________________
૩૪
જિનદર્શનના શ્રુતધરો, દાર્શનિકો, તપઃપુંજો, અર્ધમાગધીનાં શાસ્ત્રો-આગમોના પ્રભાવક વૃત્તિકારો, ભાષ્યકારો, કાવ્ય–ઇતિહાસનાં પૃષ્ઠો પર જેમણે શબ્દાલંકારણો, અર્થાલંકારો વડે અનેક વ્યક્તિત્વોને ઉદ્ભાસિત કર્યાં છે તેની વિગતે વાતો છે. મંદિરરચનાઓ, આગમોના સુવર્ણની શાહીથી મંડિત ચિત્રોવાળા ગ્રંથ શોભાની, મૂર્તિ વિધાનની, આંગીરચનાના તજજ્ઞોની, છ’રી પાળતા સંઘના સંઘપતિઓની, શાહ સોદાગરોની, મહાજન પરંપરાની એવી અવનવી સુરેખ, વિશ્વસ્ત, અતિશયોક્તિ વિનાની લેખનસમૃદ્ધિથી ઘણી વિગતો આપણને આ ગ્રંથમાં અમૃત સ્નાન કરાવે છે. વિશિષ્ટ કોટિના શ્રુતધરો, શ્રુતાનુરાગીઓ તથા જૈનોની સાંસ્કૃતિક સંપત્તિરૂપ જૈન શીલાલેખો, શિલ્પસ્થાપત્યો, વિવિધ તીર્થોના નિર્માતાઓ, જીવદયાપ્રેમીઓ આ સૌ આપણા ગૌરવરૂપ
છે.
ધન્ય ધરા
ધન્યધરામાં માત્ર જૈનશાસનની જ યશગાથા ગાઈએ તો ધરતીના શાશ્વતી સૌરભ ફેલાવતાં પુષ્પોઘાનોનાં તરુઓ, લત્તાઓ, કુસુમાચારો, યશગાનના ગુંજારવ કરતાં ષ૫દો રહી જાય તેનું શું? ભાગ૧ તથા ભાગ-૨ બન્ને ગ્રંથો સાહિત્યપ્રેમીઓ અને જ્ઞાનસિકો માટે એક ઉત્તમ નજરાણું બની રહેશે તેમાં નવાઈ નથી. કારણ થયેલી રજૂઆત કાલ્પનિક નહિ પણ વાસ્તવિક હોવાથી ઘણી સારી રીતે જૈનશાસનની પ્રભાવના થશે એ નિઃશંક છે. આ બન્ને વિભાગો કોઈને જુદા જુદા-અનિબદ્ધ લાગવાની શક્યતા છે, પણ બન્નેના મૂળમાં માનવ કેન્દ્રમાં છે. માનવથી ઊંચું દેવકુળ પણ નથી. પાર વિનાની વિકાસની દિશાઓ અનાવૃત્ત છે. પરમ મહત, પરમ દિવ્ય અલૌકિક જિનદર્શન માનવમાત્રનું પરમ આશ્રયસ્થાન છે પણ ત્યાં અનેકભવે અનેકવિધ પુરુષાર્થની સીડીએ ચડતાં પહોંચાય. કેવળજ્ઞાન અને પરમ સાધુતાનું શિખર ભલે નજર સમીપ દૃશ્યમાન છે પણ તેની યાત્રા અદના માનવીને માટે ઘણી જ મુશ્કેલ છે.
જીવન માત્ર રોટીથી ટકતું નથી, એ માટે સદ્ગુણોની સ્થાપના કરવી અનિવાર્ય બની રહે છે. તોજ વ્યક્તિ, કુટુંબ, સમાજ અને રાષ્ટ્ર ટકી શકે છે. ગુણ પ્રાપ્તિની અદમ્ય ઝંખના અને પરમાર્થીઓના સેવાકાર્યોની હંમેશા અનુમોદના કરતા થઈશું ત્યારે જ આપણા નયનો જગતના જીવોમાં ગુણદર્શન પામી શકશે.
જીવનયાત્રાના આત્મસંયમી પથિકોનું યોગદાન
ચિંતકોએ આ સંસારને મોહ, મમતા અને વાસનાના મગરમચ્છો જેવા ઉત્તાલ તાલ તરંગોવાળો દર્શાવી સંયમશીલ જીવન જીવવાનો સદાગ્રહ સેવ્યો છે અને તેથી જ શ્રદ્ધા, ભક્તિ, પ્રીતિ, સેવા, સમર્પણ જેવા વિશિષ્ટ ગુણોનું જ્યાં જ્યાં દર્શન થતું રહ્યું તેના અવલોકન સાથે વિનયશીલ પ્રતિભાઓના જીવનમંથન દ્વારા જે કાંઈ નવનીત આપણને સાંપડશે તે જ આપણા જીવનનું ધારક પ્રેરકબળ બની રહેવાનું અને તેથી જ તપ, ત્યાગ અને સમર્પણની હકીકતોનો આ રસથાળ-વિશિષ્ટ નજરાણું જનસમુહ સુધી પહોંચાડવાનો આ એક અસાધારણ પ્રયાસ છે.
જેમના આંગણે સદાકાળ મીઠા સ્નેહજળ અને અમૃતસમ કોપરું મળ્યું છે તેવા વ્યવહારકુશળ શ્રેષ્ઠીઓની મંગલ જીવનયાત્રાની, ભાવધર્મની ભવ્યતાની, તપધર્મની, દાનધર્મની, પ્રજ્ઞાની, ઉત્થાનની, આત્મસંયમની એમ વિવિધ સ્તરે કંડારાયેલી જીવનમાંડણીનું સુપેરે દર્શન કરાવવાનો આ એક શુભ આશય છે.
અત્રે...ચિંતનના પારગામીઓ, ધર્મના મહામેઘાવીઓ, તત્ત્વાન્વેષણના સાચાં મોતી.... લાવનારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org