________________
શાશ્વત સૌરભ ભાગ-૧
શાસનની પ્રભાવનામાં રત હતા. તેઓશ્રીની વ્યાખ્યાનશૈલી અત્યંત મોહક હતી, તેથી તેમનો ભાવિક સમુદાય પણ ઉત્તરોત્તર વિશાળ બનતો રહ્યો. એવામાં સં. ૨૦૦૬ના કારતક સુદ પાંચમના ગોઝારા દિવસે પૂ. ગુરુદેવનું સ્વર્ગગમન થયું. પૂ. શ્રી રામવિજયજી મહારાજ માટે આ આઘાત સહન કરવો દુષ્કર હતો, પરંતુ તેઓશ્રી જ્ઞાનદૃષ્ટિના પ્રબળ પ્રભાવે સમાધાન સાધીને અખંડપણે શાસનનાં કાર્યો કરતા રહ્યા. તેઓશ્રીની આ વિશિષ્ટ અને નિરંતર ચાલતી ધર્મપ્રવૃત્તિઓથી પ્રેરાઈને અનેક શ્રીસંઘોએ તેમને આચાર્ય પદ ગ્રહણ કરવા માટે વિનંતીઓ કરી. છેવટે, અંતરથી તો આવી પદવીઓથી અલિપ્ત રહેવાવાળા આ મુનિરાજને, વડીલ ગુરુભ્રાતા પૂ. પંન્યાસજી શ્રી રામવિજયજી મહારાજે સં. ૨૦૦૭ના વૈશાખ સુદ ૩ ના શુભ દિવસે પાટણમાં ખેતરવસીના પાડામાં પંન્યાસ પદ તથા વૈશાખ સુદ પના શુભ દિવસે આચાર્ય પદ અર્પણ કર્યું. ગણિવર શ્રી રામવિજયજી સકલ સમુદાયના અધિપતિ આચાર્યદેવ વિજયરામસૂરીશ્વરજી મહારાજ બની ગયા. પૂ. આચાર્યદેવ હાલમાં ઘણા પુણ્યશાળી આત્માઓને સન્માર્ગે વાળી રહ્યા છે. ગુજરાત, રાજસ્થાન આદિ તેઓશ્રીનાં મુખ્ય વિહારક્ષેત્રો છે. આ ઉપરાંત, બિહાર, બંગાળ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર આદિ પ્રદેશોમાં પણ તેમણે ચાતુર્માસ કર્યાં છે. વિ.સં. ૨૦૪૪માં ભરાયેલા મુનિસંમેલનના તેઓશ્રી સફળ સૂત્રધાર હતા. સમગ્ર શ્રીસંઘોની એકતાનું સંવર્ધન-પોષણ કરવામાં તેઓશ્રીનો અનન્ય ફાળો છે. એવા એ પૂજ્ય આચાર્યદેવ વર્તમાનમાં પણ ચારિત્રના કડક પાલનના આગ્રહી હતા. આટલી ઉંમરે પણ જરા પણ શિથિલતાને સ્થાન નહોતું. મક્કમ મનોબળ ધરાવતા પૂજ્યશ્રીજીનું જીવનકવન અનોખું હતું. એવા એ મહાન સૂરિવર સં. ૨૦૬૧ના ફાગણ વદ ૯ના દિને તા. ૩-૪-૦૫ની ઢળતી સંધ્યાએ ૫ કલાક અને ૦૫ મિનિટે કાળધર્મ પામ્યા, કોટિ કોટિ વંદના!!
શ્રી
સં. ૨૦૬૨ની ફાગણ વદ ૯ની વાર્ષિક તિથિએ દેહભક્તિ નહિ ગુણસ્મૃતિ દ્વારા યાદ કરીને હૃદયથી ભાવાંજલિ અર્પિશું. દેહથીથી ખાખ બનેલી ભક્તો માટે લાખેણી ગુરુરામ પાવનભૂમિમાં ગુરુની નજરમાં કાયમ વસેલા શિષ્યાચાર્ય શ્રી વિજય અભયદેવ સૂરીશ્વરજી મ.ની સાનિધ્યતામાં ગુરુરામની અમર કહાનીનું વાગોળવા જેવું ગુંજન થશે અને શુભમંગલ ફાઉન્ડેશનની સેવા સવાઈ બનશે.
અંતે મહાન જૈઆચાર્યશ્રીએ પોતાના જ્ઞાન-ધ્યાન શુદ્ધ આચારનો વારસો સમુદાયના આચાર્યો પદસ્થો-સાધુ-સાધ્વીજી
Jain Education International
४०७
સહિત ૩૫૦માં મૂકીને ગયા છે. જેનો અહેસાસ આજે પણ થઈ રહ્યો છે.
સમસ્ત સુરત જૈન સંઘના ચારે ફિરકાઓ દ્વારા આ એક મહાપુરુષની વાર્ષિક તિથિએ અનેક આચાર્યો-શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહી. શુભ મંગલ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પાવનભૂમિના વિશાળ સંકુલમાં ગુણાનુવાદ સભામાં ગુણવૈભવનું દર્શન કરાવ્યું.
ભૂમિની પ્રભાવકતા પણ ત્યારે જોવા મળે છે દર રવિ– સોમવારે હજારો ભાવિકો દર્શન કરવા આવી ગુરુચરણસ્પર્શ કરી ધન્યતા અનુભવે છે. ગુરુગુણસ્મૃતિમાં તપ-જપ સાથે જીવદયા મેડિકલ કેમ્પ અનુકંપાદિ સેવના કાર્યો પણ ભક્તા ઉદાર હાથે કરી રહ્યા છે.
સૌજન્ય : શ્રી શત્રુંજય તીર્થ ચાતુર્માસ (મંડાર) આયોજક સમિતિ– મુંબઈ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ જૈનાચાર્ય વિજયપ્રેમસૂરીશ્વરજી મ.સા. એક અનોખું વ્યક્તિત્વ
તરણતારણહાર સર્વજ્ઞ શાસન શ્રી જિનશાસનમાં વર્તમાનમાં વિદ્યમાન આચાર્યગણમાં પરમપૂજ્ય પ્રશાન્તમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ અગ્રગણ્ય ધર્મધુરંધર આચાર્યોમાંથી એક છે.
પૂજ્યશ્રી તો અનુભૂતિસમ્પન્ન
આત્મજ્ઞાની, વિશિષ્ટ વ્યવહારકુશળ, સમયજ્ઞ મહાપુરુષ, પ્રતિભાસમ્પન્ન પ્રાજ્ઞ, વિખ્યાત વચનસિદ્ધ, પ્રખ્યાત પ્રભાવી, પ્રેમપ્રતિમા, સ્નેહમૂર્તિ, સ્મિતના જાદુગર, પ્રશાન્તમૂર્તિ, સમતાસાગર, ધર્મધ્રુવતારક, સંઘ-એકતાશિલ્પી, પ્રેમાળ, વાત્સલ્યમૂર્તિ, શાસનપ્રભાવક, સદાયે હસમુખા સ્વભાવવાળા છે.
મૂલ રાજસ્થાનના મજલદુનારા નિવાસી લુકડ ગોત્રીય સંપ્રત્તિ મહારાજાના વંશજ એવા પૂજ્યશ્રીના પિતાશ્રી પ્રતાપચંદજી અને માતાશ્રી રતનબહેન વરસો પહેલાં ગુજરાતમાં મહેસાણામાં આવીને વસ્યા. આ રીતે બાલઉછેર મહેસાણામાં સંઘવી પોળમાં થયો. પૂજ્યશ્રીનો જન્મ અજમેર બ્યાવર પાસે (વિજયનગર)માં વિ.સં. ૧૯૭૬, ફાગણ સુદ પૂનમ ધૂળેટી, તા. ૫-૩-૧૯૨૦ની મધ્યરાત્રિએ જ્યારે આકાશમાં ઉચ્ચના કર્કના ગુરુના સંયોગના સમયે થયો હતો.
For Private & Personal Use Only
www.jainelibrary.org