________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સરાક–સમાજઉદ્ધારક પૂ. આચાર્યદેવશ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ
પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પ્રથમ શિષ્ય પૂ. પંન્યાસપ્રવર શ્રી વિજયસાગરજી મહારાજના શિષ્ય પ્રૌઢ પ્રતિભાશાળી શાંતમૂર્તિ પૂ. ગણિવર્યશ્રી લબ્ધિસાગરજી મહારાજના શિષ્ય સરળસ્વભાવી, વિનય ગુણથી વિભૂષિત, વૈયાવચ્ચમાં સદા તત્પર, સાહિત્યતીર્થ કર્મગ્રંથમાં નિપુણ, કંપયડીમાં નિષ્ણાત, વ્યાકરણરસિક આદિથી વિભૂષિત પૂજ્ય આચાર્યદેવ શ્રી યશોભદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું જન્મસ્થાન ગુજરાતની ધર્મનગરી કપડવંજ છે. તેઓશ્રીનું સંસારી નામ મુકુંદભાઈ વાડીલાલ પરીખ. માતાનું નામ જીવકોરબહેન. ભાઈ–બહેનો અને વિશાળ પરિવારમાં ઊછરતા હોવા છતાં મુકુંદભાઈએ ૧૬ વર્ષની વયે સંસારનાં સુખોને લાત મારીને શત્રુંજય તીર્થની પવિત્ર ભૂમિ ઘેટીની પાસે જઈને પૂ. આ. શ્રી કંચનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સં. ૧૯૯૬ના અષાઢ સુદ ૯ને દિવસે ગણિપદથી વિભૂષિત થયા. સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે તળાજામાં પૂ. શાસનકંટકોદ્ધારક શ્રી હંસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પંન્યાસપદ પ્રદાન કરવામાં આવ્યું. સં. ૨૦૪૩ના વૈશાખ સુદ ૬ને શુભ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં ઉપાધ્યાયપદ આપવામાં આવ્યું અને સં. ૨૦૪૭ના વિ. વૈશાખ સુદ ૧૧ને શુભ દિવસે પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે બડૌદ (માલવા) નગરે વિશાળ જનસમુદાયની ઉપસ્થિતિમાં મહામહોત્સવપૂર્વક આચાર્યપદારૂઢ થયા.
સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન પૂજ્યશ્રીએ જ્ઞાન-ધ્યાન અને સાધનામાં સુંદર પ્રગતિ કરી છે. ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા, કચ્છ, બિહાર, બંગાળ આદિ પ્રાંતોમાં ચાતુર્માસ કર્યાં છે. આજે ૬૬ વર્ષથી નિરતિચાર સંયમી જીવન પાળતાં, શિષ્યપરિવારથી પરિવરેલા સૂરિવર સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા હતા. પૂજ્યશ્રીએ સંખ્યાબંધ દીક્ષાઓ-વડીદીક્ષાઓ આપી છે. ઘણા સાધુભગવંતોને યોગ વગેરે કરાવ્યા છે. પૂજ્યશ્રીના કુટુંબમાંથી ૩૨ જેટલી મોટી સંખ્યામાં દીક્ષાઓ થઈ છે. હાલમાં ભાઈ, ભાભી, ભત્રીજા, ભત્રીજી, બહેન, ભાણી વગેરે સંયમજીવન માણી રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં ઉપધાન તપ, ઉદ્યાપન, સંઘ
Jain Education Intemational
૪૨૯
આદિ અનેક ઊજવાયાં છે. ત્રણ વર્ષથી બિહાર-બંગાળમાં રહેલ ‘સરાક’ = શ્રાવક શબ્દનો અપભ્રંશ શબ્દ સરાક = તે સમાજના ઉદ્ધાર માટે ઝઝૂમી રહ્યા હતા. તેના ફળસ્વરૂપે હાલ બેલૂટગામ તથા મહાલગામમાં જૈન દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા આદિનાં નિર્માણકાર્યો ચાલી રહ્યાં.
સમાજોદ્ધારક પ.પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી યશોભદ્રસાગરસૂરિજી મ.સા. સં. ૨૦૬૨ના દીપાવલીના દિવસે સવારનું પ્રતિક્રમણ કરતાં કરતાં કાળધર્મ પામ્યા.
સૌજન્ય : પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી
શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ-પૂના. સેવા– સ્વાર્પણ– ત્યાગના ત્રિવેણીસંગમ સૌરાષ્ટ્ર-કેસરી' પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી
મહારાજ
કલાકોના કલાકો સુધી જેમના સ્વમુખે કાઠિયાવાડી તળપદી ભાષા સાંભળવી ગમે એવા સુમધુર વ્યાખ્યાતા, સૌરાષ્ટ્ર-કેસરી આચાર્યદેવ શ્રી વિજયભુવરત્નસૂરીશ્વરજી મહારાજને સાંભળીએ ત્યારે સ્વપ્નેય ખ્યાલ ન આવે કે આવી તળપદી કાઠિયાવાડી બોલનાર વ્યક્તિ રાજસ્થાની હશે ! પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના ખેતાસર ગામમાં ટાંટિયા પરિવારમાં, ઓસવાલ જ્ઞાતિના શેઠ કુંદનમલજી અને ગૌરીબાઈને ત્યાં સં. ૧૯૭૮ના જેઠ સુદ પાંચમે થયો હતો. પુત્રનું નામ ધનરાજજી રાખવામાં આવ્યું. ધનરાજજીને શિક્ષણ અને સંસ્કાર માટે નજીકની ઓશિયા ગામની બોર્ડિંગમાં મૂકવામાં આવ્યા; જ્યાં તેમણે સુંદર રીતે અભ્યાસ કર્યો. વિશાળ વાચન અને આત્મમંથન જીવોને ચિત્તશુદ્ધિ અને સુખ આપવા માટે સમર્થ હોય છે, એ વાત એમના જીવનમાં દૃઢ થતી ગઈ. પૂજ્યશ્રીના વિકાસમાં મુખ્ય ભૂમિકા પૂ. શ્રી ચંદ્રવિજયજી મહારાજે નિભાવી. યેવલામાં સર્વ પ્રથમ મુલાકાત થઈ. પહેલા જ વ્યાખ્યાનમાં ગુરુમુખે સાંભળેલી સંસારની અસારતા અને સંયમની મધુરતા ધનરાજને સ્પર્શી ગઈ. પૂ. ગુરુ મહારાજે ચારિત્રધર્મની વાનગી રૂપે ઉપધાન તપની વાત મૂકતાં શ્રી સંઘે તે સહર્ષ વધાવી લીધી. ધનરાજ પણ તેમાં જોડાયા. આ પ્રસંગે હંમેશ ગુરુદેવ સાથે આધ્યાત્મિક ચર્ચા થતી ચાલી. પરિણામે ધનરાજજીના અધ્યાત્મજ્ઞાનમાં વૃદ્ધિ થતી ચાલી. જૈનશાસન પ્રત્યેની શ્રદ્ધા બળવત્તર થતી ચાલી. ગુરુવાણીના સચોટ પ્રભાવથી ધનરાજજી ચારિત્રપંથે જવાની ભાવનાવાળા થયા. માતા-પિતાને
For Private & Personal Use Only
www.jainelibrary.org