________________
શાશ્વત સૌરભ ભાગ-૧
‘નળ દમયંતી' ચરિત્ર સોહામણુંજી, નવનવ રંગ રસાળ, સાંભળી ઉત્તમ સાધુ સતી પરેજી, ધરજો શીલ વિશાળ......
સત્તરમી સદીમાં બદલાયેલી ગુજરાતીનું આ ઉદાહરણ છે. એ જ કવિએ ‘સોળ સતી ભાસ’ (અથવા સજ્ઝાય કે રાસ). એ કૃતિના અંત ભાગે કવિ કહે છે (એ જ, પા. ૬)
શ્રી શીલોપદેશમાલાદિક ગ્રંથે સોળ સતી ગુણ કહીએજી, ભણતાં ગુણતાં જેહને નામે અષ્ટ મહાસિદ્ધિ લહીએજી, શ્રી પાસચંદસૂરિ પાટ પટોધ૨ રાજચંદ્ર સૂરિરાયાજી, શ્રાવણ ઋષિ શિષ્ય મુનિ મેઘરાજે સોલ સતી ગુણ ગાયાજી.
ભાષામાં આવેલા આ વળાંક-પરિવર્તન લાવનાર સામાજિક પરિબળ ક્યું? શક્ય છે, જૂની સામાજિક-આર્થિકસાંસ્કૃતિક-રાજકીય વ્યવસ્થામાં મોટું પરિવર્તન આવ્યું હતું અને તેની અસર જો સાહિત્યના વિષય-વસ્તુ પર પડી ન હોય તો, કમસે કમ, જૂની ગુજરાતી ભાષા બદલાતી જતી હતી. હજી, પદ્યસાહિત્યના પ્રકારમાં કોઈ પરિવર્તન આવ્યું ન હતું. હજી, એ જ ઢાળ, છંદ કે રાગમાં એ સાહિત્ય રચાતું હતું. હજી, લોકરુચિ પણ એ જ રહી હતી અને તેથી સાહિત્યના રચનાકારો લોકરુચિથી ભિન્ન રચના કરતા ન હતા.
ખંભાતમાં નૃપ શ્રેણિકના ગુણ ગાતો સાતખંડનો ‘શ્રેણિક રાસ' રચવામાં આવ્યો હતો. રચનાકાળ સંવત ૧૮૫૧ હતી : (એ જ, ભા. પા. ૫૮)
સાતઈ ખંડ મન્ત્ર સંપૂરણ કીધા, આજ મનોરથ સઘલા સીધા. ૨૦
સાતઈ ખંડ સુણાઈ નર જેહો, સાતઈ નરગ નિવારત તેહો. સં. ૨૧
એ જ ખંભાતમાં શ્રાવકોનો પરિચય આપતો રાસો પણ રચાતો હતો. સંસારી હોય કે સંસારત્યાગી—સામાન્ય, અથવા જે તે નગર-વસવાટના વિસ્તારના જાણીતા નાગરિકો અને શ્રેષ્ઠીઓ વિશે પણ કાવ્યો રચાતાં હતાં. આયોલણ એટલે વિજ્ઞપ્તિ. પાટણના ભંડારમાં આદીશ્વર આલોયણ' નામની રચના છે. શક્ય છે, મૂળ તેની રચના ખંભાતમાં થઈ હોય કારણ કે ખંભાત, ઝંબાવતી, તંબાવટી જેવા નામથી પણ ઓળખાતું હતું. (એ જ, પા. ૭૪) :
પુરવ પુણ્ય તણા અંકુરા, પ્રગટ થયા મુગુ આજ રે, શેત્રુંજસ્વામી નયણે નિહાળ્યો, સરિયાં મુગુ રાજ રે. સંવત ૧૬ છાસઠા વરસે, સાવલા સુદિ દન બીજેજી, તંબાવટી માંહે જન સાખે, પાપ પખાળી રીઝેજી......
Jain Education International
૩૨૦
તીર્થંકરો વિશેનાં સ્તવનો, ગીતો, કાવ્યો અનેક રચાયાં છે. એનું એક ઉદાહરણ જોઈએ. એક સમયે ઉનામાં તેની હસ્તપ્રત હતી. એ સ્તવનના આદિમાં કહ્યું છે. (એ જ, પા. ૭૫)
વીર જિણંદ ચોવીસમો, ત્રિશલા જેની માય, ભૂપ પિતા ભગવંતનો, નર સિદ્ધારથ રાય. ૧ સિદ્ધારથ કુલ ઉપનો, વર્ધમાન જિન નામ, તે જિણવરના ગુણ સ્તવું, પ્રેમે કરું પ્રણામ. ૨
અમદાવાદની આણંદજી કલ્યાણજીની પેઢીમાં અનેક રાસ–રચનાની ટીપ જોવા મળે છે. ગુજરાતનાં અનેક નગરો અને શહેરોમાં, એક સમયે, ઘણા ભંડારોમાં મધ્યકાલીન રચાયેલાં સાહિત્યની અગણિત હસ્તપ્રતો હતી–અને આજે પણ છે. બધા જ ભંડારોમાં એ કેટલી સચવાયેલી હશે તે શોધનો વિષય બને છે. આવનારા સમયમાં, જીર્ણ થતી જતી એ હસ્તપ્રતોને જાળવવાનું ભગીરથ કામ નહીં થાય તો શક્ય છે, આવનારી પેઢીઓ આ સર્વથી છેક અજાણ થશે. હવે, સેંકડો વર્ષો સુધી સાચવી શકાય તેવી ટેક્નોલોજી આવી છે ત્યારે આવી સાચવણીનો ખર્ચ ઘણો આવશે છતાં અંતે તો તેવી જાળવણી સમાજના સંસ્કાર-ઘડતરમાં જ કામ આવવાની છે. જો, આવું નહીં થાય તો આવનારી પેઢીઓ હાલની પેઢીને માફ નહીં કરે!
વિજયશીલસૂરિના શિષ્ય દયાશીલસૂરિએ નવાનગરમાં ‘શીલ બત્રીસી' કાવ્યની રચના સંવત ૧૬૬૪માં કરી. એ રચનાના અંતનું ભાગમું ઉદાહરણ છે (એ જ, પા. ૮૪)
સંવત સાર સિંગાર કાય વાત વેદ સંવચ્છર, નૂતનપુર વર માહિ સગંતિ સાનિધિ લહી વરતર, સીલબત્તીસી રંગ અંગિ ઊલટ ધરી ગાઈ, ધર્મવંત નરનારિ તારુ મિન ખરી સુહાઈ, જિનધર્મસાર સંસારમાં જાણી જુગતઈ પાલીયઈ, દયાશીલ કહઈ કર જોડિ એ શ્રી જિનવચન સંભાલીઈ......
રવીન્દ્રનાથ કહેતાં કે ગાઈ શકાય એ જ ગીત. જે ગાઈ શકાય છે તે યાદ રહે છે. મુખથી નીકળેલાં વચનો કર્ણને મધુર ન લાગે તો એ ઝાઝાં ટકતાં નથી. આધુનિક પદ્યપ્રકારમાં ગેય સ્વરૂપ ક્રમશઃ ઓછું થતું જાય છે. કેવળ અર્થભારથી ભર્યાં કાવ્યો, રચનાની દૃષ્ટિએ સારાં હોઈ શકે પરંતુ ગેયતાના અભાવમાં એ ઝાઝો સમય સ્મરણમાં રહેતાં નથી. મધ્યયુગના ભક્તકવિઓનાં પદો આજે પણ યાદ રહે છે-પછી ભલે, એની રચનાકાલના અને આજના સંજોગોમાં આભજમીન જેટલું અંતર હોય. બંગાળમાં, પદ્યસાહિત્યને જીવંત રાખનારા બાઉલ હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org