________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શાસનદીપક પ્રજ્ઞાપુરી
શાસનપતિ પ્રભુ મહાવીરદેવે સ્થાપેલા અનંતકલ્યાણકર જૈનશાસનની ધવલોજ્વલ પરંપરા આજે પણ ઝળહળી રહી છે અને જૈન શાસનની આ જ્વલંત જ્યોત હજુ ૧૦૫૦૦ વર્ષ ઝળહળતી રહેશે. આ પરમ પાવન પ્રભુશાસનને વહેતું રાખનાર સરિતાપટ એટલે ચતુર્વિધ સંઘ. તેમાં પણ શાસનદીપક સૂરિવરોનું યોગદાન અણમોલ છે. વિશિષ્ટ પ્રતિભાસંપન્ન સૂરિવરોએ અષ્ટવિધ પ્રભાવકતાનો નાદ ગજવી ઘટ-ઘટમાં શાસનનો અનુરાગ જગાડ્યો. જિનવચનના ઊંડા મર્મોને સ્પર્શેલા એ પૂજ્યવર્યોએ જગતને સાચી દિશા ચીંધી.
તીર્થકર દેવની જિનજિનકર્મના અચિન્ય પુણ્યપ્રભાવે પ્રભુશાસનની ધુરાને વહન કરનારા સમર્થ પ્રતિભાસંપન્ન સૂરિવરોની સંપ્રાપ્તિ પ્રત્યેક કાલખંડમાં શ્રી સંઘને થતી રહી. આરાધક, પ્રભાવક અને રક્ષક બની પ્રભુશાસનની દિવ્ય દીપ્તિને એમણે દિગંતમાં પ્રસારી. વર્તમાનજૈન સંઘ પણ આવા પ્રભાવક શાસનદીપક સૂરિવરોથી ઊજળો છે. આજના વિષમ કાળમાં પ્રભુશાસનની જ્યોતને ઝળહળતી રાખવામાં અને શ્રી સંઘનું યોગક્ષેમ કરવામાં આ સૂરિવરોનો સિંહફાળો છે.
હજારો પુણ્યાત્માઓના પરમ તારકઃ પૂ. આ.શ્રી વિજયોદયસૂરીશ્વરજી મ.
સૌના દાદા, ઉપશમરસસિધુ, ગીતાર્થસાર્થશિરોમણિ, પ્રાતઃસ્મરણીય નામધેય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયોદયસૂરીશ્વરજી મહારાજ એટલે આજીવન જ્ઞાન અને તપની સાક્ષાત્ મૂર્તિ. લોકોત્તર જિનશાસનમાં આત્માના અનંત ગુણો દર્શાવ્યા છે. તેમાં બે ગુણ મુખ્ય છે : જ્ઞાન અને દર્શન. એમાંયે જ્ઞાન જ પ્રધાન છે. જ્ઞાન જ સમ્યફ દર્શનનું કારણ છે. આવી વિશિષ્ટ જ્ઞાનદૃષ્ટિને જ જન્મજાત આત્મસાત્ કરીને ધર્મપ્રીતિ દાખવતા ઉજમશીભાઈ અન્ય મિત્રો સાથે ધાર્મિક અધ્યયનમાં મગ્ન રહેતા જ હતા. એવામાં એમના શહેર ખંભાતમાં વિ.સં. ૧૯૫૪માં શાસનસમ્રાટ ગુરુભગવંતનું આગમન થયું; અને જાણે સોનામાં સુગંધ મળી! પૂ. ગુરુદેવ તો જંગમ (હાલતી–ચાલતી) પાઠશાળા હતા. શ્રી ઉજમશીભાઈ અને તેમના અન્ય મિત્રો-હીરાલાલ, વાડીલાલ, દલસુખભાઈ, આશાલાલ, ઉમેદચંદ, નારાયણદાસ વગેરે સર્વ કોઈ પૂ. ગુરુદેવની જંગમ પાઠશાળાના નિયમિત વિદ્યાર્થીઓ બની રહ્યા. શ્રી ઉજમશીભાઈએ જોતજોતામાં પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કરવા સાથે પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ આદિ શાસ્ત્રીય ગ્રંથોનો સમજણપૂર્વક અભ્યાસ કર્યો. પૂ. ગુરુદેવના વિહાર સાથે અન્યત્ર જઈને પણ તેઓ પોતાની જ્ઞાનપિપાસા મિટાવતા. તેઓ સોળ વર્ષની નાની વયે “ચંદ્રપ્રભા'
નામક (૮ હજાર શ્લોકપ્રમાણ) વ્યાકરણ ભણીને પારંગત થયા. એટલું જ નહિ, પૂ. સાધુ-સાધ્વીજીઓને પણ પ્રકરણાદિ સ્વપઠિત ગ્રંથોનું સાંગોપાંગ અધ્યાપન કરાવતા થયા.
સ્વાધ્યાય-તપ : અન્યને જેમ અભ્યાસમગ્ન રાખતા, તેમ પોતે પણ સતત અભ્યાસમાં લીન રહેતા. અન્ય કાર્યો કરતાં કરતાં પણ તેઓશ્રીની આંતરગુહામાં જપ-તપ ચાલ્યા જ કરતાં. પાંચતિથિ તપ કરવાનો જ આગ્રહ રાખતા. શ્રી જ્ઞાનપંચમી તપ, વીશ સ્થાનક તપ, આદિ તપોનું વિધિપૂર્વક આરાધન કરેલું. અરે, દીક્ષા ગ્રહણ કરતી વખતે પણ તેમણે અટ્ટમ કર્યો હતો!
વિશ્રામણા : એવા તપસ્વી પૂજ્યશ્રીને સં. ૨૦૨૦માં ભાવનગર મુકામે પક્ષઘાતનો અસાધ્ય હુમલો થયો. અને કેટલાંક ધર્મકાર્યો અને તપ-જપમાં ઊભી થયેલી આ દૈહિક મર્યાદાથી તેઓશ્રી વારંવાર દુઃખ વ્યક્ત કરતા. તેમ છતાં, શાસનપ્રભાવનાથી એક ક્ષણ પણ અલિપ્ત રહેતા નહીં. એટલે જ, વિશ્રામણા તો એમની જ એમ કહેવાતું. માર્ગ–પતિતને માર્ગ પર લાવીને સ્થિર કરવો એનું નામ વિશ્રામણા.
વિશુદ્ધ વિધિવિધાન : પૂજ્યશ્રીની નિશ્રામાં જ્યાં જ્યાં વિધિવિધાનો થતાં ત્યાં ત્યાં અપૂર્વ, આલાદક અને મંગલમય વાતાવરણ ખડું થઈ જતું. તેઓશ્રીના વરદ હસ્તે અનેક દીક્ષાઓ, વડી દીક્ષાઓ, યોગ–અનુયોગાદિ વિધિઓ તેમ જ શાંતિસ્નાત્રપ્રતિષ્ઠા-અંજનશલાકાના તથા અન્–મહાપૂજન, નંદ્યાવર્તપૂજન, સિદ્ધચક્રપૂજન આદિ પૂજનોનાં સમગ્ર વિધાનો
પૂજન-જનશલાકાના લાગાદિ વિધિઓ
Jain Education Intemational
cation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org