SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ પુણ્ય પ્રભાવક ધર્મભૂમિઓ આ પાવનકારી પુણ્યભૂમિઓની પુણ્યપ્રભાવકતા તો જુઓ! જેમના દર્શન, વંદના અને સ્પર્શનાથી આપણા મસ્તક ઝૂકી પડે છે. તીર્થકરોનાં પુનિત પગલાંથી પાવન બનેલ શત્રુંજય મહાગિરિ, જ્યાં ઋષભદેવ પ્રભુ એક-બે વાર નહીં પરંતુ નવ્વાણું પૂર્વ વાર પધાર્યા છે. મગધમાં, બિહારમાં, બંગાળ અને ઉત્કલની ભૂમિએ જૈનધર્મનો સોનેરી સૂર્ય એક સમયે ચરમસીમાએ પહોંચેલો જોયો છે. તીર્થકરોમાં કલ્યાણકો પૂર્વની પુણ્યભૂમિમાં વિશેષ સાંપડે છે. તેના દર્શનથી મનની ભાવનાઓ હિલોળે ચઢે છે. પાદલિપ્તસૂરિ, કાલકાચાર્ય, આકાશમાર્ગે વિચરનારા વજસ્વામી, ખપુટાચાર્ય, ધનેશ્વરસૂરિ, માનતુંગસૂરિ, બપ્પભટ્ટસૂરિ. આચાર્ય શીલાંક વગેરેએ જૈન શાસનને ઘણું ગૌરવ અપાવ્યું છે. આ જૈન શ્રમણોએ આત્મકલ્યાણની સાથે જનકલ્યાણની સાધના કરતા રહ્યાં હતા. અનંત આત્માઓની પણ આ સિદ્ધભૂમિ ગણાય છે. આ શત્રુંજય ગિરિરાજના સોળ ઉદ્ધારોમાં આ ગિરિરાજના અસંખ્ય છ'રી પાલિત સંઘો નીકળ્યા. સેંકડો મંદિરોની રચના, હજારો મૂર્તિઓની પ્રતિષ્ઠા પ્રવ્રયા પ્રસંગો, પદપ્રદાન આયોજનો, સાધર્મિક વાત્સલ્યો, અભયદાનની ઉદઘોષણાઓ તથા આ સર્વેએ જગતમાં અનેકાન્તદર્શનનું સાચું ગૌરવ અને ગરિમા પ્રતિષ્ઠિત કરેલ છે. ભારતમાં કે ભારતની બહાર જૈનોનાં એક-એક તીર્થમંદિરો કે ઉપાશ્રયો પ્રાચીન વિભવના પ્રબળ પુરાવા છે. આબુ દેલવાડાના જૈન દેરાસરો ઉપર ફરકતી ધજાઓ મધ્યકાલીન સમયના રાજવીઓ અને મંત્રીઓની ગૌરવગાથાને તાજી કરે છે. પ્રા. શ્રી બિપિનચંદ્ર ત્રિવેદીની લેખમાળામાં આ બધી વિગતો સ્પષ્ટ રીતે જોવા મળશે. જૈન ઇતિહાસને સમૃદ્ધ કરનાર બિહારનું પટણા જુઓ, જેની સાથે સ્થૂલિભદ્રજીની કથા સંકળાયેલી છે. રાજા શ્રેણિકની રાજધાની આજનું રાજગૃહી જુઓ, અંતિમ કેવળી જંબુસ્વામી, ધના શાલિભદ્ર અને સુલસી શ્રાવિકા આ નગરમાં જ જમ્યાં. પ્રસન્નચંદ્ર રાજર્ષિને આ નગરમાં જ કૈવલ્યની પ્રાપ્તિ થઈ. હેમચન્દ્રાચાર્યનું પાટણ જુઓ કે હીરવિજયસૂરિનું પાલનપુર જુઓ, દેલવાડા, કુંભારિયા અને આરાસણનાં મંદિરો જુઓ. પ્રાચીન ભારત કે ભરૂચની પંચતીર્થી જુઓ, જૈન સંસ્કૃતિને ટોચે લઈ જનાર ચૌદમી સદીનું કેશરિયાજી જુઓ, છેક ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સમગ્ર ભારતવર્ષ તીર્થકરો અને સાધુ સાધ્વીઓની વિહારભૂમિને લીધે આંખ ભરી ભરીને જોવું ગમે તેવું એ સઘળું ખરેખર દર્શનીય ભાસે છે. પાસ્વામીની જન્મભૂમિ કોસંબી, ધવલશેઠ અહીંના જ હતા. મૃગાવતીજીને કેવળજ્ઞાન અહીં જ થયું. અનાથીમુનિ અને વૈયાકરણી કાત્યાયનની આ જન્મભૂમિ, અડદના બાકુળા વહોરાવનાર ચંદનબાળાનો પ્રસંગ આ ધન્ય ભૂમિ સાથે સંકળાયેલો. અયોધ્યાનો ઇતિહાસ રઘુકુળ સાથે સંકળાયેલો. ઋષભદેવપ્રભુની જન્મભૂમિ દીક્ષા કેવળજ્ઞાન પણ અત્રે જ થયું. સુમતિનાથ અને અનંતનાથ ભગવાનનાં ચાર ચાર કલ્યાણકો અહીં જ થયાં. રાજા હરિશ્ચંદ્ર પણ આ નગરના જ હતા. મલ્લિનાથની જન્મભૂમિ મિથિલા, મુનિસુવ્રતસ્વામીની જન્મભૂમિ વારાણસી, ચંદ્રાવતી, કાકન્દી, ચંપાપુરી, હસ્તિનાપુર એ બધી તીર્થકરોની જન્મભૂમિને લાખ લાખ વંદનાઓ. રાજગૃહી કે સમેતશિખરજી કે પાવાપુરી આપણા સાચા ઘરેણા જેવા છે. છેલ્લી સદીમાં જે જે ધરા ઉપર તીર્થસ્થાનો ઊભા થયાં અને વિકસ્યાં કદંબગિરિ, હસ્તગિરિ, શંખેશ્વરજી કે ભદ્રેશ્વર એ બધી જ પુણ્યભૂમિઓ ખરેખર દર્શનીય ભાસે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy