SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પ્રવ્રજ્યાના પુનીત પંથે પ્રયાણ : પારસમણિનો સ્પર્શ તો લોહને સુવર્ણ બનાવે પણ સત્સંગનો રંગ જીવનમાં શું પરિણામ ન લાવે? એક સુભાગી દિને પૂ શાસનસમ્રાટશ્રી આચાર્યદેવશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ અમદાવાદ-પાંજરાપોળના ઉપાશ્રયે વિરાજિત હતા. પૂજ્યશ્રીના શિષ્ય પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ સાથે કાંતિલાલનો સત્સંગ ચાલ્યો. એ પવિત્ર પુરુષના સમાગમથી એમની વૈરાગ્યભાવના ઉત્કટ બનતી ચાલી. આખરે એ ભાવનાથી પ્રેરાઈને, કુટુંબીજનોની અનુમતિની ચિંતા કર્યા વગર એક ધન્ય દિને, સં. ૧૯૭૬ના ફાગણ વદ ૩ના દિને, ભવિષ્યના શાસનોદ્યોતકર બનનાર આ ચરિત્રનાયકે મારવાડના માવલી સ્ટેશન પાસે ગોધૂમ ક્ષેત્રમાં શાંતિમૂર્તિ વાત્સલ્યવારિધિ પૂ. પંન્યાસશ્રી વિજ્ઞાનવિજયજી મહારાજ પાસે, સર્પ જેમ કાંચળી ઉતારે તેમ, સંસારની માયા છોડી, મહાભિનિષ્ક્રમણના પંથે પ્રયાણ કર્યું. સંયમદાતા ગુરુદેવશ્રીએ પોતાના આ નૂતન શિષ્યને મુનિશ્રી કસ્તૂરવિજયજી નામે ઘોષિત કર્યા. તેઓશ્રીના જીવનમાં ગુરુભક્તિ, શ્રુતભક્તિ અને ચારિત્રભક્તિનો અલૌકિક ત્રિવેણીસંગમ બહુ અલ્પ સમયમાં જ સાકાર થયો. છેલ્લા કેટલાય દાયકાથી સુષુપ્તાવસ્થામાં રહેલી પ્રાકૃત ભાષાને ચેતનવંતી કરી પુનર્જીવન આપ્યું અને તેઓશ્રી પ્રાકૃતવિશારદ, સાહિત્યના મર્મજ્ઞ અને આગમજ્ઞાતા બન્યા. ‘ભગવાન મહાવીર’, ‘પાઠ્ય વિત્રાળ માદા’ વગેરે ૩૯ પુસ્તકોનું સંપાદન, સર્જન અને ભાષાન્તર કર્યું. આમ, તેઓશ્રીએ જીવનમાં પ્રાપ્ત કરેલી જ્ઞાનગંગાનો ખજાનો સંઘ-શાસનને કાયમ માટે સમર્પિત કર્યો. શાસનોદ્યોતક પાવન પ્રસંગો : સૂરિમંત્ર-સાધક પૂજ્યપાદ ધર્મરાજાએ વહેલી સવારે ધ્યાનના વિષયમાં સાક્ષાત્ સમવસરણસ્થ ભાવ જિનેશ્વરનાં દર્શન કર્યા અને આવું કોઈ પવિત્ર સ્થાન સમવસરણ જેવું બને તેવી ઝંખના થઈ અને તેઓશ્રીના વિનયી શિષ્ય શ્રી ચંદ્રોદયવિજયજી (હાલ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરિજી) મહારાજ છેલ્લાં ઘણાં વર્ષથી ભારે જહેમત ઉઠાવી તથા પોતાના ગુરુબંધુ (સંસારી મોટાભાઈ) પૂ. આચાર્યશ્રી વિજયઅશોકચંદ્રસૂરિજી મહારાજે સમોવસરણની એ ઝંખનાને સાકાર બનાવી છે. તેમ જ બન્ને ગુરુબંધુઓએ ઉપકારી ગુરુદેવનાં છેલ્લાં વર્ષ સુધી સતત સાન્નિધ્યમાં રહી, ગુરુભક્તિઅનુભવજ્ઞાન આદિ ગુણો સંપાદન કર્યા છે, અને અત્યારે ગુરુભક્તિનાં મીઠાં ફળ અનુભવી રહ્યા છે. જીવનની સર્વોત્કૃષ્ટ સાધનાને સિદ્ધ કરી ચૂકેલા આ દિવ્ય Jain Education International ધન્ય ધરાઃ વિભૂતિની સોજિત્રા મુકામે સં. ૨૦૩૨ના વૈશાખ વદ ૧૩ની સાંજે તબિયત નરમ થવા સાથે હૃદયરોગનો હુમલો થયો. મરણાસન્ન સ્થિતિની તીવ્ર અસર હોવા છતાં તેઓશ્રી પ્રસન્ન ચિત્તે વધુ ને વધુ સ્વાધ્યાયની મસ્તીમાં મહાલતા જણાતા હતા. આ સમયે સર્વ શ્રમણભગવંતો, સંઘના આગેવાનો તથા ભાવિકગણ સેવામાં ખડે પગે હાજર હતા, જ્યારે બીજી બાજુ જીવનદીપ બુઝાવાની તૈયારીમાં વધુ ને વધુ આત્મતેજ પાથરતો જતો હતો. પૂજ્યશ્રીનો ‘ૐ હ્રીં અહં નમઃ’નો જાપ ચાલુ જ હતો. જાણે જીવનપર્યંત કરેલી ગુરુસેવા, શ્રુતોપાસના અને શાસનોપાસના જ ન હોય શું! વહેલી સવારે ૪ કલાક અને ૦૨ મિનિટે, જાણે ભૂમિતલ ઉપરનું તેમનું કાર્ય પૂર્ણ થયું હોય તેમ, સ્વર્ગે પધાર્યા. તે પહેલાં ત્રણ-સાડાત્રણ વાગે તો તેમની નિત્યક્રમાનુસાર નવકારવાળી, જાપ-ધ્યાન, જીવનમાં કરેલી યાત્રાઓનું સંસ્મરણ વગેરે આત્મરમણતાની પ્રક્રિયા ચાલુ જ હતી. જીવનની અંતિમ ક્ષણોમાં પણ સંયમ-સાધનાનો તેજ– ચળકાટ ચોમેર પ્રસરીને સૌને આંસુભીનાં કરી ગયો! જીવનના અંતિમ શ્વાસ સુધી આત્માના રોમે રોમ જિનશાસન અને ગુરુદેવ પ્રત્યે અતૂટ સ્નેહ; સર્વોત્કૃષ્ટ ગુણોથી સભર આરાધના એ સર્વનું પ્રેરણાપરબ બની રહે, કાયમનો જાજરમાન ઇતિહાસ બની રહે તે માટે ધર્મરાજાની ગુરુમૂર્તિ ગુરુમંદિરમાં સોજિત્રા મુકામે સકલ સંઘના દર્શનાર્થે પ્રતિષ્ઠિત કરવામાં આવી. એવા એ સિદ્ધાંતમહોદધિ, ગુણગાંભીર્યનિધિ, શ્રુતસ્થવિર કૃપાળુએ પોતાનું જીવન કૃતકૃત્ય, ધન્યાતિધન્ય બનાવી, જિનશાસનનાં અનેક પ્રભાવપૂર્ણ કાર્યોથી પોતાનું નામ જૈન શ્રમણોની પરંપરામાં તેમ જ જૈન શ્રુતસાહિત્યના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકિત કર્યું છે! સૌજન્ય : જિનશાસન શણગાર ૫.પૂ.આ.શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા સૂરિમંત્ર સમારાધક પ.પૂ.આ.શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની સ્મૃતિમાં શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરિ જ્ઞાનમંદિર- સુરત વિદર્ભના વિજયવંત વિહારી', વિઘ્નહર પાર્શ્વનાથ તીર્થસ્થાપક : ધર્મદિવાકર પૂજ્ય આચાર્યશ્રી વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ ભુવનમાં તિલક સમા શોભતા પૂ. આ. શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કવિકુલકિરીટ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની પાટ પર નંદનવનમાંના કલ્પતરુ સમાન શોભી રહ્યા હતા. વડોદરા પાસેની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy