SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૦ ધન્ય ધરાઃ ખેતાસર મુકામે જાણ કરી. માતા-પિતાએ સંયમના ઉપસર્ગો ને પ્રતિકૂળતાઓ જણાવી, ધનરાજને તે માર્ગે ન જવા કહ્યું. ધનરાજજીએ કહ્યું કે “સુખદુ:ખ એ ભાગ્યાધીન છે. કુંવારો કેડે મરે અને પરણેલો પીડાએ મરે એ સંસારની ગતિવિધિ છે”. એ રીતે મા-બાપને સમજાવી લીધાં. એમની પાસેથી સંમતિપત્ર લખાવી લીધો અને એ સંમતિપત્ર લઈને પૂ. ગુરુદેવ પાસે ગયા. સં. ૧૯૯૬ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે ખાનદેશના શિરપુર મુકામે માતાપિતાની ઉપસ્થિતિમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી ભુવનવિજયજી બન્યા. દીક્ષા પછી પૂજ્યશ્રી અધ્યયન- આરાધનામાં નિમગ્ન રહેવા લાગ્યા. જ્ઞાનસાર, અધ્યાત્મસાર, સમાધિશતક, યોગદૃષ્ટિ સમુચ્ચય, ઉપદેશમાલા, યોગબિંદુ, દ્રવ્યગુણ પર્યાય રાસ, વાસુપૂજ્યચરિત્ર, પાર્શ્વનાથચરિત્ર, મહાવીરચરિત્ર, ધન્ના-શાલીભદ્રસાર આદિનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત, દિગંબર પંથના પ્રવચનસાર, નિયમસાર, સમયસાર, ગોમટ્ટસાર, પુરુષાર્થસિદ્ધિ ધવલગ્રંથ આદિ ગ્રંથોનો અભ્યાસ કર્યો. પૂજ્યશ્રીનો કંઠ મધુર અને આકર્ષક હોવાથી તેમ જ તેઓશ્રીનાં વ્યાખ્યાનોમાં વિશદ ચર્ચા અને રસિક દષ્ટાંતો આવતાં હોવાથી સૌને તેમાં અદ્ભુત રસ પડતો. આઠ ચાતુર્માસ મહારાષ્ટ્રમાં કરીને સં. ૨૦૦૪માં સૌરાષ્ટ્રમાં પધાર્યા. વલભીપુર, પાલિતાણા, ગારિયાધાર, રાજકોટ, જૂનાગઢ એમ સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ-ઉજમણાં દ્વારા શાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો. આમ, ૧૭ યશસ્વી ચાતુર્માસ સૌરાષ્ટ્રમાં કરવાપૂર્વક તેઓશ્રીને ધ્રાંગધ્રામાં “સૌરાષ્ટ્રકેસરી'નું બિરુદ આપવામાં આવ્યું. સં. ૨૦૧૮નું ચોમાસું મોટીટોળીમાં બહુ જ ભવ્ય રીતે યાદગાર બની રહ્યું. ત્યાંથી વિહાર કરીને સં. ૨૦૨૮માં કલકત્તા પધાર્યા. તે વખતે પૂ. ગુરુદેવ શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજના સ્વર્ગગમનના સમાચાર મળતાં કલકત્તામાં ભવ્ય મહોત્સવ કર્યો. ત્યાંથી બંગાળ, બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં વિચરીને અનેક કાર્યો કરતાં કરતાં પુનઃ ગુજરાતમાં પધાર્યા. અમદાવાદમાં પ્રકાશ હાઇસ્કૂલના પટાંગણમાં તા. ૧૮-૫-૧૯૭૯ના શુભ દિને પૂ. આ. શ્રી વિજયવિનયચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા અને તે સમયે આચાર્યશ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ તરીકે જાહેર થયા. આ પ્રસંગે ૪૦૦ ઉપરાંત કામળીઓ વહોરાવવામાં આવેલ. રૂ. ૧૦,૦૦૧માં નરોત્તમ કેશવલાલ નવાબે પહેલી કામની વહોરાવી. વર્ધમાન વિદ્યાના પટ્ટની બોલી ૩૫,૦૦૧ની થઈ. પૂજ્યશ્રીની એક મનીષા એ હતી કે એક મોટી વિદ્યાપીઠ સ્થાપવી. અમદાવાદથી ૭ કિ.મી. દૂર થલતેજ ખાતે, ગાંધીનગર હાઇવે પર, વિશાળ વિદ્યાલયની યોજના સાકાર થઈ, જેમાં ભવ્ય જિનમંદિર, ધર્મશાળા, દવાખાનું આદિ તૈયાર કરવામાં આવ્યાં. મૂળનાયક આદિનાથ સહિત ૨૧ બિંબોની સ્થાપના કરવામાં આવી. એક ઘેઘૂર રાયણવૃક્ષ દૂરથી જ આ ભવ્ય વિદ્યાલયની ધજા ફરફરાવી રહ્યું છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં મુંબઈમુલુન્ડથી પાલિતાણાનો છ'રીપાલિત સંધ ૭૦ દિવસની પદયાત્રા દ્વારા પાલિતાણા પહોંચ્યો હતો. તે દરમિયાન ગામોગામ અને શહેરે દરેક જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવ્યો હતો. વિદ્યાલયના નિર્માણનું અંતિમ લક્ષ સિદ્ધ કરીને પૂજ્યશ્રીએ સં. ૨૦૪૨નું ચાતુર્માસ પાલડી-જૈનનગરમાં કર્યું. સં. ૨૦૪૩ના ચાતુર્માસ માટે વાલકેશ્વર સંઘને હા પાડી. શેષકાળ નાગજી ભૂદરની પોળે રહીને, મુંબઈ તરફ વિહાર કરવા સં. ૨૦૪૩ના ફાગણ વદ ૬ને દિવસે નીકળ્યા પણ ભવિતવ્યતા જુદી જ હતી. રસ્તામાં જ તબિયત લથડી. પાલેજ પહોંચતાં તો તબિયત ખૂબ ગંભીર બની ગઈ. પરિણામે, ચૈત્ર સુદ ૧૪ને દિવસે વધુ સારવાર માટે અમદાવાદ લાવવામાં આવતા હતા ત્યાં જ રસ્તામાં કરજણ ફાટક પાસે દિવ્યજ્યોત બુઝાઈ ગઈ. પૂજ્યશ્રીના પાર્થિવ દેહને થલતેજ લાવવામાં આવ્યો. ત્યાં કેશરસમુદાયનાં ૧૬૦ સાધુ-સાધ્વીજીઓની ઉપસ્થિતિમાં, વિશાળ ભાવિકજનોની વચ્ચે પૂજ્યશ્રીના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર થયો. ત્યાં પૂજ્યશ્રીની સ્મૃતિમાં કમળ આકારનું ભવ્ય જલમંદિર રચવાનું આયોજન થયું. અજાતશત્રુ- સરલ સ્વભાવી - પૂજ્યપાદ આચાર્યદિવશ્રી નંદિવર્ધન સાગરસૂરિજી મ.સા. ગરવી ગુજરાતની ધર્મપુરી સમાન સૂર્યપુરી નગરે ધર્મશ્રેષ્ઠ શાસનસમર્પિત શ્રાદ્ધવર્ય શ્રી પાનાચંદ સાકેદચંદ મદ્રાસીનાં ધર્મપત્ની શ્રમણોપાસિકા પ્રભાવતીબહેનની રકુક્ષિએ જૈનશાસનના રન બનવા જ રતનચંદનો જન્મ સંવત ૧૯૯૦ મહા વદ-૭ના પુણ્યદિવસે થયો. લાડકોડ અને અનેક Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy