________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૪૮૭
ન્યાય-વ્યાકરણ આદિનો ગહન અભ્યાસ કર્યો. કેટલાંક ચાતુર્માસ પૂજ્યોની નિશ્રામાં કરીને પછીથી સ્વતંત્રપણે શાસનસેવાનાં કાર્યો ઉપાડ્યાં. સં. ૨૦૩૬ના માગશર સુદ ૬ને દિવસે મુંબઈ-વિલેપાર્લેમાં પ.પૂ. ઉપાધ્યાય શ્રી દર્શનસાગરજી મ.સા.ના વરદ્ હસ્તે ગણિ પદ પ્રદાન થયું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને દિવસે પાલિતાણામાં પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરજી મહારાજના વરદ્ હસ્તે પંન્યાસપદ પ્રદાન થયું. પૂજ્યશ્રીનાં પગલે પગલે તેઓશ્રીના વયોવૃદ્ધ પિતાએ, નાનાભાઈએ, નાનીબહેને પણ સંયમ સ્વીકાર્યું. સુદીર્ધ દીક્ષાપર્યાય દરમિયાન પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક ભવ્યાત્માઓની દીક્ષા થઈ છે. અનેક છ'રિપાલિત સંઘો નીકળ્યા છે, અનેક ઉપધાન ઉદ્યાપન આદિ તપશ્ચર્યાઓ થઈ છે. શાસનપ્રભાવનાનાં અન્ય કાર્યો ચિરસ્મરણીય રીતે સુસંપન્ન થયાં છે અને થઈ રહ્યાં છે. તેમાં સવિશેષ નોંધપાત્ર છે : પૂજ્યશ્રીની પ્રેરણાથી ઈડર પાસે રાણી તળાવમાં શ્રી અષ્ટાપદ જલમંદિર નિર્માણ યોજના ટ્રસ્ટની
સ્થાપના થવા સાથે તેની અંતર્ગત શ્રી પાવાપુરી જલમંદિરનું ભવ્ય નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. હાલમાં શ્રી પાવાપુરીસમેતશિખર તીર્થધામના નામે શ્રી પાવાપુરી-જલમંદિર તીર્થનો વહીવટ ચાલી રહેલ છે.
સં. ૨૦૫૨માં પૂ. શાસનપ્રભાવક ગચ્છાધિપતિ શ્રી આચાર્યદેવશ્રી સૂર્યોદયસાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે ખાનપુર માકુભાઈ શેઠના બંગલે વૈ.સુ.-૭ના આચાર્ય પદ પ્રદાન થયું હતું. સં. ૨૦૫૪માં કાંદિવલી જૈન સંઘ, શંકરગલી ચાતુર્માસમાં ૧૩૪ની વિશાળ સંખ્યામાં ૯૧ માળ તથા ૨૭ બાળક-બાલિકાઓએ ઉપધાન તપ કરેલ. માળારોપણ ભવ્યાતિભવ્ય થયેલ. સં. ૨૦૧૬માં કાંદિવલી તથા શાન્તાક્રુઝ જૈન સંઘના સહકારથી પાવાપુરી જલમંદિર તીર્થનું નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થયું. વૈ.સુ.-૧૦ના દિવસે ૧૩ દિવસના મહોત્સવ સાથે ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો. ૬-આચાર્ય ૩૬ સાધુ ૮૦ સાધ્વીજી મ.સા. અને વિશાળ જનસમુદાયની હાજરી હતી. સં. ૨૦૫૮ના પાવાપુરી જલમંદિર તીર્થમાં પૂજ્યશ્રીને ૧00મી ઓળીનું પારણું ખૂબ જ ભવ્ય મહોત્સવ કરવાપૂર્વક થયું. આ તીર્થના વિકાસ અને પ્રગતિમાં મુખ્ય ફાળો-મૌન, તપ-જપ, સ્વાધ્યાય રત્નવિનયી શિષ્યમુનિશ્રી રાજતિલકસાગરજી મ.સા.નો રહેલ છે. પૂ. પ્રકાશચંદ્ર વિ. તથા મુનિ શ્રી ધર્મકીતિ સા.નો પણ સહકાર મળેલ છે.
સં ૨૦૬૨ના નરોડા મુકામે ગોડી પાર્શ્વનાથ પ્રભુજીની છત્રછાયામાં તથા પદ્માવતીજીના સાંન્નિધ્યમાં ૪૫ માસક્ષમણ,
૪૦ અઠ્ઠાઈ વિ.ની તપશ્ચર્યા ખૂબ જ સુંદર થઈ. માસક્ષમણ કરાવવાનો લાભ તથા શીખરજીની યાત્રાનો લાભ એક જ ભાગ્યશાળીએ લીધો હતો. રાજતિલકસાગરજીને અષાઢ સુદ ૧૧ થી પંચમાંગ શ્રી ભગવતીજી યોગનો પ્રારંભ થયો. જોગ સુખરૂપ નિર્વિદને પરિપૂર્ણ થયા.
૫.પૂસુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી સૂર્યોદય સાગરસૂરીશ્વરજી મ.સા.ના વરદ્ હસ્તે કા.સુ. ૮-૯-૧૦ ત્રિદિવસીય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. કા.સુ. ૮ના રોજ ૪૫ આગમનો ભવ્ય વરઘોડો તથા કા.સુ. ૧૦ના ગચ્છાધિપતિ શ્રીના વરદ્હસ્તે અનેક આચાર્ય શ્રમણ-શ્રમણીઓ વિશાળ જનસમુદાય વચ્ચે અતિ હર્ષોલ્લાસપૂર્વક ગણિપદપ્રદાન સંઘ સ્વામીવાત્સલ્યપૂર્વક થયું. શ્રી નરોડા જૈન સંઘ તથા ગુરુભક્તો આયોજિત નરોડા શ્રી પાવાપુરી તથા ઇડર છ'રિપાલિત સંઘ ખૂબ જ વિશાળ સંખ્યામાં ૧૦ દિવસના આયોજનપૂર્વક નીકળ્યો. મા.સુ. ૧૫-વદ-૧-૨નો ત્રિદિવસીય ઉત્સવ સાથે ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યો. સૌજન્ય : શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધારખાતની પેઢી-મહેસાણા શ્રી સુશીલ ગુરુકૃપા પ્રાપ્ત-પ્રતિષ્ઠાચાર્ય
પ.પૂ. આ. શ્રીમદ્ વિજયદિનોત્તમસૂરીશ્વજી મ.સા.
[મિતાક્ષરી પરિચય ] * માતા : શ્રી દાડમીબાઈ | (વર્તમાનમાં સાધ્વીશ્રી દિવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા.)
* પિતા : શ્રી ઉત્તમચંદજી અમીચંદજી મરડિયા.
* જન્મ : જાવાલ, સં. ૨૦૧૮, ચૈત્ર વદ ૬ શનિવાર, ૨૭ માર્ચ ૧૯૬૨.
* સાંસારિક નામ :
* શ્રમણનામ : પૂ. મુનિરાજશ્રી જિનોત્તમવિજયજી મ.સા.
* ગુરુદેવ : પ.પૂ.આ. શ્રીમદ્ વિજયસુશીલસૂરીશ્વરજી મ.સા.
Jain Education International
For Private & Personal use only
For Private & Personal Use Only
www.jainelibrary.org