SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ ૬૫ ભવ્ય અને આલિશાન આરાધના-સ્થળો તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિ અને પ્રખર પ્રેરણાશક્તિના પરિચાયક બની રહે તેવાં છે. છેલ્લે છેલ્લે તેઓશ્રીની પ્રેરણાથી સંવત ૨૦૩૩ અને ૨૦૩૪માં યોજાયેલ ઐતિહાસિક અને અજોડ પદયાત્રા મહાસંઘો શ્રી શેત્રુંજય તીર્થ પદયાત્રા સંઘ અને શ્રી ગિરનાર તીર્થયાત્રાસંઘ-એ તો એક યશસ્વી, યાદગાર અને ચિરસ્મરણીય ઇતિહાસરૂપે સ્થાન–માન પ્રાપ્ત કર્યું છે. એ મહાસંઘોમાં જે ઉદારતાથી સંઘ-શાસનના ને અનુકંપાદિનાં આયોજનો થતાં હતાં તેના કારણે તો માત્ર જૈન સમાજમાં નહીં પરંતુ જૈનેતર સમાજમાં ય એ મહાસંઘો પરત્વે આદર અને સદ્ભાવનું એક અલૌકિક વાતાવરણ જામ્યું હતું. આ સર્વ કાર્યોની સાથે સાથે કેળવણીસહાય, હોસ્પિટલનિર્માણ સહાય વગેરે સાર્વજનિક કાર્યોમાં ય તેઓશ્રીનું યોગદાન અદ્ભુત રહ્યું છે. તેઓશ્રીની પ્રેરણાથી પાલિતાણામાં થયેલ શ્રી શેત્રુંજય હોસ્પિટલનું નિર્માણ અનેક યાત્રિકો અને સાધુસાધ્વીજીના માટે આશીર્વાદ બની ચૂક્યું છે. આવા પરમપુણ્યશાલી અને ગુણગણનિધાન પૂજ્યશ્રીના પાવન ચરણકમલમાં આપણે ભાવપૂર્ણ વંદન કરીએ. સૌજન્ય : શ્રી કાંદીવલી જૈન શ્વે. મૂ. સંઘ, ભુલાભાઈ દેસાઈ રોડ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭ શાસનપ્રભાવક ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિજયરામસૂરીશ્વરજી મ.સા. ગરવી ગુજરાતના મહાનગર અમદાવાદ નજીક એક ઘણું રળિયામણું ગામ છે. નામ છે કુબડથલ. પ્રકૃતિને ખોળે રમતાં આ કુબડથલ ગામે એક સંસ્કારી અને શીલસંપન્ન શ્રાવકદંપતી રહે. શ્રાવકનું નામ ભલાભાઈ અને એમનાં પત્નીનું નામ ગંગાબાઈ. ભલાભાઈ ભલમનસાઈથી ભરેલા અને યથાનામ ગંગાબાઈ યથાનામ ધર્મમય પ્રવૃત્તિથી પવિત્ર જીવન વિતાવતાં સુખપૂર્વક દિવસો પસાર કરે. આ દંપતીને સંસારના ઉત્તમ ફળરૂપે બે પુત્રો પ્રાપ્ત થયા : ૧. વાડીભાઈ અને ૨. રમણભાઈ. Jain Education International ધન્ય ધરાઃ બંને ભાઈઓએ દુર્ભાગ્યવશાત્ બાળપણથી જ પિતૃછાયા ગુમાવી. દાદાજી પૂંજાભાઈ અને માતા ગંગાબાની છાયામાં બંને ભાઈઓએ સંસ્કારના પાઠ શીખ્યા અને ધર્મ પ્રત્યે અભિરુચિ કેળવી. એવામાં પૂંજાભાઈને ધંધાર્થે અમદાવાદ આવી વસવું પડ્યું. માતા ગંગાબાઈ અને બંને ભાઈઓ પણ અમદાવાદ આવીને રહ્યા, પરંતુ ત્યાં પણ વિધિની ક્રૂરતાએ દાદાજી પૂંજાભાઈને આ દુનિયામાંથી ઉઠાવી લીધા. આ આઘાતોથી ધર્મમય વૃત્તિવાળા રમણભાઈમાં વૈરાગ્યભાવના તીવ્ર થઈ ઊઠી. તેમને સંસારની અસારતા સમજાઈ ગઈ અને ચારિત્ર લેવાની ભાવના થઈ. એવામાં અમદાવાદ બિરાજમાન પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વજી મહારાજની વૈરાગ્યસભર વાણી સાંભળી રમણભાઈ સંયમજીવન માટે તત્પર થયા. તેમણે માતા સમક્ષ દીક્ષાગ્રહણ કરવાની અનુમતિ માગી. પરીક્ષા લીધા બાદ માતા તેમની વાતમાં સંમત થયાં, પણ વાડીભાઈને આ વાતની ખબર પડી એટલે તે અકળાઈ ઊઠ્યા. તે પોતાના નાના અને લાડકવાયા ભાઈને સાધુ બનવા દે તેમ નહોતા. આ વિરોધમાં કેટલોક સમય વ્યતીત થયો. અંતે રમણભાઈના દૃઢ નિર્ણય સામે કુટુંબીજનોએ ઝૂકી જવું પડ્યું. માતાની ઇચ્છા પણ દીક્ષા લેવાની થતાં આ કાર્યમાં વધુ ઉત્સાહ આવ્યો. અંતે સં. ૧૯૭૩ના મહા સુદ પાંચમે જન્મેલા આ ભાગ્યશાળી બાળક રમણે, ૧૩ વર્ષની નાની અને કુમળી વયે સં. ૧૯૮૬ના વૈશાખ વદ ૧૦ના શુભ દિવસે ગુરુદેવ આચાર્યશ્રી વિજયસુરેન્દ્રસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે દીક્ષાગ્રહણ કરી. પૂ. ગુરુદેવે તેમનું નામ ‘રામવિજયજી’ રાખ્યું. ગુરુદેવની આજ્ઞાને અનુવર્તીને મુનિ શ્રી રામવિજયજીએ આગમગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો અને ન્યાય, વ્યાકરણ, સાહિત્ય આદિ વિષયોમાં પારંગત બન્યા. યોગોદ્દહન કરીને આગમનો અધિકાર મેળવી લીધો. અપ્રમત્તભાવે અને શુદ્ધ ભાવનાઓથી ચુસ્ત સંયમજીવન જીવતા મુનિશ્રીમાં પૂ. ગુરુદેવે સંપૂર્ણ યોગ્યતા જોઈ સં. ૧૯૯૯ના આસો વદ ૩ના શુભ દિને ગણિ પદથી વિભૂષિત કર્યા. ૮૯ વર્ષની જૈફ વય. ૭૫ વર્ષનો સંયમી પર્યાપ્ત, ૫૫ વર્ષનો આચાર્ય પર્યાપ્ત, તપાગચ્છાધિપતિ...જ્ઞાન ઉપાસક શ્રી વિજયરામસૂરીશ્વરજી મહારાજ એટલે જ્ઞાનની ગંગા અને ક્રિયાની યમુનાનો સુભગ સંગમ, મહાન આરાધકનું વિરલ વ્યક્તિત્વ. ગણિવર શ્રી રામવિજયજી મહારાજ તો પ્રથમથી જ જૈન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy