________________
ધન્ય ધરાઃ
સમાપન અને આભારદર્શન
દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિ મ.સા.ના શિષ્યરત્ન પૂ.પં.શ્રી રશ્મિરત્નવિજયજી મહારાજશ્રીએ સમય કાઢીને પણ આ ગ્રંથના પ્રથમ ભાગની મોટાભાગની લેખમાળાઓનું સાદ્યન્ત અવલોકન કર્યું છે અને તેના આધારે જ પૂજ્યશ્રીએ આ ગ્રંથની સુંદર પ્રસ્તાવના નોંધ લખી આપી છે. પૂજ્યશ્રીના અમે ઋણી છીએ. પૂ. મુનિશ્રી જયદર્શનવિજયજી તથા પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી હરિશભદ્રવિજયજી મ.સાના આભારી છીએ. ભાવજગતના નામાંકિત પ્રા. શ્રી જનાર્દનભાઈ દવે જેઓએ ઉપનિષદો, મહાભારત અને ભાગવત જેવા વૈદિક દર્શન સાથે જૈનદર્શન અને તંત્રોમાં પણ પારંગતતા મેળવી છે એવા આ સ્વાધ્યાપ્રેમી મળવા જેવા માણસ છે. પ્રસંગોપાત તેમની હૂંફથી ઘણી જ હળવાશ અનુભવાઈ છે. નામી અનામી સેંકડો ધર્મશ્રદ્ધાળુઓએ શુભેચ્છાઓ વ્યક્ત કરી છે તેનું જ આ પરિણામ છે. ગ્રંથના છાપકામ માટે સતત ચિંતા અને ચીવટ રાખનાર શ્રી જ્ઞાનચંદજી જૈન અને તેમના સુપુત્રો નિલયભાઈ અને નિલેશભાઈની ઊંડી સહાનુભૂતિ અને સહયોગથી જ અમે હળવા બની શક્યા છીએ તેમના પણ આભારી છીએ.
અમે અત્રે જૈનશાસનના વિવિધ ક્ષેત્રની પ્રતિભાઓના ગૌરવને આ વિરાટ ગ્રંથ દ્વારા મહાવિરાટને જોવાનો, આપ સૌને અમારા દર્શનમાં સહભાગી બનવાનો સત્સંકલ્પ લઈને બેઠા છીએ. માતા સરસ્વતીજીએ અમારી અભિલાષા પૂર્ણ કરી છે. અમારા મનોગત ભાવોને ભાષાબદ્ધ કરી, આપ સૌના ચરણોમાં શીશ નમાવી આપ સૌના આશીર્વાદ ઝંખીએ છીએ.
ગ્રંથને વૈવિધ્યસભર બનાવવા જ્યાં જ્યાંથી માહિતી મળી છે તે સૌનો ઋણ સ્વીકાર કરતાં આનંદ થાય છે અનેક દાતાઓએ અને શ્રેષ્ઠીઓએ આપેલા સહયોગ માટે અમે સૌના અત્યંત ઋણી છીએ. જામનગરના શ્રી મહેન્દ્રભાઈ ડી. શેઠ અને ગુજરાતના સાહિત્યરત્ન શ્રી કુમારપાળ દેસાઈ તથા ભાવનગરના મહિલા અધ્યાપક શ્રી પ્રફુલ્લાબહેન વોરાની લાગણી કયારેય ભૂલાય તેમ નથી. આ ગ્રંથ તૈયાર થવામાં અનેક હાથોની મદદ લીધી છે એ સૌનો આભાર માનીએ છીએ.
મારી ઉત્તરાવસ્થામાં સાર્થક ક્ષણોનો સદુપયોગ કરી લેવાની વિચારણાએ જ આ કામ ઝડપથી પૂરુ થઈ શક્યું છે. આ આયોજનને ઘણા મોટા સમુહના આશીર્વાદ અને શુભેચ્છા સંપ્રાપ્ત થયા છે એ સૌને આભારના આસોપાલવનથી શોભાવીએ છીએ. અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓએ ગ્રંથના આગોતરા ગ્રાહક થવામાં સહયોગ આપ્યો છે તે સૌના સૌજન્યની સહર્ષ નોંધ લીધી છે. ગ્રંથમાં પૂર્વકાલીન પ્રભાવકોના રેખાંકન ચિત્રો દ્વારકાના કલાવિ શ્રી સવજીભાઈ છાયાની પ્રેમાળ લાગણીથી તૈયાર કરાવીને મુકાયા છે. આ ચિત્રો જૈન શાસનના શણગાર નામના પુસ્તિકામાંથી સંકલનકાર કુસુમભાઈ એસ. ઝવેરીની સંમતિથી આઈપેપર ઉપરના રંગીન ફોટોગ્રાફ ઉપરથી લીધા છે. તેમના પણ અત્યંત આભારી છીએ.
આ ગ્રંથ પ્રકાશનમાં જાણે-અજાણે પણ જૈનધર્મ, જૈન પરંપરા કે જિનાજ્ઞા વિરુદ્ધ કોઈ પણ જાતનો ઉલ્લેખ થયો હોય, જરા સરખો અનાદર કે અવિવેક થયો હોય તો અંત:કરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. સૌનો ખૂબ ખૂબ આભાર.
-નંદલાલ દેવલુકના
જય જિનેન્દ્ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org