________________
શાશ્વ સૌરભ ભાગ-૧
૩૪૧
|
હસ્તપ્રતમાં રાસના કથા-પ્રસંગ આલેખતાં સુંદર ચિત્રો છે, જેમાંનું એક ચિત્ર ધવલ શેઠની કલાને લગતું છે. વહાણનાં ચિત્રોમાં બ્રિટિશરોનો યુનિયન જેક ધ્વજ સ્પષ્ટ દેખાય છે.
સાહિત્યના મહાન કવિ કાલિદાસની બે કૃતિઓ મેઘદૂત અને કુમારસંભવની સચિત્ર કાગળ પર લખાયેલી પ્રતો અહીં સચવાયેલી છે. ઈ.સ.ની ૧૭મી સદીમાં ખરતરગચ્છના સાધુ ઉદયહર્ષે લખેલી મેઘદૂતની પ્રતમાં કુલ પાંચ ચિત્રો છે. એમાં સરસ્વતીનું ચિત્ર, રામગિરિ આશ્રમ પર વિરહી યક્ષનું ચિત્ર, સ્વર્ગની અલકાપુરી નગરીનું ચિત્ર, વિરહિણી યક્ષિણીનું ચિત્ર અને પ્રેમીઓના મિલનનું દશ્ય રેખાંકિત કરાયું છે.
- કુમારસંભવની ૧૭મી સદીના પૂર્વાર્ધની પ્રતમાં પશ્ચિમ ભારતીય ચિત્ર-શૈલીમાંનાં સરસ્વતી અને અર્ધનારીશ્વર પાર્વતી પરમેશ્વરનાં મનોરમ આલેખનો મળે છે.
જૈન પરંપરા અનુસાર જૈન આચાર્યો અને મુનિઓને જુદાં જુદાં શહેરો કે નગરોના જૈન સંઘ પોતાને ત્યાં પર્યુષણ કરવા અને ચાતુર્માસ ગાળવા નિમંત્રણ આપતા. આ નિમંત્રણપત્રો વ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવતા અને એમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. ચિત્રોમાં ધાર્મિક અને નગરનો મહિમા બતાવતાં ચિત્રો આલેખાતાં. નગરજનો જૈન સાધુઓનાં દર્શન કરવા અને એમનાં વ્યાખ્યાનો સાંભળવા કેટલા ઉત્સુક છે એનું વર્ણન કરવામાં આવતું. નગરની ભૌતિક અને કુદરતી સમૃદ્ધિનું સચિત્ર વર્ણન કરાતું. આ પ્રકારના નિમંત્રણને જૈન પરિભાષામાં વિજ્ઞપ્તિપત્ર કહે છે. એમાં સાલ અને તિથિ આપેલી હોવાથી ઐતિહાસિક દૃષ્ટિએ એનું મહત્ત્વ ઘણું છે.
અમદાવાદમાં દેવાશા પાડાનાં ભંડારમાં ‘શ્રીપાલરાસની એક ચિત્રિત હસ્તપ્રત છે. એમાં વેપાર માટે સુરત આવતાં વહાણોનાં ચિત્રાંકનો આબેહૂબ છે. કેટલાંક ચિત્રોમાં વૃક્ષોવનરાજીઓનાં દશ્યો અંકિત કરેલાં છે, જેમાં ચિત્રકારોના પ્રકૃતિપ્રેમનું દર્શન થાય છે. કેટલાંક ચિત્રોમાં ગીત-સંગીત અને નૃત્યનું આલેખન કરેલું છે. પુરુષોના હાથમાં વીણાનું ચિત્રણ વિશિષ્ટ અને નોંધપાત્ર છે.
ગાંધીનગર જિલ્લાના પેથાપુર ગામમાં ચિત્રિત શ્રીપાલરાસની એક હસ્તપ્રત અમદાવાદના ડહેલાના ઉપાશ્રયમાં છે. આ પ્રતનાં ચિત્ર ઉત્તર ગુજરાતની વિશિષ્ટ ગ્રામીણ શૈલીમાં આલેખાયેલાં છે. પેથાપુરનાં લોકોનાં મકાનોની દીવાલો પર જે ચિત્રો જોવા મળે છે, તેવી જ શૈલીનાં ચિત્ર આ પ્રતમાં ચીતરેલાં
છે. પુરુષપાત્રોની પાઘડી, લાંબી બાંયના અંગરખાં, પટાદાર ધોતિયાં અને ખેસનું આલેખન આકર્ષક છે. સ્ત્રી-પાત્રો ઘેરા વાદળી રંગની ઓઢણી અને લાલ રંગનો ચણિયો ધારણ કરેલ દર્શાવાયાં છે. ચિત્રોમાં પશુપક્ષી અને વનરાજિનું આલેખન મનોહર છે.
હિંદુ અને જૈન પરંપરામાં સાધુઓ અને સંસારીઓ માટે જે જ્ઞાનચોપાટ તૈયાર કરાતી, તેમાં ચિત્રોનું આલેખન કરવામાં આવતું. એમાં દેવલોકનું, સર્પોની સીડીઓનું, નવગ્રહોનું તેમ જ જીવયોનિઓનું આલેખન કરાતું. આવી એક ૧૯મી સદીની ચિત્રિત જૈન જ્ઞાનચોપાટ આ સંસ્થામાં સુરક્ષિત છે. જૈન સાધુઓ અને શ્રાવકોને આ જ્ઞાનચોપાટ બતાવી જુદી જુદી જીવયોનિઓ વિવિધ પ્રકારના દેવલોક, સ્વર્ગ અને નરક તેમજ મોક્ષનો ખ્યાલ આપતી જ્ઞાનચોપાટ હિંદુ પરંપરામાં પણ તૈયાર કરાવવામાં આવતી, જેમાં ૮૪ કોઠાઓનું આલેખન કરાતું. આ ૮૪ કોઠાઓ ૮૪ લાખ યોનિનાં પ્રતીક મનાતા.
ગુજરાત અને રાજસ્થાનના લોકસાહિત્યમાં ગોપીચંદની કથા ઘણી લોકપ્રિય છે. આ ગોપીચંદની કથા વર્ણવતો ‘ગોપીચંદ કી શાબ્દી’ નામનો હિંદુપટ આ સંસ્થામાં સચવાયેલો છે. એમાં આ રાજાના જીવનને લગતાં ચિત્રોનું આલેખન કરેલું છે. આ ચિત્રોનો સમય આશરે ૧૮મી સદીનો છે. ચિત્રોની શૈલી પશ્ચિમ–ભારતીય છે. પાત્રોની વેશભૂષા રાજસ્થાની છે.
બીજા એક હિંદુપટમાં કોઈ હિંદુ ધર્મગુરુના ગાદીવારસા વખતના પ્રસંગોનું જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરાયું છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં આ કપડાના પટ્ટમાં જુદાં જુદાં દશ્યોમાં આલેખન કરાયું છે. ૧૯મી સદીના પૂર્વાર્ધમાં આ કપડાના પટ્ટમાં જુદા જુદા ખંડ પાડી પ્રસંગની ઉજવણીનાં દશ્યો ચીતરેલાં છે. એના એક દશ્યમાં નટનર્તકી ઊંધા માથે નૃત્ય કરતાં કરતાં પગની મદદથી તીર છોડતી બતાવાઈ છે. એની બાજુમાં એને મદદ કરનાર બીજી નટનર્તકી ઊભી છે. અંગકસરતના દાવ સાથે નૃત્ય દર્શાવતું આ ચિત્ર એ સમયની નૃત્યકલાની ઝાંખી કરાવે છે. બીજા એક ચિત્રમાં નૃત્યકાર સ્ત્રી એક હાથમાં કપડાનું બનાવેલું કમળનું ફૂલ રાખી નૃત્ય કરતી જોવા મળે છે. એના માથા પર પાંચ ગાગરનું બેડું છે. એની પાછળ હાથમાં ઘૂઘરાની પટ્ટી લઈ બે વાદક સ્ત્રી નૃત્ય કરી રહી છે. પુરુષપાત્ર બે હાથમાં મંજીરાં વગાડે છે. સ્ત્રીપાત્ર મૃદંગ વગાડે છે. એક પુરુષ સારંગી જેવું વાદ્ય વગાડે છે. આ સમગ્ર ચિત્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં લોકપ્રિય હાલના બેડા-નૃત્યનો ખ્યાલ આપે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org