SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૬ સેવા કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પાછલી અવસ્થામાં પૂ. આચાર્ય ભગવંતશ્રીને એકાએક દમનો વ્યાધિ થયો. તનની અસમાધિ વધવા છતાં મનની સ્થિર સમાધિએ આત્મસાધનાના ઉજ્જ્વળ પંથે અપ્રમત્તભાવે આગળ વધતા રહ્યા. વિશાળ શિષ્યપરિવાર, અનેક શ્રીસંઘો અને અન્ય આત્મીયવર્ગને હિતશિક્ષાનો આદર્શ બોધ દેતા પૂજ્યશ્રી સં. ૨૦૦૬ના કાર્તિક વદ ૪ની મધ્યરાત્રિએ ડહેલાના ઉપાશ્રયમાં પંચપરમેષ્ઠી મહામંત્રના સ્મરણ સાથે સ્વર્ગે સિધાવ્યા. કાર્તિક વદ પાંચમના દિવસે પૂજ્યશ્રીને શોકસંતપ્ત હૃદયે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ રૂપે, શહેરના ઇતિહાસમાં એક ભવ્ય પ્રકરણ રૂપ સ્મશાનયાત્રા નીકળી. પૂજ્યશ્રીનો પંચભૂતનો દેહ પંચભૂતોમાં વિલીન થઈ ગયો. દિવ્ય સાધનાનો અવિનાશી આત્મા જગતમાં તપ-ત્યાગ અને જ્ઞાન-ધ્યાનની છાયા ફેલાવી અમર બની ગયો. પૂજ્યશ્રીની સ્મૃતિમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ પ્રદેશોમાં તેઓશ્રીના વિદ્વાન શિષ્ય-સમુદાયની પ્રેરણાથી અનેક સમાધિમંદિરો, ગુરુમંદિરો, સરસ્વતીમંદિરો, ધર્મસ્થાનો, પાઠશાળાઓ આદિનું નિર્માણ થવાથી પૂજ્યશ્રીની યશોગાથા વિશ્વના ખૂણે ખૂણે ગુંજી રહી છે. પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવક પરમારાધ્ય સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રીના નામસ્મરણનો અપૂર્વ પ્રભાવ છે કે તનમનનાં સેંકડો કષ્ટ ક્ષણભંગુરમાં વિલીન થાય છે. પૂ. પં. શ્રી રવિરત્નવિજયજી મ.સા.ની પ્રેરણાથી ભીખીબાઈ હજારીમલ જૈન, વિરારના સૌજન્યથી નીડર અને પ્રભાવક વ્યાખ્યાનકાર પૂ.આ.શ્રી વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મ.સા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયમેરુપ્રભસૂરીશ્વરજી મહારાજ એક દર્શનદુર્લભ શ્રમણભગવંત હતા. તેજસ્વી અને ઊંચી કાયા, ઊજળો ગૌર વાન, ચમકતું રેખાંકિત વિશાળ લલાટ, કરુણાર્દ્ર અને વેધક આંખો, સુડોળ ગરવી નાસિકા, પ્રભાવશાળી ચહેરાને વધુ પ્રભાવશાળી બનાવતી ધવલ દાઢી અને યમ-નિયમથી સંયમિત બનેલ દેહ પર શોભતાં ધવલ વસ્ત્રો, જાણે પુરાણકાળના કોઈ ઋષિવરનું સ્મરણ કરાવે એવું ભવ્ય અને દિવ્ય બાહ્ય વ્યક્તિત્વ પ્રથમ દર્શને જ પ્રભાવ પાથરે છે! પૂજ્યશ્રીનું બાહ્ય વ્યક્તિત્વ ઋષિવરનું છે, તેમ આંતર્ વ્યક્તિત્વ સૂરિવરનું છે. આ વ્યક્તિત્વનો સુયોગ આજન્મ છે. જન્મે વિપ્ર, પણ કર્મે જૈન એવા આ મહાત્મા અનોખા શ્રમણભગવંત હતા. તેઓશ્રીનો જન્મ ગુજરાતમાં ઈડર પાસેના નાનકડા Jain Education International ધન્ય ધરાઃ દેશોત્તર ગામમાં સં. ૧૯૬૨ના આસો વદ ૧૩ (ધનતેરસ)ને શુભ દિવસે થયો. પિતાનું નામ મોતીરામ ઉપાધ્યાય. માતાનું નામ સૂરજબહેન, નાનાભાઈ સુખદેવ અને નાની બહેન જડીબહેનના પરિવારમાં પોતાનું સંસારી નામ મોહનભાઈ ધારણ કરીને વત્સલતાથી પોષાતા હતા. ભારતીય વર્ણવ્યવસ્થામાં મોખરે ગણાય એવા બ્રાહ્મણકુળમાં જન્મ્યા હોવાથી હંમેશાં વેદઉપનિષદ અને ગીતાના શ્લોકોના ગુંજારવ વચ્ચે દિવસો પસાર થતા હતા. આવા ઘરમાં જન્મ લેનાર મોહનભાઈનું ભાવિ કંઈક અલગ જ નિર્માણ થયું હોય તેમ, વ્યાવહારિક શિક્ષણ ખપ પૂરતું લઈને ધર્મસાધનાની છોળો ઊછાળતી હોય એવી ધર્મપરાયણ નગરી ખંભાતમાં આવ્યા. ત્યાં એક જૈનેતર વૈદ્ય દ્વારા એક ધર્મનિષ્ઠ, દેવ-ગુરુ-ધર્મ-ઉપાસક શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તુરચંદ અમરચંદને ત્યાં આવ્યા. જૈનકુળને છાજે અને શોભાવે તેવા ધર્મના સુસંસ્કારોથી દિન-પ્રતિદિન મોહનભાઈમાં પરિવર્તન થવા લાગ્યું. નિરંતર પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતના ગમનઆગમનથી અને તેઓની ભાવભરી ભક્તિથી હૈયું આનંદિત અને વિકસ્વર થવા લાગ્યું. તેમની પ્રામાણિકતાથી શેઠ પણ ખુશ હતા, તેથી પગાર પણ વધારી આપ્યો. શેઠને ત્યાં અચૂક પ્રભુનાં દર્શન કરતાં અને સૂર્યાસ્ત બાદ વાપરતા નહીં. જ્યારે દેશાંતર જાય ત્યારે ફોટાનાં દર્શન કરતાં. પર્વના દિવસે પૌષધ કરતા. ખંભાતમાં શાસનસમ્રાટ પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર મહારાજના પુણ્યપ્રભાવક દર્શન તથા સમાગમના કારણે જૈનધર્મ પ્રત્યે સારી અભિરુચિ પ્રગટી; ત્યાગ, સર્વત્યાગના પુનીત પંથે પ્રયાણ કરવા તૈયું ઉત્કંઠિત બન્યું, જેના ફળસ્વરૂપે સં. ૧૯૮૫ના કારતક વદ ૧૦ના શુભ દિને ખંભાત પાસે વત્રા મુકામે ૨૩ વર્ષની ભરયુવાન વયે પારમેશ્વરી પ્રવ્રજ્યા અંગીકાર કરી પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના શિષ્ય ગીતાર્થશિરોમણિ પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ‘મુનિશ્રી મેરુવિજયજી'ના નામકરણથી જાહેર થયા. અજોડ ગુરુભક્તિ, અદ્ભુત અને સચોટ જ્ઞાનશક્તિ, નીડર અને પ્રભાવક પ્રવચનકળાના ત્રિવેણીસંગમ રૂપ પૂજ્યશ્રીને સં.૨૦૧૫માં ઘાટકોપર (મુંબઈ)માં ઉપાધ્યાય પદ (ઉપધાનતપના પુણ્ય–પ્રસંગે) તથા સં. ૨૦૧૯ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલિતાણા (જ્યાં કાંકરેકાંકરે અનંતા આત્માઓ સિદ્ધિપદને પામ્યા છે એવા પ્રાયઃ શાશ્વત તીર્થ)માં પંચપરમેષ્ઠી ભગવંતો પૈકીના તૃતીયપદે-આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવાભાવનગરમાં ‘એકીસાથે સળંગ પંચ-પ્રસ્થાન'ની ભવ્ય અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy