________________
૪૨૮
ધન્ય ધરા:
આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરિજી મહારાજ પાસે રહી શાસ્ત્રજ્ઞાન પ્રાપ્ત કર્યું. કીર્તિ કે પ્રશસ્તિના વ્યામોહથી આકર્ષાયા વગર શાંતિથી શાસનપ્રભાવના કરવી, એ જ માત્ર ધ્યેય રાખ્યું. ગુજ્ઞા મુજબ ચાતુર્માસ કર્યો. એક વખતે પોતાના સંયમમાર્ગનો વિરોધ કરનારા પોતાના પિતાશ્રીએ પણ આગળ જતાં સંયમમાર્ગ અપનાવ્યો અને દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી હિતસાગરજી મહારાજ તરીકે જાહેર થયા. તેઓશ્રીના સંયમજીવનમાં સહાયક બનીને અંત સમયની આરાધના પણ કરાવી અને તેઓશ્રીના આત્મકલ્યાણના નિમિત્તભૂત બનીને પિતૃઋણ અદા કર્યું. પૂ. આ. શ્રી સાગરાનંદસૂરિજી મહારાજની પરંપરામાં પ્રદાનનું મહત્ત્વ ઓછું હતું, છતાં પણ યોગ્યતા અને પર્યાયની સંવૃદ્ધિ પ્રમાણે પૂજ્યશ્રી સં. ૨૦૧૧માં કપડવંજમાં ગણિપદવી, સં. ૨૦૨૯માં સુરતમાં પંન્યાસપદવી અને સં. ૨૦૩૬માં વેજલપુરમાં આચાર્યપદથી પણ અલંકૃત થયા. ત્રીજા નંબરના ગચ્છાધિપતિના સ્થાને રહેલા પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ પછી પૂજયશ્રીના શિર પર સાગરસમુદાયના ગચ્છાધિપતિપદની જવાબદારી આવી પડી અને પૂજ્યશ્રીની ઇચ્છા ન હોવા છતાં એ સ્થાન સ્વીકારવું પડ્યું. આટલી મહાન પદવીએ બિરાજ્યા છતાં પૂજ્યશ્રીના જીવનમાં ક્યાંય મોટાઈ, અહંકાર અને આડંબરનાં દર્શન થતાં નથી. જેમ સોનાની થાળી રણકાર કરતી નથી, તેમ આ પ્રશાંતમૂર્તિ અને એકાંતપ્રિય આચાર્યદેવ પણ પ્રતિષ્ઠા કે નામના પાછળ દૃષ્ટિ કર્યા વગર શાસનપ્રભાવનાનાં અનેક કાર્યો કરી રહ્યા છે અને યથારામગુણ ચિત્ત અને આનંદના સમન્વય રૂપ અધ્યયન-અધ્યાપનની તપશ્ચર્યા દ્વારા આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા તપોમૂર્તિ આચાર્યદેવનાં દર્શન માત્રથી પુણ્યાત્માઓ ધન્ય બને છે! કોટિ કોટિ વંદન હજો એ પુણ્યપ્રભાવી મહાત્માનાં ચરણોમાં! [સંકલન : મુનિશ્રી વિશ્વરત્નસાગરજી મહારાજ]
સૌજન્ય : પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ-પૂના.
જ્ઞાનવિશારદ, શાસનપ્રભાવક, બાલબ્રહ્મચારી પૂ. આચાર્યશ્રી રેવતસાગરસૂરીશ્વરજી.
મહારાજ. આજથી ૬૦-૭૦ વર્ષ પહેલાં મધ્યપ્રદેશ-માળવા ધર્મક્ષેત્રે વેરાન હતું તે પૂજ્ય શ્રમણભગવંતોના આવાગમનથી હર્યુંભર્યું બનવા લાગ્યું. એમાં માળવાના એક મહિદપુર શહેરમાં
પણ ધર્મજાગૃતિ પાંગરવા લાગી. અહીં વસતા આંચલિયા પરિવારમાં સં. ૧૯૭૩ના જેઠ વદ ૬ને દિવસે જન્મેલા આ ચરિત્રનાયક એ સંસ્કારી વાતાવરણમાં ઊછરવા માંડ્યા. આ બાજુ શ્રમણભગવંતોનું, ખાસ કરીને પૂ. આગમોદ્ધારકશ્રીના સમુદાયવર્તી શ્રમણભગવંતોનું અને તેમાં યે, ખાસ કરીને માલવદેશોદ્ધારક પૂ. આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજનું આવાગમન વિશેષ રહેતાં, તેઓશ્રીના સત્સમાગમનો લાભ વિશેષ મળ્યો અને એ લાભ ધર્મલાભની ચરમસીમાએ પહોંચતાં એ તેમને સંયમ-વૈરાગ્યને માર્ગે દોરી ગયો, અને એક દિવસ, સં. ૧૯૯૧ના અષાઢ વદ ૮ના દિવસે અમદાવાદમાં પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તરીકે મુનિ શ્રી રૈવતસાગરસૂરીશ્વરજી નામે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા અંગીકાર કરીને તેઓ અપ્રમત્તભાવે સંયમની સાધના કરવાપૂર્વક સ્વાધ્યાય, ગુરુભક્તિ અને વીતરાગભક્તિમાં મગ્ન બની ગયા. ધર્મશાસ્ત્રોના ઉચ્ચ અભ્યાસમાં અને સ્વ-પર કલ્યાણનાં કાર્યોમાં પ્રવીણ બનતાં, પૂજ્યશ્રીની યોગ્યતા જાણીને પૂજ્ય ગુરુદેવે સં. ૨૦૧૧ના માગશર સુદ બીજના દિવસે અમદાવાદમાં ગણિપદવીથી અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ના દિવસે સુરતમાં પંચાસપદવીથી વિભૂષિત કર્યા. પૂજ્યશ્રી જ્ઞાનમાં ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં અને સાથોસાથ વીતરાગની વાણી દ્વારા અનેકોને ધર્મમાં જાગૃત અને પ્રવૃત્ત કરતાં તેમ જ શાસનપ્રભાવનાનાં કાર્યો યશસ્વી રીતે પ્રવર્તાવતાં, તેઓશ્રી વિશેષ યોગ્યતાને અનુરૂપ શાસનની શોભારૂપ આચાર્યપદે વિ.સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૩ના દિવસે, ડગ (રાજસ્થાન) મુકામે, જંબૂઢીપનિર્માણ આદિ યોજનાના સફળ માર્ગદર્શક પૂ. પંન્યાસશ્રી અશોકસાગરજી મહારાજના વરદ હસ્તે આરૂઢ થયા. પૂ. આ. રૈવતસાગરસૂરિજી મહારાજ પદમાં સૂરિવર અને જ્ઞાનમાં વિશારદ હોવા છતાં કીર્તિથી દૂર રહેતા અને આત્માની નજીક રહેતા. છેલ્લાં વર્ષોમાં તબિયત વધુ અસ્વસ્થ રહેતાં આલોટ સ્થિર હતા. સં. ૨૦૪પના ચૈત્ર વદ ૮ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના અંતિમ સમયે પૂ. ઉપા) શ્રી યશોભદ્રસાગરજી મહારાજે, તેઓશ્રીના સેવાપરાયણ શિષ્યરત્ન મુનિશ્રી જયઘોષસાગરજી મહારાજે તથા આલોટ શ્રીસંઘે સારી એવી સેવા-સુશ્રુષા-વૈયાવચ્ચ કરી. એવા પરમ શાસનપ્રભાવક પૂજ્યપાદ આચાર્ય ભગવંતને કોટિ કોટિ વંદન!
સૌજન્ય : પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી આરામોદ્ધારક દેવદ્ધિ જૈન આગમ મંદિર ટ્રસ્ટ-પૂના.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org