________________
શાશ્વત સોરભ ભાગ-૧
૪૨૦
અગણિત ધર્મગ્રંથોના સમર્થ અનુવાદક પ. પૂ. આચાર્યશ્રી હેમસાગરસૂરીશ્વરજી
મહારાજ સૌરાષ્ટ્ર પ્રાન્તમાં શ્રી સિદ્ધગિરિ નજીક જીરા ગામમાં વસતા દોશી દેવચંદ પુરુષોત્તમ અને શીલશાલિની ઝબકબહેનના પુત્ર હીરાચંદભાઈનો જન્મ સં. ૧૯૬૧ના ચૈત્ર સુદ ૮ના શુભદિને થયો હતો. તેમના સુરતના નિવાસ દરમિયાન વ્યાવહારિક શિક્ષણ, ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરી સંસ્કારમાં સંવૃદ્ધિ મેળવી. ત્યાં પૂ. આગમોદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીનો સમાગમ થવાથી તેમના ધર્માનુરાગી સંસ્કારને વેગ મળ્યો. પિતા દેવચંદભાઈએ સં. ૧૯૮૧માં પૂ. આગમોદ્ધારકશ્રી પાસે અજીમગંજમાં દીક્ષા અંગીકાર કરી અને મુનિશ્રી દેવસાગરજી તરીકે જાહેર થયા. આ ભવ્ય વારસાને દીપાવવા હીરાચંદભાઈ સં. ૧૯૮૪માં અમદાવાદમાં પૂ. આગમોદ્ધારકશ્રી પાસે જ દીક્ષા ગ્રહણ કરી અને મુનિશ્રી હેમસાગરજી તરીકે જાહેર થયા. સતત ગુરુકુળવાસમાં રહીને ગ્રહણ-આસેવન શિક્ષા વ્યાકરણ-કાવ્ય-સાહિત્ય-ન્યાયઆગમ આદિ શાસ્ત્રોનું-સાહિત્યનું ગહન અધ્યયન કરીને સં. ૧૯૯૯ના આસો વદ ૩ને દિવસે પૂ. આગમોદ્ધારકશ્રીના શુભ હસ્તે કપડવંજમાં પંન્યાસપદે અને સં. ૨૦૦૭ના મહા સુદ ત્રયોદશીને દિવસે પૂ. આ. ગચ્છાધિપતિ શ્રી માણિક્યસાગરજી મહારાજના વરદ્ હસ્તે સુરતમાં આચાર્યપદે આરૂઢ થયા.
પૂજ્યશ્રીએ પૂ. આગમોદ્ધારકશ્રીના આગમો પરનાં પ્રવચનો પોતે ઉતારી, પ્રેસ કોપીઓ તૈયાર કરીને શ્રેણીબદ્ધ રીતે, ભાગ ૧-૨-૩-૪-૫ રૂપે છપાવી લોકો પર મહાન ઉપકાર કર્યો. ઉપરાંત, “સિદ્ધચક્ર' માસિકમાં પૂ. ગુરુદેવનાં વ્યાખ્યાનો છપાતાં; તે મોટે ભાગે તેઓશ્રીએ કરેલાં અવતરણોને આધારે જ હતાં. તદુપરાંત, શ્રી ભગવતીજીનાં આઠમા શતકનાં વ્યાખ્યાનો, ઉપદેશમાલાની દોઘટ્ટી ટીકા, જૂની હસ્તલિખિત પ્રતિનું યથાશક્ય સંશોધન, પૂ. શ્રી વિમલસૂરિજી રચિત ‘પઉમચરિય', જૈન મહારામાયણનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ તેમ જ અનેક ધર્મગ્રંથોના અનુવાદ તૈયાર કરીને છપાવ્યા. શ્રી હરિભદ્રાચાર્યરચિત પ્રાકૃત ઉપદેશ મહાગ્રંથનો અનુવાદ તથા શ્રી રત્નપ્રભસૂરિકૃત ટીકા અને ૧૪૦૦ શ્લોકપ્રમાણ પ્રાકૃત ઉપદેશમાળાનો અનુવાદ તેમ જ મહાનિશીથ શ્રુતસ્કંધનો અનુવાદ અને પૂર્વાચાર્યકૃત અંતિમ સાધના તથા સાધુસાધ્વીઓના ક્રિયાસૂત્રો વગેરે છપાવીને પ્રસિદ્ધ કર્યા. કપડવંજમાં
અંજનશલાકા-પ્રતિષ્ઠા, મોતીશા શેઠની ટૂંકમાં અને પાલિતાણામાં આગમમંદિરના સિદ્ધચક્ર-ગણધર મંદિરના ભૂમિગૃહમાં અનેક પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આરીસા ભુવનમાં પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યો. સાગરસમુદાયનાં લગભગ ૫૦૦ સાધુ-સાધ્વીજીઓના નાયક, ગચ્છાધિપતિ પૂ. આચાર્યદેવ શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજે ભવ્ય ભગીરથ પ્રયત્નો દ્વારા કઠિન ગ્રંથોના અનુવાદ પ્રસિદ્ધ કરીને જૈન સમાજ પર ઘણા જ ઉપકાર કર્યા છે. પૂજ્યશ્રી સં. ૨૦૩૭ના આસો સુદ ૮ને દિવસે કાળધર્મ પામ્યા, પણ તેઓશ્રીનાં ધર્મગ્રંથોનાં પ્રકાશનનાં અક્ષયકાર્યો અમરત્વને પ્રાપ્ત કરી ચૂક્યાં! એવા એ પરમ શાસનપ્રભાવક આચાર્ય શ્રી હેમસાગરસૂરીશ્વરજી મહારાજને કોટિ કોટિ વંદના!
સૌજન્ય : પ.પૂ.આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી આગમોદ્ધારક દેવદ્ધિ જૈન આગમમંદિર ટ્રસ્ટ-પૂના. નિર્મોહી; એકાંતપ્રિય અને ત્યાગી-તપસ્વી
પ. પૂ. આચાર્યશ્રી ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજ
સંયમરત્નની ખાણ જેવી પુણ્યભૂમિ, જ્યાં નવાંગી ટીકાકાર પૂ. આ. શ્રી અભયદેવસૂરિજી મહારાજ જન્મ્યા, જ્યાં વર્તમાનકાળમાં આગમોના ઉદ્ધારક પૂ. આ. શ્રી આનંદસાગરસૂરિજી મહારાજ જન્મ્યા, જ્યાં આગમપ્રભાકરના બિરુદને વરેલા રાષ્ટ્રમાન્ય મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજ જમ્યા તે પ્રભાવશાળી ભૂમિ કપડવંજમાં એક પુણ્યપ્રભાવી આત્માએ જન્મ લીધો. એ પવિત્ર આત્મા તે પૂ. આ. શ્રી ચિદાનંદસાગરસૂરિજી મહારાજ. સ્વ-પરના કલ્યાણવાંછુ આ મહાત્માએ સમજણભરી ઉંમરે જ સંયમનો મહામૂલો માર્ગ અપનાવવા નિર્ણય લીધો. પિતાશ્રી તથા અન્ય કુટુંબીજનોની ઇચ્છા ન હોવા છતાં, પોતાના નિર્ણયમાં અડગ રહીને પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૧૮ વર્ષની યુવાન વયે, સં. ૧૯૮૭ના અમદાવાદ નગરે દીક્ષા ગ્રહણ કરીને મુનિ શ્રી ચિદાનંદસાગરજી મહારાજ બનીને સંયમમાર્ગ પર પ્રયાણ કર્યું.
પૂજ્યશ્રી એકાંતપ્રિય પ્રકૃતિ ધરાવે છે. તેથી જ પૂજ્યશ્રીની આસપાસ શિષ્ય-પ્રશિષ્યોની પ્રલંબ યાદી જોવા મળતી નથી. આજ સુધી તેને શ્રી અખંડ અને અડગ સાધનાઆરાધનાના સ્વામી રહ્યા છે. આરંભમાં પૂજ્યશ્રીએ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org