________________
૩૪૩
શાશ્વત સૌરભ ભાગ-૧ પ્રેમભક્તિને પરિણામે વડોદરામાં હસ્તપ્રતોનો વિશાળ ભંડાર અસ્તિત્વમાં આવી શક્યો છે.
વડોદરાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાંની સંસ્કૃત હસ્તપ્રતોને જુદી તારવી તેનો સ્વતંત્ર વિભાગ પ્રાચ્ય વિદ્યામંદિર નામે અસ્તિત્વમાં આવ્યો. આ સંસ્થામાં ૨૦,૦૦૦ જેટલી હસ્તપ્રતોનો સંગ્રહ સુરક્ષિત છે. હસ્તપ્રતોનાં સૂચિપત્રો પ્રકાશિત થયેલાં છે. આ સંગ્રહમાં વેદ, ઉપનિષદ, સ્મૃતિ, વેદાંત, વ્યાકરણ વગેરે વિષયોની હસ્તપ્રતો સચવાયેલી છે. કેટલીક હસ્તપ્રતો દક્ષિણ ભારતની તેલુગુ, કન્નડ, ગ્રંથ, મલયાલમ અને ઉત્તર ભારતની બંગાળી, શારદા, નેવારી, ઉડિયા જેવી લિપિઓમાં લખાયેલી છે. કેટલીક જૈનેતર હસ્તપ્રતો અહીં સચવાયેલી છે, જેમાંની હરિલીલા ષોડશકલા નામના સંસ્કૃત ગ્રંથમાંથી ગુજરાતી રૂપાંતર કરેલ ગ્રંથની સચિત્ર પ્રત મળે છે. એમાં ગોવર્ધનધારણ અને પાર્વતીદક્ષ પ્રજાપતિનાં ચિત્રો આલેખાયેલાં છે. આ પ્રસંગોનાં ચિત્રો અત્યંત મોહક છે.
પંચરત્ન ગીતા'નો સચિત્ર ગુટકો પણ અહીં છે. એમાં ભગવદ્ગીતાનાં ચિત્રો નોંધપાત્ર છે. એમાં દસમા અધ્યાય વિભૂતિયોગમાં શ્રીકૃષ્ણ અર્જુનને સૃષ્ટિમાં સર્વ સર્જનોમાં જે શ્રેષ્ઠતાનો અંશ છે તે પરમાત્માનો છે, એ પ્રકારે સમજાવતાં ચિત્રો આલેખ્યાં છે.
વડોદરાના હંસવિજયજી સંગ્રહમાં કલ્પસૂત્રની ૧૫મી સદીની સોનેરી શાહીથી લખાયેલી હસ્તપ્રતમાં ૮ ચિત્રો અને અપ્રતિમ કારીગરીવાળી સુંદર ૭૪ કિનારો છે.
છાણીના જૈન ગ્રંથભંડારો વડોદરા પાસેના છાણી ગામમાં ત્રણ જેટલા ભંડારો છે. કાંતિવિજયજી સંગ્રહમાં કુલ ૧૧૨૦ કાગળની અને ૩ તાડપત્રીય હસ્તપ્રતો સંગ્રહિત છે. એમાં ચાંદીની શાહીથી લખેલ ૧૭મી સદીની કલ્પસૂત્રની હસ્તપ્રત નોંધપાત્ર છે. અહીંના વીરવિજયજી શાસ્ત્રસંગ્રહમાં “ઓશનિયુક્તિ” ગ્રંથની ઈ.સ. ૧૨મી સદીની (૧૧૬૧) પ્રત છે, જેમાં ૧૬ વિદ્યાદેવીઓ, સરસ્વતી, લક્ષ્મી, અંબિકા, બ્રહ્મશાંતિપક્ષના મળી કુલ ૨૧ ચિત્રો જૈન મૂર્તિવિધાનની દૃષ્ટિએ મહત્ત્વનાં છે. આ ઉપરાંત અભયસાગરજી મહારાજના ભંડારમાં પણ હસ્તપ્રતો સંગ્રહિત છે. શ્રીમદ્ ભાગવતની સંપૂર્ણ હસ્તપ્રત અહીં પણ ઉપલબ્ધ છે.
- ઈડરના શેઠ આણંદજી મંગળજીની પેઢીના ગ્રંથભંડારમાં કલ્પસૂત્ર અને કાલકકથાની ૧૪મી-૧પમી સદીની સચિત્ર પ્રત
છે. તાડપત્રની પ્રત ઉપર સોનાની શાહીથી ચિત્રો આલેખેલાં છે. એ આ પ્રતની વિશેષતા છે. કલ્પસૂત્રના વધુમાં વધુ પ્રસંગો આ પત્રમાં સ્થાન પામ્યા છે અષ્ટ માંગલિક, મહાવીરનો જન્મ, પાર્શ્વનાથનો જન્મ, નિર્વાણ, એમના યક્ષ-યક્ષિી, ઋષભદેવનું નિર્માણ વગેરે ચિત્રો ખૂબ આકર્ષક અને નોંધપાત્ર છે.
આ ઉપરાંત જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ હસ્તપ્રતો સંગ્રહિત છે. સુરતના સરદાર પટેલ મ્યુઝિયમ, રાધનપુર, જૂનાગઢ, ભાવનગર, મહુવા, પાલિતાણા, લીંબડી, બોટાદ જેવાં સ્થળોએ જ્ઞાનભંડારો છે, જેમાં હજારોની સંખ્યામાં આપણો પુરાણો હસ્તલિખિત વારસો સચવાયેલો છે. લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર સુવર્ણાક્ષરી હસ્તપ્રત છે. જામનગરમાં કલ્પસૂત્ર-કાલક કથા (ઈ.સ. ૧૫0૧)ની સચિત્ર હસ્તપ્રત છે.
૧૮૮૬માં સ્થપાયેલી નડિયાદ ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાં અપ્રગટ હસ્તપ્રતોનો ભંડાર સચવાયેલો છે. એમાં સંસ્કૃત, ગુજરાતી ભાષાની હસ્તપ્રતો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બધી કાવ્ય, જ્યોતિષશાસ્ત્ર, યોગ, સંગીત, વિજ્ઞાન, આયુર્વેદ વગેરે વિષયોને લગતી હસ્તપ્રતો અહીં જોવા મળે છે.
અમદાવાદ નજીક કોબામાં પણ જૈન જ્ઞાન ભંડાર અસ્તિત્વમાં આવ્યો છે. એમાં જૈન અને જૈનેતર સાહિત્યની હસ્તપ્રતો વિપુલ સંખ્યામાં છે. અહીંની ઈ.સ.ની સદીની કલ્પસૂત્ર “બાલાવબોધ’ની સચિત્ર હસ્તપ્રત નોંધપાત્ર છે.
આમ ગુજરાતના જ્ઞાનભંડારો એ ભારતીય સંસ્કૃતિ અને સાહિત્યના ભવ્ય વારસા સમાન છે. એ વર્તમાન યુગના અને ભાવિ પેઢીના ભારતીય વિદ્યાનાં ઉપાસકો અને વિદ્વાનોની મોટી મૂડી સમાન છે, જેમને આ ભંડારોમાં સચવાયેલી જ્ઞાનસંપત્તિની પરિભાષા, લિપિ તથા અન્ય સંકેતોનું જ્ઞાન છે, તેને માટે આ જ્ઞાનભંડારો દિવ્ય ખજાના રૂપ છે. ભારતીય લિપિઓના અધ્યયન માટે, દુર્લભ ગ્રંથોની હસ્તપ્રતોના તુલનાત્મક અભ્યાસ અને સંશોધન માટે તેમ જ પ્રાચીન અને મધ્યકાલીન ઇતિહાસની સાહિત્યિક અને સાંસ્કૃતિક માહિતી મેળવવા માટે આવા જ્ઞાનભંડારો ખૂબ જ ઉપયોગી નીવડે તેમ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org