SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ ધન્ય ધરા: અલંકૃત છે. આ મહાપુરુષ એટલે શાસનસમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજ. ઉપરાંત અહીં જાવડશાહ, ભાવડશાહ, આ. શ્રી ધર્મસૂરીશ્વરજી અને પૂ.આ. શ્રી દર્શનસૂરીશ્વરજીનાં નામથી ચમકતા નભમંડળમાં એક નામ છે આચાર્ય શ્રી કુન્દકુન્દસૂરિજી. વિ.સં. ૧૯૯૬, ભાદરવા વદ-૮ના પાવન દિવસે શ્રેષ્ઠીવર્ય જગજીવનદાસ ગુલાબચંદ સંઘવીનાં ધર્મપત્ની પરસનબહેનની કુક્ષિએ મુંબઈ મુકામે જન્મનાર આ બાળકને કાન્તિ નામ અપાયું. પ્રમાણિકતા અને ધર્મમય આચારશૈલીવાળા આ માતાને મુંબઈની દોડધામ અશાંત લાગી તેથી ધર્મના સંસ્કાર ટકાવી રાખવા તેમણે થોડા સમય માટે મહુવા સ્થાયી થવાનું નક્કી કર્યું. | મહુવામાં આવીને માતાપિતાએ કાન્તીના જીવનને જૈનત્વના રંગે રંગવા માટે પાઠશાળા, સ્નાત્રપૂજા વગેરેમાં જોડાવા માટેના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મ તરફની રુચિ વધતી ગઈ, પણ મુંબઈમાં અશાંતિ ઓછી થવાથી ફરીથી આ પરિવાર મુંબઈમાં બોરીવલીમાં રહેવા લાગ્યો. પ્રતિદિન પૂજા, પાઠશાળા, વ્યાખ્યાન જેવી ક્રિયાઓનો લાભ લેવા માટે તેઓ ત્યાંની જામલીગલીમાં આવેલા શ્રી સંભવનાથ જિનાલયમાં જતા હતા. કાન્તિલાલ ત્યાંની ધાર્મિક પ્રવૃત્તિમાં રસ લેવા માંડ્યા અને સ્વયંસેવકમંડળમાં જોડાયા આ રીતે શ્રી જૈનશાસનનાં કાર્યોમાં પ્રવૃત્ત રહેવાથી તેમને સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રા પણ સાંપડી. ભક્તિ અને વૈરાગ્યના ગુણોથી રંગાયેલો આત્મા સંયમ સાધનાની તૈયારી કરવા લાગ્યો. પરમ પૂ. આ. શ્રી લાવણ્યસૂરિ, શ્રી દક્ષસૂરિ, શ્રી સુશીલસૂરિ આદિના સંપર્કમાં આવતા, આ ભાવના વધતી ગઈ. વૈરાગ્ય તરફ મન વળવા લાગ્યું. સંયમ લેવાની ઉત્કૃષ્ટ ભાવના એટલે પ્રાચીન શાસ્ત્ર અનુસાર ‘સાભાર્થે થવીત્ય'નો માર્ગ નક્કી કર્યો. માતાપિતાની સંમતિ મળવાનું સ્વાભાવિક જ અઘરું હતું. લાગણી અને પુત્રપ્રેમ! આ માર્ગ માટેની સંમતિ ક્યાંથી આપે? પરંતુ આત્માની ઉન્નત ભાવનાઓ સામે માતા-પિતાનું ચાલ્યું નહીં. તેઓશ્રીનાં ભાઈઓ-બહેન સંસારી-રમણિકભાઈ, જયાબહેન, બાવચંદભાઈએ રસ લઈને માતાપિતાની રજા માંગી. આમ વિક્રમ સં. ૨૦૧૪, વૈશાખ સુદ ૭ના શુભ દિવસે ભવ્ય મહોત્સવ સાથે, શ્રી અમૃતસૂરીશ્વરજી મ.સા.ના શુભહસ્તે પરમ ભાગવતી દીક્ષા આપવામાં આવી. બોરીવલીની જામલીગલીનો શ્રી સંઘ ભાવવિભોર બની ગયો, કારણ કે તેમના ગુરુ ભગવંત એટલે પરમ પૂજ્ય ધર્મધુરંધરસૂરીશ્વરજી મહારાજ. કાન્તિભાઈ બન્યા શ્રી કુન્દકુન્દવિજય મહારાજ. દર્શન-જ્ઞાન અને ચારિત્રના આરાધક મુનિરાજ દિવસે દિવસે જ્ઞાનસાધનામાં પ્રવૃત્ત બન્યા. સંસ્કૃત, પ્રાકૃત અને સાહિત્યન્યાય, આગમગ્રંથો તથા તત્ત્વાર્થના અભ્યાસુ મુનિરાજને આચાર્યશ્રીનું માર્ગદર્શન મળ્યું. ગુરુ ભગવંતના આશીર્વચન અને પુરુષાર્થનો યોગ થતાં અભ્યાસ આગળ વધ્યો. પરમ પૂ. લાવણ્યસૂરિ અને પૂ. નંદનસૂરિ મહારાજ પણ તેમનામાં રસ લેવા માંડ્યા. તક મળતાં જ શ્રી કુન્દકુન્દમુનિરાજ પ્રખર જ્ઞાન ઉપાસના કરતા રહ્યા. આથી પૂ. ગુરુ ભગવંતે તેમને નવી નવી જવાબદારીઓ સોંપી. વિધિવિધાનમાં પારંગતતા તો હતી પણ સાથે સંગીતની પ્રત્યે લગાવના કારણે ભક્તિરસ છલકાતો રહ્યો. આચાર્ય પદવીધારી શ્રી કુન્દકુન્દસૂરીશ્વરજી આમ શાસનની પ્રભાવના કરતા રહ્યા. ભકત્તોના સૌજન્યથી - પરમ પૂજ્ય આચાર્યશ્રી કલ્યાણસાગરસૂરિજી મહારાજ ધર્મનગરી રાધનપુરમાં શેઠ શ્રી કાન્તિલાલ અમૂલખદાસનાં સુશ્રાવિકા ધર્મપત્ની કંચનબહેનની કુક્ષિએ સં. ૨૦૦૧ના મહા સુદ ૧૨ને દિવસે એક પુત્રરત્નનો જન્મ થયો. પુત્રનું નામ કિરીટકુમાર રાખવામાં આવ્યું. તેની વય ૯ વર્ષની થતાં પ.પૂ. શ્રી અભયસાગરજી મહારાજના પરિચયમાં સમસ્ત કુટુંબ આવ્યું અને ધર્મના રંગે રંગાયું. તેમાં ભાઈ કિરીટકુમારે નવપદજીની ઓળી કરવા સાથે સંયમ લેવાની ભાવના દેઢમૂળ કરી. સં. ૨૦૧૨માં પૂ. આ. શ્રી વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં મહામંગલકારી ઉપધાનતપની ભાવપૂર્વક આરાધના કરીને મોક્ષમાળા પહેરી દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ ધર્મનો વધુ અભ્યાસ કરવા માટે માતાપિતાએ મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળામાં મોકલ્યા. ૧૬ વર્ષની ઉંમર સુધીમાં પંચપ્રતિક્રમણ, નવસ્મરણ, ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૨ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કર્યો. સાડાત્રણ વર્ષ પાઠશાળામાં રહ્યા. ૧૬ વર્ષની ઉંમરે વર્ધમાનતપનો પાયો નાખ્યો. ૧૮ વર્ષની ઉંમરે તેમની દીક્ષાની ભાવના સાકાર થઈ અને મેત્રાણ તીર્થે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના વરદ હસ્તે દીક્ષિત થઈ, પૂ.પં.શ્રી અભયસાગરજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી કલ્યાણસાગરજી નામે જાહેર થયા. પૂજયપાદ ગુરુભગવંતોની પાવન નિશ્રામાં આગમ Jain Education Intemational Jain Education Interational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy