________________
૪૦૪
ધન્ય ધરાઃ
સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયાના અસંખ્ય ઉદાહરણો સાંપડે છે.
મંગળ-મુહૂર્તદાતા : પૂ. આચાર્યશ્રી જ્યોતિષશાસ્ત્રના અને શિલ્પશાસ્ત્રના પ્રખર જ્ઞાતા હતા. પૂજ્યશ્રી પાસેથી પ્રતિષ્ઠા-અંજનશલાકા આદિ મહોત્સવોનાં મુહૂર્ત લેવા દેશભરમાંથી અસંખ્ય લોકો સતત આવ્યા જ કરતા. તેઓશ્રીનું આપેલું મુહૂર્ત અપૂર્વ ઉત્સાહ અને અનેરા આનંદથી નિર્વિદને સંપન્ન થતું. | [આ વિરલ વિભૂતિની કેટલીક સ્થૂળ વિગતો : સં. ૧૯૪૪ના પોષ સુદ ૧૩ના તીર્થ ભૂમિ સ્થંભન (ખંભાત)માં જન્મ. પિતા છોટાલાલભાઈ અને માતા પરસનબહેન. ખેડા જિલ્લાના માતર તીર્થ પાસેના દેવા ગામમાં સં. ૧૯૬૨ના વૈશાખ સુદ પાંચમે ભાગવતી દીક્ષા. કપડવંજ મુકામે સં. ૧૯૬૯માં અષાઢ સુદ પાંચમે ગણિપદ અને અષાઢ વદ ૯ના પંન્યાસપદ. સાદડી (મારવાડ)માં સં. ૧૯૭૨ના માગશર વદ ૩ના ઉપાધ્યાયપદ, ખંભાતનગરે સં. ૧૯૭૯ના વૈશાખ વદ બીજને શુભ દિને આચાર્યપદ.] | (સંકલન : પૂ. પંન્યાસશ્રી હાલ આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મહારાજના
લેખમાંથી ટૂંકાવીને) પૂ. આગમોદ્ધારકશ્રીનાં વિશાળ કાર્યો અને
સ્વસમુદાયને સફળતાપૂર્વક સંભાળનાર પૂ. આ.શ્રી માણિક્યસાગરસૂરિજી મ.સા.
પરમ પૂજ્ય આગમોદ્ધારક, આગમમંદિર સંસ્થાપક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર સૌમ્ય અને પ્રશાંતમૂર્તિ આચાર્યદેવશ્રી માણિજ્યસાગરસૂરીજીનો જન્મ વિ.સં. ૧૯૪૮માં ભરૂચ જિલ્લાના જંબુસર ગામે થયો હતો. તેમનું જન્મનામ મોહનભાઈ હતું. પિતા પાનાચંદભાઈ અને ગંગા સમાન માતા ગંગામાએ બાલ્યવયમાં જ સંસ્કારોનું સિંચન કર્યું. વ્યવસાય અર્થે સુરત આવેલા મોહનભાઈને પૂજ્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજનો સમાગમ થયો, અને દીક્ષા લેવાની ભાવના જાગી. કુટુંબીજનોએ આ વાત જાણી પણ અનુમતિ ન આપી. આથી એક દિવસ ઘરેથી ભાગી, ભરૂચ આવી અને ૧૯ વર્ષની ઉંમરે, યુવાનીમાં પગ મૂકતાં જ, પૂ. આગમોદ્ધારકશ્રીની નિશ્રામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. પૂ. ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં રહીને જ્ઞાન-ધ્યાનની સાધનામાં નિમગ્ન બન્યા. ગુરુનિશ્રાએ અલ્પસમયમાં વ્યાકરણ, તર્ક, ન્યાયાદિ શાસ્ત્રના તેમ જ યોગોદ્ધહન કરવાપૂર્વક આગમોના ઊંડા
અભ્યાસી બન્યા. પૂજ્યશ્રીમાં ગુરુભક્તિ-વૈયાવચ્ચનો ગુણ અપૂર્વ હતો. લઘુવયમાં ગુરુદેવ સાથે શ્રી સમેતશિખરજી આદિ મહાતીર્થોની યાત્રા કરવાપૂર્વક કલકત્તામાં ચાતુર્માસ કર્યું. કારતક વદ ૧૦ દિવસે ગણિ પદ, પન્યાસ પદ અને ભોયણી તીર્થમાં મહા સુદ ૧૦ને દિવસે ઉપાધ્યાય પદ અર્પણ કરવામાં આવ્યાં. જ્ઞાનધ્યાનની પ્રવૃત્તિઓ સતત ચાલતી જ હતી. સં. ૧૯૯૨માં પૂ. ગુરુભગવંતે સર્વ પ્રકારે યોગ્યતા જાણી તેઓશ્રીને નવકાર મંત્રના તૃતીયાપદ-આચાર્ય પદ પર આરૂઢ કરી પોતાના પટ્ટધર બનાવ્યા. સં. ૨૦૦૬માં પૂજ્ય ગુરુદેવનો સ્વર્ગવાસ થતાં પૂજયશ્રી સમુદાયના ગચ્છનાયક બન્યા. સં. ૨૦૦૭માં તેઓશ્રીએ પં. શ્રી ચંદ્રસાગરજી મહારાજ તથા પં. શ્રી હમસાગરજી મહારાજને આચાર્ય પદ તેમ જ પં. શ્રી દેવેન્દ્રસાગરજી મહારાજને ઉપાધ્યાય પદ સમર્પણ કર્યા.
પૂ. આગમોદ્ધારકશ્રીએ પોતાના જીવન દરમિયાન ૮૦ હજાર શ્લોકપ્રમાણ પ્રસારિત કર્યું, તેને સંસ્કૃત-પ્રાકૃત-હિન્દીગુજરાતી ભાષામાં સંકલનાબદ્ધ રીતિએ પ્રતાકારે–પુસ્તકાકારે શતાધિક ગ્રંથો મુદ્રિત કરવાનું ભગીરથ કાર્ય પૂજ્યશ્રીએ પાર પાડ્યું. આથી તેઓશ્રી મોટા ભાગે ચિંતનમગ્ન મુદ્રામાં જોવા મળતા. પૂ. આચાર્યશ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સેંકડો દીક્ષાઓ થઈ. પૂજ્યશ્રીના સ્વશિષ્યોની સંખ્યા ૧૪ છે. અનેક સ્થળે તેઓશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા મહોત્સવો, ઉદ્યાપનમહોત્રાવો આદિ ઊજવાયા. ઉપધાનતપની આરાધનાઓ પણ અનેક સ્થળોએ થઈ. અનેકવિધ અનુષ્ઠાનો ભવ્ય રીતે ઊજવાયાં. પૂ. સાધ્વીશ્રી રંજનશ્રીજીના ઉપદેશથી જેનો ઐતિહાસિક જીર્ણોદ્ધાર થયેલ તે શ્રી સમેતશિખર મહાતીર્થનો ભવ્યાતિભવ્ય અંજનશલાકા–પ્રતિષ્ઠા મહોત્સવ સં. ૨૦૧૭માં પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં ઊજવાયો. સં. ૨૦૨૯માં સુરતમાં શ્રી તામ્રપત્ર આગમ મંદિરમાં રજત મહોત્સવ પ્રસંગે પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં ૧૦ મુનિરાજોને ગણિ પદ-પંન્યાસ પદની પદવી અર્પણ કરવામાં આવી. સં. ૨૦૩૦માં લુણાવાડા શ્રીસંઘની ભાવપૂર્ણ વિનંતી સ્વીકારીને પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે લુણાવાડા પધાર્યા. ચાતુર્માસ વિવિધ આરાધનામય અને શાસનપ્રભાવનાપૂર્વક વીત્યું. સં. ૨૦૩૧ના ચૈત્ર માસમાં પૂજ્યશ્રીનું સ્વાથ્ય વધુ નરમ બન્યું. ચૈત્ર વદ ૭ની રાત્રિ ખૂબ અશાતામાં પણ સમતાપૂર્વક નવકારમંત્રના શ્રવણ-સ્મરણ સાથે વિતાવી. ચેત્ર વદ ૮ની ઉષાએ અનેક સ્થળોએથી ભાવિકો શાતા પૂછવા આવવા લાગ્યા. નમસ્કાર મંત્રના જાપ ચાલુ જ હતા. પૂજ્યશ્રી સંઘની વિદાય માગતા હોય તેમ ક્ષમાયાચના માગી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org