SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ શરદ પૂર્ણિમાએ મહેસાણામાં થયો હતો. પૂર્વના પુણ્યયોગે સંસ્કારવાસિત ગૃહમાં જન્મ પામતાં તેમને બાલ્યકાળમાં જ સહજપણે ધાર્મિક સંસ્કારો પ્રાપ્ત થયા અને તેથી એ સંસ્કારોનો વિકાસ થતાં તેમની રુચિ અને પ્રવૃત્તિ ધર્મમય થવા લાગી. વયની સાથે પ્રભુભક્તિ, ધર્મજ્ઞાન, સત્ સમાગમ અને તપ-આરાધનામાં પણ વૃદ્ધિ થવા લાગી. આ વૃત્તિ-પ્રવૃત્તિ દિવસે દિવસે ગાઢ બનતાં તેમનું મન સંસારનો ત્યાગ કરવા અને વૈરાગ્યનો માર્ગ સ્વીકારવા ઝંખી રહ્યું અને એક દિવસ, માત્ર ૧૫ વર્ષની કુમાર વયે તેમની ઝંખના સાકાર બની. સં. ૧૯૮૮ના પોષ વદ પાંચમના દિવસે જૈનપુરી-અમદાવાદમાં, પૂજ્ય બાપજી મહારાજના સાંનિધ્યે ભાગવતી દીક્ષા અંગીકાર કરીને પૂ.આ. શ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી વિબુધપ્રભવિજયજી નામે ઘોષિત થયા. સંયમજીવનના સ્વીકાર સાથે પૂજ્યશ્રી સંયમની ઉત્કૃષ્ટ સાધના કરવાપૂર્વક જ્ઞાનાભ્યાસ અને તપ-ત્યાગમાં વિકાસ સાધવા લાગ્યા અને વિનય વૈયાવચ્ચ દ્વારા ગુરુભક્તિનો પણ ઉત્તમ લાભ પ્રાપ્ત કર્યો. પૂજ્યપાદ બાપજી મહારાજ અને પૂ. ગુરુદેવશ્રી વિજયમનોહરસૂરીશ્વરજી મહારાજની સેવા–વૈયાવચ્ચ માટે તેઓશ્રી અમદાવાદ-વિદ્યાશાળામાં ઠીક ઠીક સમય રહ્યા. અને જ્ઞાન અને તપમાં વિકાસ સાધતા રહ્યા. તેઓશ્રીની યોગ્યતા જાણી પૂ. ગુરુદેવે સં. ૨૦૧૯ના માગશર સુદ ૬ને દિવસે અમદાવાદમાં પંન્યાસપદથી વિભૂષિત કર્યા. ત્યાર બાદ સ્વ-પર કલ્યાણના માર્ગે તેઓશ્રી વધુ ને વધુ પ્રભાવક અને પ્રેરક બનતાં. સં. ૨૦૨૯ના માગશર સુદ બીજને દિવસે સાણંદ મુકામે આચાર્યપદે આરૂઢ કરી શ્રી વિજયવિબુધપ્રભસૂરિજી નામે ઉદ્ઘોષિત કરવામાં આવ્યા. પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક દીક્ષાઓ, વિવિધ અનુષ્ઠાનો, પ્રતિષ્ઠાઓ અને ધર્મકાર્યો સંપન્ન થયાં છે. વિશેષ કરીને ગુજરાતમાં અને રાજસ્થાનમાં અનુપમ શાસનપ્રભાવના થઈ છે. પૂજ્યશ્રીને કોટિશ વંદના! સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી- સમવસરણ મંદિર તી. ક્રાંતિકારી અનુયોગાચાર્ય પરમ પ્રભાવી પ્રજ્ઞાપુરુષ મહાશિલ્પી પૂ.આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજી મ. તપ, ત્યાગ અને જ્ઞાનયોગના પરમ પ્રભાવક મહાન ઉપકારી દાદા ગુરુદેવશ્રી દેદીપ્યમાન ખરતરગચ્છમાં સમયજ્ઞ Jain Education International ધન્ય ધરાઃ આચાર્યોની પરંપરા રહી છે. આ ગચ્છની પાટપરંપરાએ આવતા એક પછી એક આચાર્યો દ્વારા શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો સુસંપન્ન બનતાં રહ્યાં. છેલ્લા બે-અઢી દાયકામાં આ પાટપરંપરામાં પૂ. આચાર્યશ્રી જિનકાંતિસાગરસૂરિજી મ. થઈ ગયા. પૂજ્યશ્રીની આચાર્ય પદવી વિ.સં. ૨૦૩૯માં જયપુર મુકામે થઈ. પૂ.આ. શ્રી જિનકાંતિસાગરસૂરિજીનો જન્મ વિ.સં. ૧૯૬૮માં રતનગઢ ગામે થયો. પૂજ્યશ્રીની દીક્ષા અનૂપ શહેરમાં વિ.સં. ૧૯૮૮માં પૂ. આ. શ્રી જિનરિસાગરસૂરિજી મ.ના વરદ હસ્તે થઈ, વિ.સં. ૨૦૪૨માં રાજસ્થાનના માંડવલા ગામે નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની પ્રત્યેક નિશ્રામાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, બિહાર, બંગાળ, આંધ્ર, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને છેક જમ્મુ કાશ્મિરમાં અપૂર્વ, અનુપમ અને અવિસ્મરણીય એવાં અનેકવિધ ધર્મકાર્યો સુસંપન્ન થયાં હતાં. સાક્ષરતાને વરેલા આ પૂજ્યશ્રી પ્રખર વક્તા હતા, ઓજસ્વી અને તેજસ્વી સૂરિવર હતા. ધર્મસંસ્કારથી સંપન્ન એવા પિતાશ્રી મુક્તિમલજી તથા માતુશ્રી સોહનદેવીની કુક્ષિએ જન્મેલા આ મહાન જ્યોતિર્ધરે બચપણથી જ જૈનધર્મના સંસ્કારો પોતાના જીવન સાથે વણી લીધા હતા. પૂજ્યશ્રીના ગુરુદેવ પણ એક પ્રકાંડ શ્રુતધર હતા. તેમનું જીવન પણ વાત્સલ્યમય હતું અને એટલું જ અનુશાસનપ્રિય હતું. તેમણે સંઘ અને સમાજના વિકાસ માટે અનેક નિયમોનું વિધાન કરેલ. પૂજ્યશ્રીએ પોતાના સમગ્ર દીક્ષાપર્યાય દરમ્યાન જૈન ધર્મના, જૈન સાહિત્યના અને ચતુર્વિધ સંઘના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન તન-મનથી સમર્પિત કરવાપૂર્વક પોતાના આત્મકલ્યાણનું પણ એટલું જ જતન કર્યું હતું. આજે પણ પૂજ્યશ્રીના શિષ્યરત્નો પૂ. ઉપા. શ્રી મણિપ્રભસાગરજી મહારાજ, પૂ. મનોજ્ઞસાગરજી મ., પૂ. મુક્તિપ્રભસાગરજી મ., પૂ. સુયશપ્રભસાગરજી મ., પૂ મહિમાપ્રભ સાગરજી મ., પૂ. લલિતપ્રભસાગરજી મ., પૂ. ચંદ્રપ્રભસાગરજી મ. આદિ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પૂજ્યશ્રીએ દર્શાવેલ જૈનશાસનના ઉત્કર્ષમાર્ગને શાસનપ્રભાવનાપૂર્વક શોભાવી રહેલ છે. આવા નીડર વક્તા, અનુયોગાચાર્ય, ક્રાંતિકારી સૂરિવર્ય પૂ. આ. શ્રી જિનકાંતિસૂરીશ્વરજી મહારાજશ્રીને કોટિ કોટિ વંદના. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy