________________
૩૪૨
ધન્ય ધરા:
આખ્યાનો અને ચિત્ર
ગુજરાતી ભાષામાં લખાયેલ મધ્યકાળના કવિ પ્રેમાનંદનાં આખ્યાનોની હસ્તપ્રતો આ સંગ્રહમાં ઉપલબ્ધ છે. કુંવરબાઈના મામેરાની ૧૯મા સૈકાની હસ્તપ્રતમાં એક ચિત્રમાં વહેલમાં બેસીને જતાં શેઠશેઠાણીનું આલેખન ભાવવાહી છે, પણ વેશભૂષા સૌરાષ્ટ્રની છે. વહેલ લાકડાની બનાવેલી છે. એમાં કોતરકામ અને ચિત્રકામ આકર્ષક છે. શણગારેલા બળદથી હંકારાતી આ વહેલનાં પૈડાં જાણે ગતિમાન દર્શાવાયાં છે.
જૈનેત્તર ચિત્રકલાનો વિકાસ વૈષ્ણવ, શેવ અને શક્તિ સંપ્રદાયો દ્વારા થયો. વૈષ્ણવ સંપ્રદાયની અસર નીચે લિપિબદ્ધ થયેલી હસ્તપ્રતોમાં જયદેવ કવિનું ગીતગોવિંદ, બાલગોપાલસ્તુતિ અને નારાયણકવચ મુખ્ય છે. શૈવ સંપ્રદાયની અસર નીચે લખાયેલ કાગળની હસ્તપ્રતમાં શિવકવચ અને છાયા પુરુષજ્ઞાન મહત્ત્વની છે. એમાં ભગવાન શિવનાં ચિત્રોનું આલેખન કરેલું છે. છાયાપુરુષ જ્ઞાનની ૧૮માં સૈકાની એક હસ્તપ્રત આ સંગ્રહમાં છે. એમાં વાઘ પર બેઠેલા શિવનું ચિત્ર અત્યંત આબેહૂબ, મોહક અને આકર્ષક છે. શિવે કંઠમાં ખોપરીની માળા પહેરી છે. જટામાં સર્પ, બે હાથમાં ડમરું અને ત્રિશૂળ ધારણ કરેલ છે.
શાક્ત સંપ્રદાયની હસ્તપ્રતોમાં દેવીભાગવત, ચંડીપાઠમહાભ્ય જેવા ગ્રંથો મળે છે. આ સંસ્થામાં ૧૮મી સદીની એક દેવી ભાગવતની હસ્તપ્રતમાં દેવીનાં જુદાં જુદાં સ્વરૂપોનાં ચિત્ર આલેખાયેલાં છે. એમાં મહિષાસુરમર્દિનીનું એક જીવંત ચિત્ર નોંધપાત્ર છે.
સૂર્યના ઉપાસકોનો સૌર સંપ્રદાય કહેવાય છે. આ સંપ્રદાયની સૂર્ય સહસ્ત્રનામસ્તોત્રની ૧૮માં સૈકાની કાગળની હસ્તપ્રત સચવાયેલી છે. એમાં ભગવાન સૂર્યના માનુષસ્વરૂપનું ચિત્ર આલેખેલું છે. સૂર્યનો રથ સાત ઘોડાઓથી હંકારાય છે. રથ
હાંકનાર સારથિની પાઘડી મરાઠી ઢબની છે. સારથિએ એક હાથમાં ઘોડાઓની લગામ પકડી છે, તો બીજા હાથમાં પાતળો દંડ ધારણ કરેલ છે, રથની મધ્યમાં સૂર્યનું મસ્તક પ્રભામંડળની સાથે દર્શાવેલું છે. આખું ચિત્ર લયયુક્ત ગતિમાં હોય એમ જણાય છે.
ગુજરાત રાજ્યના દફતર ભંડારમાં પ્રેમાનંદની ભાગવત દશમસ્કંધની એક ગુજરાતી ભાષાની સચિત્ર હસ્તપ્રત સંગ્રહિત છે. વડોદરા પાસેના માંડવીમાં લખાયેલી આ હસ્તપ્રતમાં કુલ ૩૬૫ ચિત્રો છે. ચિત્રોનો સમય ૧૮મી સદીના ઉત્તરાર્ધ અને ૧૯મી સદીના પૂર્વાર્ધ જણાય છે. એમાં બકાસુરવધ, પૂતનાવધ, અઘાસુરવધ, કૃષ્ણની બાળલીલા, નાગદમન વગેરે પ્રસંગોના ભાવવાહી આલેખનો છે. વેશભૂષા પરંપરાગત ગુજરાતની છે. એક ચિત્રમાં બાળકને સૂવાના પારણાનું આલેખન કરેલું છે, જે સંખેડાની કાષ્ઠકલાની યાદ તાજી કરાવે છે. ચિત્રોને ઉઠાવ આપવા હાંસિયામાં વેલબુટ્ટાની કલાત્મક ભાત ઉપસાવેલી છે. કવિ પ્રેમાનંદે જે ભાવ કવિતામાં વ્યક્ત કર્યો છે, તેને જ ચિત્રકારે રંગ અને રેખામાં અભિવ્યક્ત કર્યો છે.
અમદાવાદમાં દેવશાના પાડાના દયા વિમલજી ભંડારમાં આશરે ૧૫મી સદીની કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે, જેમાં રાગરાગિણીઓ જેવાં સંગીતશાસ્ત્રનાં તથા આકાશચારી, પાદચારી અને ભોમચારી જેવાં ભરતનાટ્યશાસ્ત્રનાં રૂપો ચીતરેલાં છે.
પાંજરાપોળના વિજયનેમસૂરિ જ્ઞાનભંડારમાં શાંતિનાથચરિતની ચિત્રિત લાકડાની પટ્ટી છે. અમદાવાદમાંના ઊજમફઈની ધર્મશાળાના ગ્રંથભંડારમાંથી એક ૧૪મી સદીની પ્રતમાં મહાવીરનું ચ્યવન, જન્મ-નિર્વાણ, સમવસરણ વગેરે પ્રસંગો ચીતરેલાં છે.
ગૂજરાત વિદ્યાપીઠના ગ્રંથાલયમાં ૪૩૭ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ થયેલો છે. એમાં સંસ્કૃત, પ્રાકૃત, હિન્દી અને ગુજરાતી ભાષાની હસ્તપ્રતો છે. આ હસ્તલિખિંત ગ્રંથો, વેદ, ઉપનિષદ ઇતિહાસ-પુરાણ, છંદ, જ્યોતિષ, કર્મકાંડ, વ્યાકરણ જેવા વિષયોને લગતા છે. વડોદરાનો પ્રાચ્ય વિધામંદિર
હસ્તપ્રત સંગ્રહ મહારાજા સયાજીરાવ ત્રીજાના અપૂર્વ પ્રયાસ અને ભારતીય સાહિત્ય તેમજ સંસ્કૃતિ પ્રત્યેની એમની અપાર
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org
For Private & Personal Use Only