SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ આ ધરાના મહાપ્રભાવક પુણ્યબળે એવા ગુણનિધિ માનવરત્નો સમયે સમયે નીપજ્યાં છે, જેના લીધે આ રૌદ્ર અવસર્પિણી આરામાં એ પરમ ધન્યતા અને પ્રસન્નતા અનુભવાય છે. પૃથ્વીની આરતી ઉતારે એવી તીર્થસમી પવિત્ર વ્યક્તિઓ હજુ આજે પણ એવું જયેષ્ઠ અને શ્રેષ્ઠ જીવન જીવે છે કે આ ધરા આવા તેજપુંજથી પ્રસન્ન-પુલકિત બનીને દેવોને પણ આ ધરતી પર આવવા લાલાયિત કરે છે. ધરતીની સુગંધ એમના પ્રાણે પ્રાણે અનુપ્રાણિત થઈ ખુશબૂ ફેલાવે છે. મહાભારતના શાંતિપર્વમાં.એ કાળના પ્રબુદ્ધ પ્રજ્ઞાપુરુષ પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને જે ચોસઠ ગુણો સંભળાવ્યા તેમાંના બેચાર ગુણો પણ આપણા જીવનમાં ચરિતાર્થ બને તો જીવન ધન્ય બની જાય. ગુણગ્રાહી સમાજની જીવનજ્યોત ચરમ તીર્થકર દેવાધિદેવ ભગવાન મહાવીરે આત્મદર્શનના પાયારૂપે પાંચ મહાવ્રતોના સમ્યફ પરિપાલન માટે વારંવાર ભારપૂર્વક આજ્ઞા કરી છે. આ અણુવ્રતો પાળનારા અને આગળ વધી મહાવ્રતોને પળે પળે જીવનમાં ઝીલનારા એ જૈન છે. ઇન્દ્રિયો અને મન પર વિજય મેળવી સંયમભર્યું જીવન જીવનારા એ જૈન છે. પ્રતિપળે સાવધાન રહી પોતાના ચિત્તમાં રહેલા કામ, ક્રોધ, લોભ આદિ આંતરૂ શત્રુઓ પર વિજય મેળવે છે એ જૈન છે, જે પોતાના કર્મવિપાકોને હર્ષ-શોક વિના ભોગવતા ભોગવતા, ખપાવત ખપાવતા, નવા કર્મબંધનો ઊભા ન કરે અને સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્રચારિત્ર્યની આરાધના દ્વારા કર્મ પુદ્ગલને જીવ તરફ જતાં રોકીને તે દ્વારા નિર્જરા અને છેવટે તેમાં અનંતદર્શન, અનંતજ્ઞાન અને અનંત ચારિત્ર્યની સંપ્રાપ્તિ દ્વારા મોક્ષપદને પામે તે જૈન છે. જે કેવળજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ પર પહોંચીને આત્માના વાસ્તવિક વિરાટ સ્વરૂપને નિરખીને તેમાં જ રમમાણ રહે છે તે જૈન છે. જૈન ધર્મ ગુણગ્રાહી છે. તેમાં પણ વ્યાપકતા રહેલી છે. સમ્યકજ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યફચારિત્ર્ય આ ત્રણ જૈનધર્મના પાયામાં રહેલા અણમોલ રત્નો છે. તેનાથી વિભૂષિત બની વામન દેખાતો માનવ વિરાટ મહામાનવ બની શકે તેમ છે. આત્મા પરમાત્મા બની શકે છે. ગુણોની પૂજા કરનારા આ સમાજના ગુણગ્રાહી જીવોની જીવનયાત્રા બહાર લાવી તેમનાં તપ, ત્યાગ અને શીલની જીવનજ્યોત અજવાળવાનો અમારો આ ભક્તિનમ્ર અર્થ છે. તપસ્વી તેજપુંજોનું પુનિત સ્મરણ અમારે મન એક લહાવો છે. આ ગુણાનુરાગીઓની સુવાસમાધુરી જ આપણાં ગુણગાનનો વિષય છે. જે આ ગ્રંથરત્નમાં કેન્દ્રસ્થાને છે. પૂર્વજોએ વહાવેલી આ ગુણાનુરાગી ગંગાનું આચમન મોક્ષમાર્ગના સાધકોને દીર્ધકાળ સુધી ભારે મોટું બળ અને પ્રેરણા આપી રહેશે. આવા માનવરત્નોના ધૂળધોયા બની કાંચનકણીઓ વણવી, સમાજ અને શાસન સામે ધરવી, એમના પુનિત ચરણોમાં સમર્પિત થઈને બેસવું. એમનું દેવત્વ અભિવંદનં. એમના જ્યોતિર્મા શ્રદ્ધા સાથે બે ડગલાં હોંશે હોંશે માંડવાં એ અમારો ગ્રંથસંકલ્પ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની ભવ્ય આરાધનાનો જીવનની સંધ્યાએ આદરેલો અમારો આ પુરુષાર્થ વર્તમાન આયુષ્યની બચેલી ક્ષણોનું ભલું જીવ્યું બની રહો એટલી જ આશા અપેક્ષા છે. અમારા હાથે આ એક અદ્ભુત પ્રસાદીરૂપ કાર્ય થયાનો અમને પૂર્ણ સંતોષ છે. વિવાટિકાનું પ્રફુલ્લિત પુષ્પ પુણ્યગંધા પૃથ્વીની ચેતનાસભર પાંગરેલી સંસ્કૃતિવેલ જેવી આ ધન્યધરામાં અનેકે આદર્શ અને ઉન્નત જીવનની પ્રેરણાના પાન પીધા છે. અત્રે સૌંદર્ય અને સરસ્વતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy