SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ તીર્થનગરી છાણી ગામ તેઓશ્રીની જન્મભૂમિ હતી. ત્યાં સં. ૧૯૬૨માં પિતા ખીમચંદભાઈ અને માતા સૂરજબેનને ઘેર એક પુણ્યાત્માએ જન્મ લીધો. બાળકનું નામ છબીલદાસ (અપરનામ મનુભાઈ) રાખવામાં આવ્યું. પૂર્વ ભવના સંસ્કારો, માતાપિતાના ધર્મસંસ્કારો અને ગુરુભગવંતોના સમાગમથી નાનપણમાં જ છબીલભાઈમાં વૈરાગ્યના અંકુરો ફૂટવા લાગ્યા હતા. જેમ વૈરાગ્યભાવના તેમ સંગીતપ્રીતિ પણ છબીલભાઈને કુદરતી દેણગી હતી. નાનપણથી સ્તવનો-સજ્ઝાયો એવી સુમધુર વાણીમાં અને સંગીતની શાસ્ત્રીયતાથી ગાતા કે ભલભલા સંગીતકારો મંત્રમુગ્ધ બની જતા! એવામાં વ્યાખ્યાનવાચસ્પતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ છાણી પધાર્યા. તેઓશ્રીની મનોહર વાણીએ છાણી સંઘનાં મન હરી લીધાં. એ વાણીના પ્રવાહમાં પરિપ્લાવિત થઈને અનેક જીવો વીરશાસનના પરમ આરાધક બન્યા હતા. તેમ એ વાણીએ છબીલભાઈના અંતરમાં વૈરાગ્યની હેલી ચડાવી. તેમણે ગુરુદેવનાં ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કર્યું અને સં. ૧૯૭૮માં ઉમેટા મુકામે દીક્ષા ગ્રહણ કરી, કષાય સંસારનો કામળો ફગાવી ક્ષીરસાગર-શાં શ્વેત વસ્ત્રો પરિધાન કર્યાં અને મુનિશ્રી ભુવનવિજયજી તરીકે જાહેર થયા. મુનિરાજ ભુવનવિજયજીએ પૂ. ગુરુદેવની નિશ્રામાં ગુરુભક્તિ સાથે નિતનવા સ્વાધ્યાયનો યજ્ઞ આરંભ્યો. ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓ પર પ્રભુત્વ મેળવ્યું. ગુજરાતી અને સંસ્કૃતમાં કાવ્યરચના કરવાની કુશળતા પ્રાપ્ત કરી. સં. ૨૦૦૧ના ચૈત્ર સુદ ૪ના શુભ દિવસે પાલિતાણામાં મહામહોત્સવપૂર્વક પૂજ્યપાદ ગુરુદેવશ્રીના વરદ્ હસ્તે આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી મુનિશ્રી ભુવનભાનુવિજયજી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ તરીકે જગપ્રસિદ્ધ થયા. એક દીપકથી હજારો દીપક પ્રગટે, તેમ પૂજ્યશ્રીની દીક્ષા થયા બાદ છાણી ગામમાં ઘર-ઘરમાંથી કોઈને કોઈ ભાઈ કે બહેન દીક્ષા ગ્રહણ કરવા તત્પર બનતાં અને જોતજોતાંમાં છાણી ગામમાંથી ૧૫૦ જેટલી દીક્ષાઓ થઈ. આચાર્યશ્રી વિજયભદ્રંકરસૂરિજી મહારાજ આદિ શિષ્યપ્રશિષ્યોને વિદ્વાન લેખક, કુશળ, કવિ, પ્રખર વક્તા, પરમ તપસ્વી, સમર્થ અવધાનકાર બનાવવા સાથે શાસન અને સમુદાયની અવિચ્છિન્ન પરંપરાના રક્ષક અને સંવર્ધક બનાવ્યા, તેમ જ ૧૫૦ જેટલાં સાધુ-સાધ્વીઓના શિરછત્ર રૂપે ગચ્છાધિપતિના બિરુદને શોભાવી રહ્યા. શાસનસેવાની ભાવના Jain Education International ४७८ હૈયે ધરીને કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર આદિ પ્રાન્તોમાં વિચર્યા. મધુર વાણી, સરળ હૃદય અને પ્રવચનકૌશલના ગુણોને લીધે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં સંઘોની એકતા કરી, જિનાલયોનાં જીર્ણોદ્ધાર અને નવનિર્માણ કર્યાં; આયંબિલ શાળાઓ, પાઠશાળાઓ, ઉપાશ્રયો આદિની સ્થાપના કરી; પ્રતિષ્ઠા-અંજનશલાકા, ઉદ્યાપન, ઉપધાન તપ, છ'રીપાલિત સંઘો કાઢીને વિવિધ અનુષ્ઠાનો દ્વારા જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો. તે સમયે જેસલમેરની યાત્રા કપરી ગણાતી, જ્યારે પૂજ્યશ્રીએ જેસલમેરનો છ’રિપાલિત સંઘ કાઢ્યો હતો. અંતરીક્ષજી જેવા ચમત્કારિક તીર્થ પર દિગંબરોનો પ્રભાવ વધ્યો હતો. ત્યાં પૂજ્યશ્રીની નિશ્રામાં શાંતિસ્નાત્ર, અઢાર અભિષેક આદિ ઉત્સવો યોજાયા હતા. ખાનદેશમાં અંતરીક્ષ પાર્શ્વનાથ સંકુલમાં વિઘ્નહર પાર્શ્વનાથનું ભવ્ય જિનાલય પૂજ્યશ્રીના આદેશ અને માર્ગદર્શનથી તૈયાર થયું. આથી પૂજ્યશ્રી વિદર્ભના વિજયવંત વિહારીનું બિરુદ પામ્યા. તેઓશ્રી અચ્છા કવિ અને સંગીતજ્ઞ હતા, પૂજ્યશ્રી સં. ૨૦૨૮ના જેઠ સુદ બીજને દિને દાવણગિરિ (કર્ણાટક)માં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રી વિશાળ વટવૃક્ષ સમા અસંખ્ય શિષ્યોપ્રશિષ્યો અને લાખો ભાવિકજનોના હૈયામાં ધર્મનો વાસ કરી ગયા હતા! એવા એ પાવનકારી પરમ પુરુષને શતશઃ વંદના! દાવગિરિમાં અગ્નિસંસ્કારના સ્થાને દાદાવાડી બનાવી. પૂ.આ. ભદ્રંકર સૂરિ મ.સા.ના હસ્તે ચરણપાદુકાની પ્રતિષ્ઠા સં. ૨૦૩૨માં થયેલ, ગામના જિનાલયમાં સુંદર કલાકૃતિયુક્ત દેવકુલિકામાં પૂજ્ય ગુરુદેવશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૬૨માં પૂ. તપસ્વી આ. શ્રી અશોકરત્ન સૂ.મ.સા.ના હસ્તે થયેલ છે. અનુપમ આરાધક, સમર્થ શાસનપ્રભાવક, પ્રશાંતમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ સંઘસ્થવિર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના સમુદાયના અને પૂ. આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયવિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજ અનુપમ આરાધના અને શાસનપ્રભાવના કરવાપૂર્વક તથા સ્વ-સમુદાયના વિશાળ સાધ્વીગણનું નેતૃત્વ સંભાળવાપૂર્વક અનોખું માનસ્થાન ધરાવે છે. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૭૩ના આસો વદ પૂનમ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy