SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ સૌરભ ભાગ-૨માં પ્રગટ થયેલ છે.) જેથી સંસ્કારી વર્ગને જરૂર ખ્યાલમાં આવી જશે કે કોઈ પણ માનવીમાં નાનો પણ વિશિષ્ટ ગુણ દેખાય તેની અનુમોદના કરતાં સ્વયંનો આત્મા જ સહજાનંદ દશા પામે છે. ધન્ય ધરાઃ ખાસ તો શ્રુતસર્જક શ્રીમાન નંદલાલભાઈને સંદેશ કે જ્યાં સુધી શારીરિક અનુકૂળતાઓ જણાય, કોઈ બીજીત્રીજી પ્રતિકૂળતાઓ ન દેખાય ત્યાં સુધી સફરને આગળને આગળ ધપાવશો, કારણ કે સર્જકને પોતાના કાર્યરસની ઓતપ્રોતદશામાં ખ્યાલ પણ નથી હોતો કે સ્વયં સમાજની સાચી સેવામાં કેવા નિમિત્ત બની ગયા છે. જ્યાં ગુલાબ ત્યાં કાંટા રહેવાના, જ્યાં ગામ ત્યાં ઉકરડો પણ રહેવાનો, જ્યાં રસોડું ત્યાં વાસણ તો ખખડવાના, છતાંય ફક્ત ‘સુ’ના પક્ષમાં રહેનારને “”નો સામનો નથી કરવો પડતો કે ન તો પ્રતિકાર કરતા રહેવામાં પોતાની શક્તિને વેડફવી પડતી. તે જ કારણ છે અત્યાર સુધીના તમામ ગ્રંથોમાં સાહિત્યકારે સારી અને સાચી ઘટનાઓને સ્થાન આપી સન્માન સ્વયં મેળવી લીધું છે અને તેજ જીવનની સંધ્યાએ તેમની જીવનમૂડી રૂપ છે. શ્રુતપ્રેમી વર્ગ શાંતિથી અન્ય લેખકોના પણ લેખો અને ભાવો વાંચે-વિચારે-વિનિમય કરે અને નિઃસ્વાર્થભાવે સારા સાહિત્યના પ્રચારમાં સહયોગ પ્રદાન કરે તથા શાશ્વત સૌરભની સુગંધીને પ્રસારિત થતી રહેવા દે, તેટલું જ માત્ર પગલું નૂતન રચનાની સાચી કદરદાની બની જશે. શ્રુતદેવતા સરસ્વતી-ભગવતીને પણ વંદના કરશો કે જેની ગુપ્ત સહાયકદશાથી જ આવા વિરાટ ગ્રંથોના વિશાળ કાર્યો નિર્વિઘ્ન પાર પડે છે. અસ્તુ. ધન્ય ધરા: અભિવાદન ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ભાગ-૨'નું પ્રકાશન ભાગ-૧ પૂર્વે જ થઈ ગયું, તે આનંદ આનંદનો વિષય કહેવાય. ભાગ-૨માં વિવિધ પ્રતિભાઓનો પરિચય તે પણ ફોટા તથા છાયાચિત્રો સાથે કરાવી લોકોમાં વિવિધ જ્ઞાન-ક્ષિતિજોના દર્શન માટે આમંત્રણ સમાન દળદાર ગ્રંથરચના થઈ છે, તેમાંય બીભત્સચિત્રોની હરિફાઈની વિસ્મયતા વચ્ચે સંસ્કૃતિ અને સંસ્કારસભર કેળવણી વિભાગમાં જે છબીઓ અને ચિત્રો સાથેની પ્રસ્તુતિ છે, તે અવગાહવા યોગ્ય છે. ગ્રંથ દ્વારા પુરુષ પ્રધાન ધર્મ છતાંય સ્વસ્થાનની મર્યાદાથી નારી-પ્રતિભાઓને પણ પ્રકાશમાં લાવવાનો પ્રયાસ ગ્રંથમાં ઝળકાય છે. નિસર્ગના પર્વતોથી ખળખળ વહી રહેલા ઝરણાઓનું મુખ્ય કવરપેજ ધન્યધરાના નામને સાર્થક કરતું ચિત્ર છે, અને અંતિમ કવરપેજ દ્વારા પુનઃ એકવાર સરસ્વતીલબ્ધપ્રસાદ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીને શ્રુતરચનાનો શ્રેય આપવા પાછળ ગંભીર ઉદ્દેશ્ય છૂપાયેલો ઝળકાય છે. ભાગ-૧ તથા ભાગ-૨ને સૌ વિદ્વાનો અને સાક્ષરો જરૂર વધાવશે તેવી શુભાપેક્ષા. श्रुतदेवताय नमो नमः —મુનિ જયદર્શન વિજય * પૂજ્યશ્રીના અમે ૠણી છીએ * ધન્ય ધરાઃ શાશ્વત સૌરભ ગ્રંથનું આયોજન આકાર લઈ રહ્યું હતું તેમાં શરૂથી જ શ્રી સાગરાનંદસૂરિ સમુદાયના સાહિત્યરસિક આચાર્ય શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી અમને ઠીક ઠીક સહયોગ પ્રાપ્ત થયો છે. પૂજ્યશ્રીના અમે અત્યંત ૠણી છીએ. વિનમ્રતાની મૂર્તિસમા આ નૂતન આચાર્યશ્રી શ્રમણસંઘનું ગૌરવશાળી રત્ન છે. પૂજ્યશ્રીને લાખ લાખ વંદનાઓ. -ગ્રંથ સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy