________________
330
દલીચંદ જણાવે છે. (એ જ, પા-૨૬૮-૨૬૯). તેમના વાના નામના શ્રાવક શિષ્ય હતા. વાનાએ અનેક પદ્યરચનાઓ કરી હતી અને તેમાંની મોટાભાગની રાજસ્થાની હિંદીમાં હતી. પ્રેમવિલાસ પ્રેમલતા ચોપાઈ’ (સંવત ૧૬૯૩), ‘બાવની’, ખડી ભાષામાં ‘લાહોર ગઝલ’ (લાહાનૂર લાહોર), હિન્દીમાં ‘સવૈયા’, હિન્દીમાં સ્ત્રીશૃંગાર વિષયક ‘સ્ત્રી ગઝલ’ જેવી પદ્યરચનાઓ કરી હતી. ગુરુ મારવાડના હતા અને શક્ય છે કે વાના પણ હિન્દીવ્રજભાષી હોઈ શકે. એટલું યાદ કરાવવાનું કે, સત્તરમા શતક સુધીમાં સાહિત્યરચનામાં બિનભારતી એવી ગઝલ-રચનાનો પ્રવેશ થઈ ચૂક્યો હતો અને છતાં પ્રેમવિલાસ પ્રેમલતા ચોપાઈ’ જેવી શૃંગારપ્રચુર રચનામાં નર–નારીના દેહસંબંધની વિકારાત્મક વાતોને આવરી લેવામાં આવતી ન હતી. એ જ કવિ વાનાએ એ રચનામાં કહ્યું છે (એ જ, પા-૨૭૨):
ચો. [પાઈ]–પૂરાકોટકટક કુનિપૂરા, પર સિરદાર ગાઉકા સૂરા, મસલત મંત્ર બહુત સુજાને, મિલે ખાંન સુલતાણ મિછાન. ૮૦ દોહા—— સઈદાકૌ સહિબાજખાં, વઈરી સિર કલ વત્ર, જાનત નાહી જેહલી, સબ ઊવાનકૌ છત્ર. ૮૧ ચો.-રઈઅત બહુત રહત સુંરાજી, મુસલમાન સુખાસ નિમાજી, ચોર નીર દેખા ન સુહાવૈ, બહુત દિલાસા લોક વસાવૈ. ૮૨
એ જ કવિએ ‘લાહોર ગઝલ'માં લખ્યું છે (એ જ, પા.
૨૭૩)
દેખ્યા સહિર જબ લાહોર, વિસરે સહિર સગલે ઔર, રાવી નદી નીચે વહૈ, નાવૈ ખૂબ ડાઢી રહૈ ૧
અને ગઝલના આદિ ભાગમાં આગળ વધતાં કવિ લખે છે (એ જ, પા. ૨૭૩)
અદ્ભુત જૈન કે પ્રાસાદ, કરેત કનિકગિરિ સૌ વાદ, દેખી ધરમસાલા ખૂબ, દ્વારે કિસનકે મહબૂબ. દેખ્યાં દેહરા ઇક ખાસ, કીયા ફિરંગિયાનેે બાસ, બેગમકી ભલી મુસીત, લાગા તીન લાખ જ વીત.
નોંધ લેશો, બદલાતી જતી ભાષાની, અહીં આવેલા આવી વસેલા અને સ્થિર થએલા શાસકો અને યુરોપવાસીઓ (ફિરંગિયા). આજના ગુજરાત અને તે સાથે લગભગ દેશ આખામાં અનેકમુખી પરિવર્તન આવી ગયું હતું. ભાતીગળ, સંસ્કૃતિ ઊભરી આવતી હતી અને તેનો પડઘો સાહિત્યરચનાઓમાં પણ પડતો હતો. આપણા દેશમાં વિવિધ પ્રજાસમૂહો આવતા ગયા, પ્રત્યેકની પોતાની ખાસિયત અને
Jain Education International
ધન્ય ધરાઃ
ઓળખ રહી છે, અને અનેકવિધ ભિન્નતાઓ સાથે કોઈક તંતુ સૌને બાંધી રાખે છે. સાહિત્ય તેનાથી અલિપ્ત રહી શકે નહીં.
વિક્રમ સંવત સત્તરમા શતકમાં મુનિ ભાનુચંદ્રસૂરિના દેવચંદ્ર થઈ ગયા સંવત ૧૬૪૪માં જન્મ અને તેમણે ત્રેપન વર્ષની વયે સંથારો આદર્યો. વૈશાખ સુદ ત્રીજના (આઠમા દિવસે) તેમણે દેહત્યાગ કર્યો. તેઓ મોગલ બાદશાહ અકબરના પ્રીતિપાત્ર હતા અને વિદ્વાન ભાનુચંદ્રથી પણ સમ્રાટ અકબર પ્રભાવિત થયા હતા. ભાનુચંદ્રજીના અનુરોધથી સમ્રાટે શત્રુંજય તીર્થમાં ઉઘરાવાતો યાત્રાળુ વેરો નાબૂદ કર્યો હતો, એ દેવચંદ્રે સંવત ૧૬૯૫માં રચેલી ‘શત્રુંજય તીર્થ પરિપાટી'માં ઉલ્લેખ છે (એ જ. પા. ૨૮૯) : “કાશમીર અકબર સા પાસઈ શેત્રુંજય દાણ, છુરાયા....”
શ્રીપાલ રાજાનો રાસ અનેક કવિઓએ રચ્યો છે. તેમાં વિનયવિજયસૂરિનો પણ ઉલ્લેખ કરવો જોઈએ. તેમણે, સંવત ૧૭૩૮માં ચાર ખંડમાં એની રચના રાંદેરમાં કરી હતી અને ત્યાંથી જીવિત અવસ્થામાં એ પૂર્ણ થઈ શક્યો નહીં, તેથી યશોવિજયજીએ એ રચના પૂરી કરી હતી. એ ‘શ્રીપાલ રાસ’ની શરૂઆત તેમણે નવપદ એટલે કે સિદ્ધચક્ર (અર્હત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ—એ જ, ભાગ ૪, પા. ૨૦)થી કરી લખ્યું હતું. (એ જ, પા. ૨૧) “સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂરા મનોરથ થાય.” ત્યારે, સમ્રાટ અકબરનું શાસન હતું. ગુણશીલસૂરિના શિષ્ય વિનયશીલ હતા. તેમણે સંવત ૧૭૦૧માં ‘સહસ્ત્રફણા પાર્શ્વજિન સ્તવન' રચ્યું. તેમાં આપણા ગુજરાતનો ઉલ્લેખ છે-“ગુર્જર દેશથી ગછપતિ તેડ્યાં ત્યાં હો સાહપૂર ઝકારિ...'' જ્ઞાનસાગરસૂરિ થઈ ગયા. તેમણે સંવત ૧૭૨૪માં ચક્રાપુરી મુકામે પરદેશી રાજા રાસ’માં કહ્યું છે “ ંડ હિંસા ને કરો તુમે દયાધરમ ભાવિ પ્રાણી રે.....(એ જ, પા. ૫૨). તેમણે રાગ કેદારોમાં, શ્રૃંગારના સંદર્ભમાં સ્થૂળભદ્ર અને કોશ્યા વચ્ચેના પ્રણયસંબંધનો ‘સ્થૂલભદ્ર નવરસો’ રચ્યો હતો. માનવસ્વભાવમાં રહેલા નવરસોને સુંદર રીતે તેમણે રજૂ કર્યા છે (એ જ, પા. ૬૩) :
કરી શૃંગાર કોશ્યા કહે, નાગરના રે નંદન; મોહન! નયણ નિહાલ રે, નાગરના રે નંદન.
જીવન શુષ્ક નથી અને ન હોવું જોઈએ એવું કહીએ છીએ ત્યારે શ્રૃંગારભાવ પર અમે ભાર આપતા નથી. એ તો માનવસહજ મનોભાવ છે અને કલાના કોઈ ને કોઈ સ્વરૂપે એ વ્યક્ત થાય જ છે. કામસૂત્ર પ્રકારના સાહિત્યમાં તેનો અતિરેક પણ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org