ધર્મપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તેઓશ્રી રસપૂર્વક સારો એવો ભાગ લઈ રહ્યા છે. ખાસ કરીને પૂજ્યશ્રી દ્વારા નવપદજીની શાશ્વતી ઓળીની સામુદાયિક આરાધના વખતે આરાધકોમાં ધર્મજ્ઞાન ખીલવવા પરીક્ષાદિનું સુંદર આયોજન વર્ષોથી થતું આવ્યું છે. પૂ. પંન્યાસશ્રી વિનય-વિવેક–વૈયાવચ્ચ આદિ ગુણોથી સુસંપન્ન છે, સ્વભાવે શાંત અને સૌમ્ય છે, સ્વાધ્યાયશીલતા એ એમના સંયમજીવનનો વિશેષ ગુણ છે. જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રસાર માટે તેઓશ્રી સદાય તત્પર રહે છે. સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી ચારિત્રધર્મને ઉત્તરોત્તર અજવાળી રહ્યા છે. પૂજ્યશ્રીને વિ.સં. ૨૦૫૨, જેઠ સુદ ૩ના ઉપાધ્યાય પદ-પ્રદાન અને જેઠ સુદ-૬ના ગુરુ-પુષ્યામૃત સિદ્ધિયોગમાં આચાર્ય પદ-પ્રદાન પૂ. આ.ભ. શ્રી વિજયપ્રબોધચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે થયેલ. પૂજ્યશ્રી તથા તેઓશ્રીના ગુરુબંધુઓની પ્રેરણાથી અમદાવાદ-પાલિતાણા હાઇ-વે રોડ ટચ (૧૨ વીઘા જમીન) ખડોલ મુકામે પૂ. ગુરુમહારાજશ્રીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે શ્રી નેમિ-ઉદય-મેરુ વિહારધામનું કાર્ય ઝડપથી આગળ ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીના વરદ્ હસ્તે શાસનપ્રભાવનાનાં કાર્યો સુસંપન્ન થતાં રહો એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીનાં ચરણારવિંદે કોટિશ વંદના!
સૌજન્ય : શ્રી સેટેલાઈટ શ્વે. મૂ. પૂ. જૈન સંઘ સોમેશ્વર કોમ્પ્લેક્ષ,
અમદાવાદ.
For Private & Personal Use Only
www.jainelibrary.org