________________
ધન્ય ધરા:
શ્રમ અને શૌર્ય, પ્રજ્ઞા અને ઉદારતાનું, વ્યાપાર અને વીરતાનું, કલા અને કલાદારોનું આબાદ સર્જન થયું છે. સંસ્કૃતિ, સંપત્તિ, શૌર્યકળા અને શીલધર્મનો અજોડ-અભુત સમન્વય અત્રે ખરેખર અનુભવાયો છે. રત્નોની ખાણ સમી આ વંદનીય ભૂમિમાં એવાં અનેક માનવપુષ્પો ખીલ્યાં અને પાંગર્યા–જેમણે જગતને વીતરાગતાનો રૂડો માર્ગ બતાવી જૈનધર્મ સંસ્કૃતિની દિવ્યજ્યોતને વિશ્વ પ્રાંગણમાં મહેકતી રાખવામાં ગજબની મહેનત કર્યાનું ઇતિહાસ નોંધે છે. જેમના ઉમદા અને પરિમલ ગુલાબી જીવનચરિત્રોનું અવલોકન તો ખરેખર આત્માની મધુરી મોજ માણવા જેવું છે. એ માણ્યા પછી ગજબની ચેતના અનુભવાશે એવો આ ગ્રંથસંપાદકનો જાત અનુભવ છે.
આ ધન્ય ધરાના વીરપુરુષો અને આત્માનાં રહસ્યોને સમજનારા પ્રજ્ઞાવંતોની યશસ્વી ગાથાએ જગત આખાને પ્રેરણાનું પુષ્કળ ભાથું પૂરું પાડ્યું છે. આ મહામાનવોએ પોતાના તપતેજના કિરણો પ્રસારી સંસ્કૃતિના સબળ સત્ત્વને સૌંદર્યમંડિત કર્યું છે. આધ્યાત્મિકતાની ચિનગારી આપનારા એ સિદ્ધપુરુષોએ જીવનભર શીલધર્મની સુગંધ પ્રસરાવી સમાજને ઊંચી ભૂમિકાએ લઈ જવામાં ભારે પુરુષાર્થ કર્યાનું જણાય છે. શાસનની ધર્મધારાને હરઘડીએ સજાગ રાખનારા આ પૅજીભૂત પુરુષાર્થીઓની કીર્તિગાથા જાણવા-માણવા જેવી છે. દક્ષિણમાં સિદ્ધસેન દિવાકર જેવા અને હરિભદ્રસૂરિ જેવા અસાધારણ ગ્રંથકારો, કવિ ધનપાળ, શોભન જેવા કવિઓ અનેક સાક્ષરરત્નો જેવા બ્રાહ્મણોએ શાસનની શાન વધારી છે.
આ ધરા ઉપર જૈનોએ વૈરાગ્યની, શ્રુતસંપદાની અને સાધુતાની બહુ મોટી પ્રતિષ્ઠા કરી અને તેથી જ દ્રવ્ય, સત્તા, કીર્તિ અને માનસન્માનના કુંડાળાથી બહાર રહીને જ્ઞાનની ચિરંતન જ્યોતને કેન્દ્રબિંદુ માની તેના પરિઘમાં જ પોતાની સારસ્વત સેવાને છેલ્લા શ્વાસ સુધી નિભાવનારો શ્રણ સમુદાય અને પ્રભુપ્રેરિત શક્તિઓનો યથાર્થ વિનિયોગ કરનારાં શાસનના તેજસ્વી નક્ષત્રોના સેરા-રામર્પણથી સૌને વાકેફ કરવાનો અમારો આ અસાધારણ પ્રયાસ છે. પ.પૂ.આ.શ્રી પૂર્ણચંદ્રસૂરિજી મ.સા.ની શ્રુતજ્ઞાન સંબંધની લેખમાળામાં આ બધી વિગતો મળશે. આ ભૂમિ ઉપર જેઓ સીમાચિહ્ન કાર્ય કરી ગયા છે, તેમની
સ્મૃતિ વિશેષરૂપે અંકિત કરવાનું આ ભગીરથ આયોજન છે. રાજાઓ અને મંત્રીશ્વરોનું પણ ભારે મોટું યોગદાન નોંધાયું છે. મગધનો મહાન શ્રેણિક, વૈશાલીનો રાજા ચેટક, ચંપાનો રાજા દધિવાહન, કૌશંબીનો રાજા શતાનીક, અવંતીનો રાજા ચંડપ્રદ્યોત અને લિચ્છવીના રાજાઓ નંદવંશીય રાજાઓ, મૌર્યવંશી રાજાઓ વગેરેએ જૈનધર્મને ભારે મોટુ બળ આપ્યું છે.
વિક્રમની વીસમી સદીમાં જૈન સંસ્કૃતિએ જે વિરાટ છલાંગ ભરી તેમાં આપણને આ ધરાના મગરૂબ મહાજનો, મહામેધાવીઓ, જીવદયાના પરમ રક્ષકો, સાચાં ઘરેણાં જેવાં શીલસંપનો, ભલાભોળા ભાવધર્મીઓ, રૂડા તપોધર્મીઓ, ચિંતનના પારગામીઓ, તત્ત્વાન્વેષણના સાચા મોતી લાવનારા સંબદ્ધપુરુષો, વિવેચકો અને વાચસ્પતિઓ, આત્માનુભૂતિના જૈન જ્યોતિર્ધરો અને જ્ઞાનધર્મી બહુશ્રુતોનું કતજ્ઞભાવે સદૈવ સ્મરણ કરવાનો આ મંગલ ગ્રંથનો ઉપક્રમ રહ્યો છે. તેજસ્વી, સંયમી, ગુણવાન અને પ્રભાવક પ્રતિભાઓ જ આ ધરતીના ખમતીધર આત્માઓ છે, માનવજીવનના સાચા પથદર્શકો રહ્યાં છે. સમાજની દીવાદાંડી છે. આ સૌને લાખ લાખ વંદનાઓ.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org