SearchBrowseAboutContactDonate
Page Preview
Page 417
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સેંરભ ભાગ-૧ ૪૦૫ (૫) સાઘર્મિકોનું અપાર વાત્સલ્ય : શાસ્ત્રો કહે છે કે એક તરફ ધર્મારાધના અને બીજી તરફ સાધર્મિકોની સર્વ રીતની ઉચિત ભક્તિ. આ બંને બુદ્ધિરૂપી ત્રાજવાનાં બે પલ્લાંમાં મૂકીએ તો બન્ને પલ્લાં સમાન જ રહેવાનાં!! જેમની ભક્તિનો મહિમા આવો અદ્ભુત દર્શાવાયો છે એ સાધર્મિકો માટે પૂજ્યશ્રીની લાગણી-વાત્સલ્ય અપાર હતું. વિ.સં. ૨૦૦૭માં ૫૦ હજારની જંગી મેદની વચ્ચે આચાર્યપદાર્પણ થયા બાદના પ્રથમ પ્રવચનમાં એમણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા તેમાં તેમની આ લાગણી-વાત્સલ્યનાં પ્રતિબિંબ ઝિલાય છે. તેઓશ્રીએ કહ્યું હતું ત્યારે કે “આચાર્ય પદ માટેની પૂર્ણ અનિચ્છા છતાં મુંબઈના સકલ સંઘ, અનેક સંસ્થાઓ અને વ્યક્તિઓના આગ્રહથી જ્યારે મેં આ જવાબદારીનો સ્વીકાર કર્યો છે ત્યારે મુંબઈના સમસ્ત સંઘ અને તેના મોવડીઓને મારો પ્રથમ અનુરોધ એ છે કે ભારતના ગૌરવસમા આ વિશાલ નગરમાં બહારથી દેવદર્શનયાત્રા-ઔષધોપચાર વગેરે કારણે હરહંમેશ સેંકડોની સંખ્યામાં આવતા આપણા સાધર્મિક ભાઈઓને ઉતારા માટે મુંબઈના જૈન સંઘને અનુરૂપ ધર્મશાળા અને ધર્માનુકૂલ ભોજન માટે ભોજનાલયની આ ભૂમિમાં જે ઉણપ છે તે સત્વર દૂર કરે. ધર્મ અને તેની આરાધના કલ્યાણનો માર્ગ છે, પરંતુ જ્યાં સુધી આપણા સાધર્મિકો અન્ન વિના ભૂખ્યાં રહેતાં હોય પૂરતાં વસ્ત્રો વિનાનાં રહેતાં હોય, રહેવાની સગવડ વિનાનાં હોય, જીવનનિર્વાહ માટે ફાંફા મારતાં હોય અને તેમનાં બાળકો યોગ્ય શિક્ષણથી વંચિત રહેતાં હોય; ત્યાં સુધી એને ધર્મસાધનાની સગવડ અને નિશ્ચિતતા કઈ રીતે હોય?” આ તીવ્ર લાગણીના પરિણામે, વિ.સં. ૨૦૧૬માં પુનઃ મુંબઈ પધાર્યા ત્યારે તેઓશ્રીએ સતત સાત વર્ષ ભગીરથ પુરુષાર્થ-ઉપદેશ આપીને ૫૬ વિશાળ ખંડો, ત્રણ વિરાટ હોલ યુક્ત પાંચ મજલાની આલિશાન ઇમારત સાધર્મિકો માટે તૈયાર કરાવી અને તેમાં (૧) ધર્મશાળા, (૨) ભોજનશાળા, (૩) જૈન વાડી, (૪) જૈન ક્લિનિક, (૫) જૈન જ્ઞાનભંડારની સર્વાંગસુંદર સુવિધા કરાવી. સમયના તકાજાને અનુરૂપ સાધર્મિક બંધુઓ માટે આ એક વિરાટ કાર્ય પૂજ્યશ્રીએ એવું કરાવ્યું કે ત્યારથી જ સાધર્મિક ક્ષેત્રે તેઓશ્રીની ગણના પૂ.આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ.સા. સાથે થવા માંડી.....આ ઉપરાંત વિ.સં. ૨૦૧૮માં ગોડીજીમાં પૂજ્યશ્રીએ સાધર્મિક સેવા સંઘની સ્થાપના કરાવી હતી. આ સંસ્થાએ તે કાળે દસ વર્ષમાં રૂા. ૬ લાખથી વધુ રકમ સાધર્મિકોની અન્ન-વસ્ત્ર–ઔષધાદિ જરૂરિયાતમાં વહાવી હતી. વિ.સં. ૨૦૧૬માં વાલકેશ્વર પૂજ્યશ્રીએ જૈન ઉદ્યોગગૃહની સ્થાપના કરાવીને મધ્યમવર્ગીય સાધર્મિકોને જીવનનિર્વાહનું સાધન કરી આપ્યું હતું, જે આજે પણ અનવરત ચાલુ જ છે. આ કાયમી આયોજનો ઉપરાંત ચાતુર્માસઅંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં તે તે સમય પૂરતી પૂજ્યશ્રી હસ્તક થતી સાધર્મિક ભક્તિનો વ્યાપ પણ ખૂબ વિશાળ હતો, જેમાં ગોડીજી પાર્શ્વનાથ સાર્ધ શતાબ્દી મહોત્સવ પ્રસંગે થયેલ ૨૫૦ સાધર્મિક કુટુંબની થયેલ અન્ન-વસ્ત્રઔષધાદિ ભક્તિ વગેરે ઉલ્લેખનીય છે. શ્રી સંઘના અમુક અંશે ઉપેક્ષિત આ અંગ પરત્વેની પૂજ્યશ્રીની વિશિષ્ટ લાગણી અને પ્રવૃત્તિ, એમના સંઘનાયકપદને ખરા અર્થમાં ચરિતાર્થ કરતી હતી. (૬) કરુણાઃ કરુણાના સંદર્ભમાં યાદ કરીએ ગિરિરાજ શ્રી શત્રુંજયતીર્થ પરના વસ્તુપાલ મંત્રીશ્વરના પ્રશસ્તિ લેખનો બીજો શ્લોક. એમાં મસ્ત કલ્પના કરાઈ છે કે : દેવલોકેશ્વર! ઉપાધિ થઈ છે” ઇન્દ્ર : “શી?” રક્ષક : “આપણા નંદન વનમાંથી કલ્પવૃક્ષ ચોરાયું છે.” ઇન્દ્ર : “એમ ન બોલીશ. મનુષ્યો પર કરુણા જાગવાથી મેં એને વસ્તુપાલરૂપે પૃથ્વીતલને શોભાવવા મોકલ્યું છે.” આ કલ્પનાને અનુસરીએ તો પૂજ્યશ્રી માટે ય એવું માની શકાય કે તેઓની પ્રવૃત્તિ કલ્પવૃક્ષને અનુસરતી હતી. ના......ના....ભૂલ્યો. કલ્પવૃક્ષો તો યાચના બાદ આપે છે. જ્યારે પૂજ્યશ્રીના જીવનમાં તો કરુણાના કારણે એવું ય નિહાળવા મળે છે કે જેમાં યાચના વિના જ અપાતું હોય! (૭) જૈનશાસનની પ્રભાવનાઃ તેઓશ્રીની અમોઘ ઉપદેશલબ્ધિના બળે વિવિધ સ્થળોએ જૈનશાસનના મહત્ત્વનાં અંગોરૂપ જિનમંદિરો – ઉપાશ્રયો - આયંબિલ ભવનો જ્ઞાનમંદિરો–પાઠશાળા–ધર્મશાળા-ભોજનશાળા વગેરેનાં અભુત નિર્માણ થયાં છે. એમાંય જીવનનાં છેલ્લાં મુખ્ય વર્ષો દરમ્યાન મુંબઈમાં વિચારીને સ્થળે સ્થળે જિનમંદિરઉપાશ્રયાદિના નિર્માણ કાજે એમણે જે ભગીરથ પુરુષાર્થ આદર્યો હતો એના જ કારણે મોહમયી મુંબઈનગરી મંદિરોથી મંડિત થઈ ગઈ છે. ચેમ્બર-ઘાટકોપર-કાંદિવલી ચતુર્વિશતિ જિનાલયભાયંદર બાવન જિનાલય વગેરે દેવવિમાન જેવાં નયનરમ્ય મંદિરો તેઓશ્રીની જ પુનીત પ્રેરણાનાં પરિણામો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી નિર્મિત થયેલાં જિનમંદિરોની સંખ્યા લગભગ શતાધિક છે. એ જ રીતે મુંબઈ ગોડીજી જૈન ઉપાશ્રય, શાંતાક્રુઝ જૈન ઉપાશ્રય-બોરીવલી જામલીગલી જૈન ઉપાશ્રય જેવાં લગભગ Jain Education Intemational ducation Intermational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy