SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૩૫ સંબદ્ધપુરુષ, વાચસ્પતિઓ, શીલાબોધિ સાધુપુરુષો, પૂ. શ્રમણીરત્નો, મહારથીઓ, સાહિત્યસર્જકો, કવિઓ, દાર્શનિકો, વિવેચકોની એક ઉજ્વળ પરંપરા રહી છે. એમણે પ્રજા જીવનને પ્રેરણાના પીયુષ પાયા છે, ક્રાંતિના પંથે વાળ્યા છે, આધ્યાત્મ માર્ગે દોર્યા છે અને તેઓ સાચે જ માનવજીવનના પથદર્શકો રહ્યા છે. પૂર્વજોએ વહાવેલી આ ગુણાનુરાગી ગંગાનું આચમન જિજ્ઞાસુ જગતને દીર્ઘકાળ સુધી ભારે મોટું બળ આપી રહેશે. આ પચરંગી પ્રદેશ અંગે કોઈએ સાચું જ કહ્યું છે કે આ ધરતીમાં જે જે આવીને વસ્યા તેઓ વિનમ્ર થઈને રહ્યા અને તેથી જ આ ધરા એકસો જાતિનું નિરાળું સંગમતીર્થ બન્યું છે. આ ધરાના તીર્થધામો અને ગગનચુંબી મંદિરોના કોઈ અલૌકિક પ્રભાવથી અનેક સંતોમહંતો, ઋષિઓ અને કવિઓ આકર્ષાયા છે. સેવા સમર્પણની ભાવનાવાળા એવા ઘણાને આ ધરાના વિકાસમાં ઉલ્લેખનીય પ્રદાન નોંધાયું છે. જીવનમાં એકાદ વિશિષ્ટ કાર્ય દ્વારા ઉજળી લકિર અંકિત કરી જનારા પણ ઘણાં છે. સંશોધન ક્ષેત્રે નવી નવી કેડી કંડારી જનારા અને પ્રભુપ્રેરિત શક્તિઓનો યથાર્થ વિનિયોગ કરનારા વ્યક્તિ ચિત્રો અમીટ છાપ મુકી જનારા ઘણા છે. સંકલ્પ અને પુરુષાર્થ કરીને મેળવેલી ધનસંપત્તિ ધર્મમા વાપરી સુકૃત્યની કમાણી કરી લેનારા અને જીવન વ્યવહારોમાં સ્વસ્થ, સમદર્શી રહેનારા પણ ઘણાં છે. સ્વયં ભલા, ભોળા, સરળ અને નિખાલસ એવા દરિયાવદિલના શાલિભદ્ર સજ્જનો પણ ઘણાં છે. દુષ્કાળ કે ભુકંપ સમયે માનવસેવાનો યજ્ઞ આરંભનારા, મેડીકલ કેમ્પો, રાહત રસોડા, શિક્ષણમાં સહાય કરનારા ગૌરવશાળી પરિવારો પણ ઘણાં છે. જૈનાચાર્યો અને શ્રાવક, શ્રેષ્ઠીઓએ પણ હૈયાના ઉમળકાથી આપણને ઘણું જ બળ આપ્યું છે. આ પ્રોજેક્ટમાં સાગરાનંદસૂરિ સમુદાયના પ.પૂ.આ.શ્રી હર્ષસાગરસૂરીશ્વરજી મ. તથા જૈનસંઘના ટોચના અગ્રણી શ્રી દીપચંદભાઈ ગાર્ડીનું પ્રદાન નોંધપાત્ર છે. દક્ષિણ બારતના જૈન અગ્રેસરો શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ગુરુજી' તથા રાજેન્દ્રભાઈ દલાલની લાગણી ભૂલાય તેમ નથી. જૈન પરંપરામાં જીવનશિલ્પીઓ અત્રે વય, કક્ષા કે ફલકને લક્ષમાં ન રાખતા જે તે વ્યક્તિના કાર્યની સિદ્ધિને તેના ઉચ્ચત્તમ આદર્શોને કેન્દ્રમાં રાખીને તેમના ઉજળા વ્યક્તિત્વની ઝાંખી કરાવવાનો આ એક નૂતન અભિગમ છે. સમાજ પાસેથી અમે જે કાંઈ મેળવ્યું છે તે સવાયુ કરીને ઋણમુક્ત થવા એકમાત્ર સમર્પણભાવથી અમારો આ પ્રયાસ એક નવી જ ક્ષિતિજ દોરીને પુરુષાર્થની એક નવી જ કેડી કંડારવાનું અમે સદ્ભાગ્ય મેળવ્યું છે તેનો વિશેષ આનંદ છે. રત્નોની ખાણ સમી આ ભૂમિમાં વૈયક્તિક અને સામાજિક જીવનમાં જેમનું પ્રદાન ઘણું ઉપકારક છે. તેવી ધરતીની ધૂળમાં ધરબાયેલી વિભૂતિઓનું કૃતજ્ઞભાવે વિભૂતિસવ અજવાળવાનો અમારો આ ભક્તિનમ્ર અર્થ છે. ગુણગ્રાહી જીવોની જીવનયાત્રા બહાર લાવી એમના તપ-ત્યાગ-શીલની જીવનજ્યોત સમાજ સામે ધરવા અમે કૃતસંકલ્પ છીએ, આ ગ્રંથરત્ન દ્વારા ધરાની વિસ્તૃત પ્રતિભાઓનું સ્મરણ પણ અમારે મન એક મૂલ્યવાન લ્હાવો છે. પ્રતિભાસંપન્ન વ્યક્તિઓના જીવન કવનના વાંચન દ્વારા વિશ્વમંગલકારી જીવનની ઉષા આપણા સૌના જીવનમાં પણ કંકુ પગલા કરે એજ મહેચ્છા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy