SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ધન્ય ધરાઃ ધર્મભૂમિનો પ્રેરક પ્રભાવ માનવીના વ્યક્તિત્વનું દર્શન તેના વતન પરથી જ થાય છે. દરેક મહાન વ્યક્તિની સાથે તેની જન્મભૂમિ કે કર્મભૂમિનું નામ અવશ્ય જોડાયેલું હોય છે. તેમ દરેક ભૂમિની આગવી ખાસિયત કે વિશિષ્ટતા પણ હોય છે. દરેક ભૂમિના વાતવારણનો પ્રભાવ તે ભૂમિ પર વિહાર કરતા જીવમાત્ર પર પડે છે. ગુરુ વશિષ્ઠના આશ્રમમાં વાઘ અને સિંહ સાથે જો હરણાં અને સસલાં બેસી શકતાં હોય તો તે, તે ભૂમિના પ્રેરક પ્રભાવને જ આભારી ગણાય ને! જે ભૂમિમાં સૌન્દર્ય અને સરસ્વતીનું આબાદ સર્જન થયું છે, જે ભૂમિની ગોદમાં જન્મ લેવા દેવતાઓ પણ ઇચ્છે છે, જે ભૂમિની સંસ્કૃતિના પાયામાં ભક્તિરસ અને માધુર્ય ભર્યા ભર્યા છે. જે ભૂમિના હૂંફાળા ખોળામાં સેંકડો જિનેશ્વર બિંબોના પવિત્ર પરમાણુ પ્રસર્યા છે, જ્યાંના શાસન-પ્રભાવક રત્નોએ જગતના ચીકમાં એક અનુપમ સૌરભ પ્રસરાવી છે, એ તપોભૂમિનો પ્રભાવ તો જુઓ! જ્યાં આદર્શ ધર્મગુરુઓએ આધ્યાત્મિકતાની દિવ્ય જ્યોતને દેશ અને દુનિયામાં પ્રસરાવી-રેલાવીને શાસનના ગૌરવને ઉજાળવામાં ભારોભાર યશભાગી બન્યા છે. જીવમાત્રને જ્યાંથી ઉન્નત જીવનની અનેક નવી જ ક્ષિતિજો નીરખવા મળી, જ્યાં એક-એકથી ચડિયાતા કલાપ્રેમી, ધર્મપ્રેમી, પ્રજાવત્સલ રાજવીઓ થયા; જ્યાં ધર્મ, સંસ્કાર અને સરસ્વતીનું સંમિલન થયું, એ સૌરાષ્ટ્ર-ગુજરાતની તીર્થભૂમિનાં આંખ ભરી-ભરીને જોવા ગમે તેવાં હજારો જિનમંદિરો આ બડભાગી ભૂમિનો જ પ્રતાપ સમજવો ને? આ પતિતપાવન શ્રમણ પરંપરામાં સદીએ સદીએ વિશિષ્ટ પ્રતિભાઓનો પ્રકાશપુંજ રેલાયો, પુનિત અને પ્રાતઃસ્મરણીય આત્માઓએ જન્મ ધારણ કરી શાસ્ત્રોએ પ્રબોધેલા તમરાહે પહોચવા જ્યાં જ્યાં કઠિન તપશ્ચર્યા કરી હોય એવી પરમ પાવક પવિત્ર ભૂમિને આપણે તીર્થસ્વરૂપ જાણીએ-સમજીએ. પ્રભાવક એવી આ ભૂમિ પર પણ આછડતી નજર કરીએ. બે હજાર વર્ષ પહેલાં સિદ્ધ નાગાર્જુન, જેમને આકાશગામિની વિદ્યા હસ્તગત હતી, એ પાલિતાણાના જંગલમાં જ વિહાર કરતા હતા. સોળમી સદીમાં પરમ પૂજ્ય શ્રી આનંદવિમલસૂરિજી, સત્તરમી શતાબ્દીમાં જગદ્ગુરુ તપસ્વી શ્રી હીરવિજયસૂરિજી તથા આ. શ્રી વિજયદેવસૂરિજી, સત્તરમી-અઢારમી સદીમાં જ્યોર્તિધર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી તથા દિયોદ્ધારક પંન્યાસ શ્રી સત્યવિજયજી, પ્રજ્ઞા પુરુષ આત્મારામજી મહારાજ વગેરે અને વિક્રમની વીસમી સદીમાં જૈનશાસનની સર્વતોમુખી પ્રભાવના કરનાર પૂજ્ય શ્રી નેમિસૂરિજી મહારાજ તથા રામચંદ્રસૂરિજી મ., તથા જિનશાસનની આધારશીલા સમાન આગમોનો ઉદ્ધાર કરનાર આગમોદ્ધારક પૂ. આનન્દસાગરસૂરિ મ. યુવા શિબિરોને ચાલુ કરી લાખો યુવાનોને ધર્મમાર્ગે અવતરણ કરનારા ૧૦૮ ઓળીના તપસ્વી શ્રી ભુવનભાનુસૂરિજી મ. થયા એવી આ પુણ્યભૂમિનું રૂપ કાંઈ અનોખું જ જોયું, અનેકોને પ્રેરણા આપતો જૈન પ્રજાનો પરોપકારી સ્વભાવ અને સહિષ્ણુતા પણ પ્રત્યક્ષ જોયાં, અનુભવ્યા. અરે! ત્રેવીસ તીર્થકરો પણ જ્યાં આવી ગયા એ લોકોત્તર પરમ તારક તીર્થના શ્રદ્ધાસભર હૃદયે જે સુભાગી જીવ જીવનમાં એક વાર જ દર્શન કરે છે તે અવશ્ય દિવ્ય દર્શન પામે છે, અને જેના વંદન-સ્મરણ માત્રથી અપાર કર્મનિર્જરા થાય છે, તે તીર્થાધિરાજેશ્વર મહાતીર્થ શત્રુંજય મહાગિરિ–પાલિતાણા, જ્યાં ભગવાન ઋષભદેવ પ્રભુ નવાણું પૂર્વવાર આવ્યા હતા, જ્યાંથી અનંતા મુનિઓએ મોક્ષની પ્રાપ્તિ કરી; Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy