________________
અનમોના AANANછ વાંચો, વિચારજો અને વિનિમય કરજો
શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરિ-જયસોમ વિજયેભ્યો નમઃ
જૈન અને જૈનેત્તર સમાજને સંસ્કારસભર-સુંદર અને સાંસ્કૃતિક સાહિત્યના રસથાળો પીરસનાર જન્મે જૈનેત્તર પણ કાર્યથી વફાદાર જૈન એવા ધૃતોપાસક શ્રી નંદલાલભાઈ દેવલુકની લેખની લેખો લખવા-સંગ્રહ કરવા અવિરત ચાલતી રહી, જેના પરિણામે આજે આધેડ વયમાં પણ તેમણે “એકે હજારાના”ના ન્યાયે જૈન તથા હિંદુ સમાજને પ્રસ્તુત વિશિષ્ટ ગ્રંથ “ધન્યધરા શાશ્વત રભ' પ્રદાન કર્યો છે, જે ભાવિકાળની પ્રજાને માટે એક આદર્શ ગ્રંથ બની રહેશે એમ નિર્વિવાદ સત્ય છે.
જ્યાં નામનાની કામના વગર નિષ્ઠાપૂર્વક સત્કાર્યો થાય ત્યાં સારા કામની સાથે વ્યક્તિનું નામ અને વ્યક્તિત્વ તેનો પડછાયો | બની ચાલે છે. તેમાંય વિશિષ્ટ પ્રતિભાઓને સવિશેષ ન્યાય (મુનિ જયદર્શનવિજયજી મ. આપવો, જિનશાસનની સાહિત્યિક પ્રભાવના જોરશોર કરી દેવી તે ખાવાના ખેલ નથી.
પ્રસંગોચિત્ત યાદ આવે છે કે જ્યારે સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સા. તથા મારા નવકારાધક ગુરુદેવ પં.પૂ. જયસોમ વિ.મ.સા.ની સાથે અમે વિ.સં. ૨૦૫૭ની ચેત્ર માસની ઓળીમાં અનેક મહાત્માઓ સાથે ભાવનગર દાદાસાહેબજીના ઉપાશ્રયમાં હતા ત્યારે જ અમારા દાદાગુરુદેવે બધાય સાધુ-સાધ્વી ભગવંતો વચ્ચે શ્રી નંદલાલભાઈ દેવલુકના નૂતન પ્રકાશનો માટે લેખની ચલાવવા અને તેમને શ્રુતપાથેય પૂરું પાડી આપવા મંગળકળશ મારા માથે જ ઢોળ્યો હતો, જેને ગુરુકૃપા માની ખાસ ખાસ લેખો રચી સાહિત્યકારશ્રીને સહયોગ આપ્યો હતો.
આજે જ્યારે નૂતન નજરાણું પ્રકાશિત થાય છે ત્યારે ઉદારવાદ અને ઉદાત્ત સ્યાદ્વાદી | ભગવાનનો સંદેશ જૈનેતરો સુધી પહોંચાડવા મહામંત્ર નવકારના ૬૮ અક્ષરોની સંખ્યા ધ્યાનમાં લઈ ફક્ત ૬૮ નાના-નાના જૈન-જૈનેતર પ્રસંગોને નૂતન ગ્રંથમાં સમાવેશ કરવા વિવિધ સત્ય
કથાનકોનો સહારો લઈ ગુરકપાથી રચી આપ્યા છે. (આ લેખમાળા ધન્ય ધરાઃ શાશ્વત,
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org