________________
૪૮૮
ધન્ય ધરા:
* દીક્ષા : જાવાલ, સં. ૨૦૨૮, જયેષ્ઠ વદ ૫, રવિવાર. ૧૫ મે, ૧૯૭૧
* વડી દીક્ષા : ઉદયપુર, સં. ૨૦૨૮, અષાઢ શુકુલ ૧૦.
* ગણિ પદ : સોજતસીટી સં. ૨૦૪૬, માગશર શુકલ ૧૦ સોમવાર, ૪ ડિસેમ્બર, ૧૯૮૬.
* પંન્યાસ પદ : જાવાલ, સં. ૨૦૪૬, જયેષ્ઠ શુકુલ ૧૦, શનિવાર, ૨ જૂન, ૧૯૯૦.
* ઉપાધ્યાય પદ : કોસેલાવ, વિ.સં. ૨૦૫૩, મૃગશીર્ષ વદ-૨, બુધવાર, ૨૭ નવેમ્બર, ૧૯૯૬.
* આચાર્ય પદ લાટાડા વિ.સં. ૨૦૫૩, વૈશાખ શુકુલ ૬. ૧૨ મે ૧૯૯૭
ઘરનું વાતાવરણ જિનેન્દ્રભક્તિમય હતું, શાસન પ્રત્યે અનુરાગ અને સંસાર પ્રત્યે ઉદાસીન ભાવવાળું હતું. વાતાવરણની અસર બાળ જયંતીલાલ પર પણ થવા લાગી. પૂર્વ ભવના સંસ્કાર અને કુટુંબના વાતાવરણનો સુમેળ જામ્યો. વિરાગતાને પ્રોત્સાહિત કરનારાં એક પછી એક નિમિત્તો મળતાં ગયાં. એમાં મોટાં ફઈબાની દીક્ષા થઈ (પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી). ત્યાર બાદ દાદીમા અને નાનાં ફઈબાની દીક્ષા થઈ (પૂ.સા. શ્રી ભાગ્યલતાશ્રીજી અને પૂ.સા. શ્રી ભવ્યગુણાશ્રીજી). આ સર્વ નિમિત્તોએ જયંતીલાલનો વૈરાગ્ય દઢ બનતો ચાલ્યો. સંયમનાં ઉપકરણો જોઈ નાચી ઊઠતાં અને સંસારનાં અધિકરણો જોઈ ઉદાસીન બની જતાં જયંતીલાલને સં. ૨૦૧૮ની એક મધ્યરાત્રિએ સ્વપ્ન આવ્યું અને એ સ્વપ્નાનુસાર સં. ૨૦૧૮ના જેઠ વદ પાંચમના શુભ દિને પોતાની જન્મભૂમિ જાવાલમાં, દાદા અમીચંદજીની અનુમતિથી, જૈનધર્મદિવાકર, મરુધર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયસુશીલસૂરીશ્વરજી મહારાજનાં ચરણે જીવન સમર્પિત કર્યું, પરમ તારક ભાગવતી પ્રવ્રજ્યા અંગીકાર કરી, જાવાલના બાળ જયંતીલાલ બાળમુનિ શ્રી જિનોત્તમવિજયજી બન્યા. માતા દાડમીબાઈની દીક્ષા પણ સાથે જ થઈ. તેઓ પૂ. સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી બન્યાં. ત્યાર બાદ, યોગોદ્વહન કરાવી પૂજ્યશ્રીની વડી દીક્ષા સં. ૨૦૧૮ના અષાઢ સુદ ૧૦ને દિવસે મેવાડની રાજધાની ઉદયપુરમાં થઈ. સં. ૨૦૩૦માં દાદા અમીચંદજીની પણ દીક્ષા થઈ. તેઓશ્રી મુનિ અરિહંતવિજયજી બન્યા. જાવાલ સ્થિત મકાનનું ‘અરિહંતજિનોત્તમ જ્ઞાનમંદિર’માં રૂપાંતર કર્યું.
કુશાગ્ર બુદ્ધિ અને ગુરુદેવની કૃપાથી વિવિધ ગ્રંથો અને
શાસ્ત્રોનો અભ્યાસ કરી, સાહિત્યના અધ્યયન-ચિંતનથી સુમધુર પ્રવચનકારની ખ્યાતિ પામ્યા. પૂ. ગુરુદેવની કૃપાથી વિભૂષિત અને ગુરુદેવના કાર્યકલાપ માર્ગદર્શન અને સાનિધ્યમાં અનેક ધર્માનુષ્ઠાનો, પ્રતિષ્ઠા ઉપધાનતપ, મહોત્સવાદિ તેમ જ સમાજના નૈિતિક-આધ્યાત્મિક ઉત્થાનનાં શુભ કાર્યોનું પણ સંચાલન કરી રહ્યા છે. તેઓશ્રીના શુભ માર્ગદર્શને “સુશીલસંદેશ' માસિક પત્રિકા ૨૨ વર્ષથી પ્રકાશિત થઈ રહી છે, જે જનતામાં ખૂબ પ્રિય બની ચૂકી છે. સહજ કાર્યદક્ષતાથી શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. પૂજ્યશ્રીના શિષ્યરત્ન મુનિશ્રી રવિચંદ્રવિજયજી, મુનિ શ્રી હેમરત્ન વિજયજી મ., મુનિ શ્રી જિનરત્ન વિજયજી મ. પણ અનુપમ ભક્તિ અને અભ્યાસમાં આગળ વધી રહ્યા છે અને ગુરુનિશ્રાએ વિહરતાં શાસનપ્રભાવનાનાં કાર્યોમાં સહયોગ આપી રહ્યા છે.
(પરિવારમાં દીક્ષિત :) –દાદા પૂ.મુનિશ્રી અરિહંતવિજયજી મ0 –દાદી પૂ. સાધ્વીશ્રી ભાગ્યલતાશ્રીજી મ0 –માતા પૂ. સાધ્વીશ્રી દીવ્યપ્રજ્ઞાશ્રીજી મ0 –ભુઆ : પૂ. સાધ્વીશ્રી સ્નેહલતાશ્રીજી મ0 –ભુઆ : પૂ. સાધ્વીશ્રી ભવ્યગુણાશ્રીજી મ0
સૌજન્ય : શ્રી સુપાર્શ્વનાથ જૈન શ્વ. મૂ. સંઘ, દાવણગિરિ (A.P.)
શિયાણીનું જૈન મંદિર લીંબડી પાસે (સૌરાષ્ટ્ર)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org