________________
૩૨૬
ઠેરઠેર થોકબંધ પ્રાચીન-મધ્યકાલીન હસ્તપ્રતો પડેલી છે. અમારામાંના એક (કોકિલા ભટ્ટ)ના મામા પાસે આવી હસ્તપ્રતોનો અંગત ભંડાર હતો. તેમના પુત્રોએ તે ભંડાર પાટણના ભંડારને આપી દીધો છે.
સોળમી સદી (વિ. સંવત ૧૫૦૫)માં ‘સમ્યક્ત્વ રાસ’ આઠ ભાષાઓમાં રચાયો હતો તેવી માહિતી જૈન ગુર્જર કવિઓ' (ભાગ-૧)માં આપવામાં આવી છે છતાં, અમે માનીએ છીએ કે આપવામાં આવેલી માહિતીમાં ભૂલ છે કારણ કે ખુદ રચનાકારે કૃતિના રચના સમય વિશે લખતાં કહ્યું છે (એ જ, પા. ૯૩)
સંવત પનર પંચોતરઈએ, મજ માસિર રચિઉ રાસ સુ૦ તલવાડા પૂરિ નિપનું એ મા૦ પુણ્યરસ કલસ સંકાસ સુ૦ ૧૧ (પા, ૯૩). એટલે કે, તલવાડા ગામે એકૃતિની રચના આપેલી માહિતી પ્રમાણે સં. ૧૫૦૫ નહીં પરંતુ સંવત ૧૫૭૫ હશે. ત્યારે, અમદાવાદની રચના થઈ ગઈ હતી અને તેના ‘પાતશાહ' અહમદશાહ હતા. સોળમી સદી એટલે ક. મા. મુનશીની દૃષ્ટિએ નરસિંહ મહેતા થયાની સદી. નરસિંહ મહેતાનાં અનેક પદો અને ભક્તિગીતો જાણીતાં છે અને તેમાં વૈષ્ણવજન તો તેને રે કહીએ....'થી તેઓ ભારતભરમાં જાણીતા રહ્યા છે. ભક્તિયુગના કવિની, અત્યારે મળતી, સઘળી કૃતિઓની ભાષા આધુનિક ગુજરાતી છે. ત્યારે, અમને પ્રશ્ન થાય છે, જે તે સદીના સાહિત્યકાર કે કવિની કૃતિની રચના એ ભાષામાં આપવામાં આવતી કેમ નથી? જો, આમ કરવામાં આવે તો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુઓને જે તે સમયની ભાષાની લાક્ષણિકતાનો પણ પરિચય થાય.
એ જ સદીમાં પીપલગચ્છના ગુણરત્નસૂરિના શિષ્ય આણંદમેરુ થઈ ગયા. તેમણે વિ.સં. ૧૫૧૩ના અરસામાં ‘કલ્પસૂત્ર વ્યાખ્યાન’ અને ‘કાલકાસૂર ભાસ’ની રચના કરી હતી. એ કૃતિની શરૂઆતમાં તેમણે લખ્યું છે (એ જ, પા-૧૦૬) એણી પરિઈ આણંદમેરુ બોલઈ કહુ કિન્હઈ ન જાણીઈ.
આધુનિક ગુજરાતીમાં આપણે એમ કહી શકીએ ‘એણી પેર આનંદમેરુ બોલીયા...' વિક્રમ સંવત સોળમી સદીમાં ઘણું લખાયું. એ સમય, સામાજિક અને રાજકીય રીતે ભારે હલચલનો હતો. ગુજરાતમાં ઇસ્લામનું શાસન સ્થપાઈ ચૂક્યું હતું. હિંદુ શાસનનો છેક નાશ થયો ન હતો છતાં, એ શાસનોના શાસકોમાં એકતા ન હતી અને ઘણીબધી દૃષ્ટિએ તેઓ શાસન
Jain Education International
ધન્ય ધરાઃ
સુપેરે ચલાવવામાં નિર્બળ પુરવાર થતા જતા હતા. ત્યારે, એક બાજુ સમાજ વેરવિખેર હાલત તરફ ધકેલાતો જતો હતો અને વેરવિખેર થતાં સમાજમાં શ્રદ્ધા પૂરતા ભક્તકવિઓ થઈ ગયા હતા. ત્યારે, એ જ સમયે, અનેક જૈન કવિઓએ સેંકડો સાહિત્યકૃતિઓ રચી હતી. તંત્રની નિષ્ફળતા સામે, પ્રજાને સંતો સિવાય માનસિક સાંત્વના આપનાર કોણ હતું?
સત્તરમી સદી સુધીમાં યુરોપવાસીઓનું આગમન થઈ ચૂક્યું હતું. ત્યાર સુધીમાં, ઇસ્લામી પ્રભાવ હેઠળ ગુજરાતી ભાષા પણ બદલાવી શરૂ થઈ ચૂકી હતી. ગુજરાતમાં, વિશેષે કરીને આજના સૌરાષ્ટ્રમાં સેંકડો રજવાડાં હતાં અને બાકીનાં ગુજરાતનાં હિન્દુ રજવાડાં તેમનો પ્રભાવ ગુમાવી ચૂકેલાં. લગભગ આ જ સમય આખ્યાનોનો પણ લેખી શકાય. જો, લોકરંજન માટે ભવાઈના વેશો કે ફરતી નાટકમંડળીઓ કામ કરતી હતી તો પ્રજાજીવનને ટકાવનારાઓમાં માણભટ્ટોના પ્રદાનને ઓછું ન આંકીએ. આખ્યાનયુગના પ્રેમાનંદ જેવા સમર્થ આખ્યાનકાર આવી ગયા તો લોકજીભે અને કંઠે ચડે તેવાં પદો આપનાર દયારામ જેવા પણ થઈ ગયા. પ્રેમાનંદ અને દયારામ તો મરાઠી ભાષા પણ જાણતા હતા. સત્તરમી સદી અને ત્યારબાદ આવેલી સામાજિક વેરવિખેરની સ્થિતિમાં અને ખાસ કરીને અઢારમી સદીની અંધાધૂંધીમાં આખ્યાનકારોએ લોકજીવનમાં શ્રદ્ધા પૂરી હતી. વલ્લભાચાર્ય અને અન્ય વૈષ્ણવસંતોના પ્રભાવમાં ભક્તિયુગ છેક પંદરમી સદીમાં શરૂ થયો હતો અને ભક્તિપદોની રચનાનો છેડો આખ્યાનોમાં આવતો હતો. જૈનસાહિત્યની વિપુલતામાં કથાસાહિત્ય વિકસ્યું હતું, છતાં ભાગવતના પ્રભાવ હેઠળ જે ભક્તિયુગ ગુજરાત અને અન્યત્ર આવી ગયો તેવું જૈનસાહિત્ય વિશે કહી શકાય ખરું કે જૈનસાહિત્ય એ દૃષ્ટિએ ઊણું ઊતરતું નથી છતાં જે પ્રકારના કથાકારો, માણભટ્ટો, આખ્યાનકારો જૈનેતરોમાં થઈ ગયા તેવું જૈનમાનસમાં કેમ બન્યું નહીં તેનો ઉત્તર અમારી પાસે નથી. અમે એટલો તર્ક અવશ્ય રાખી શકીએ કે જૈનસ્તવનો જિનમંદિરોમાં ગવાતાં હતાં અને એટલાં જ પ્રચલિત હતાં. ત્યારના ગુજરાતની કુલ વસ્તીને હિસાબે ભલે જૈનસમુદાય ઘણો નાનો હતો છતાં તેનું સાહિત્યમાં પ્રદાન ત્યારે પણ ઘણું મોટું હતું–ભલે, તે એટલું પ્રચલિત થયું ન હોય.
વિક્રમ સંવતની સત્તરમી સદીમાં મેઘરાજ થઈ ગયા. તેઓ પાર્શ્વચંદ્રના શિષ્ય હતા. તેમણે સંવત ૧૬૫૯માં ‘સ્થાનાંગ સૂત્ર-દીપિકા' સં. ૧૬૬૧માં ‘રાજચંદ્ર પ્રવરણ', સં. ૧૬૬૪માં ‘નળદમયંતી રાસ'ની રચના કરી હતી. એ રચના તેમણે રાગ મેવાડો-ધનાશ્રીમાં કરી હતી (એ જ, ભાગ-૩, પા. ૫) :
For Private & Personal Use Only
www.jainelibrary.org