________________
૩૧૪
ધન્ય ધરાઃ
ગંગરાજ્યની સ્થાપનામાં જૈનાચાર્ય સિંહનંદિનો અમૂલ્ય ફાળો હોવાનું જણાવ્યું છે. ફૂગે બ્રહ્મદેવ સ્તંભ પરના લેખ નં. ૩૮ (શક ૮૯૬ - ઈ.સ. ૯૭૪)માં ગંગનરેશ મારસિંહે જૈન ધર્મનું પ્રતિપાલન કર્યું અને જિનમંદિરો બનાવ્યાનો અને અંતે રાજ્યનો ત્યાગ કરી અજિતસેન ભટ્ટારક પાસે ત્રણ દિવસ સુધી સલ્લેખના વ્રતનું પાલન કરી બંકાપુરમાં દેહોત્સર્ગ કર્યાનો નિર્દેશ છે.
ત્યાગબ્રહ્મદેવતંભ પરના લગ. શક ૯૫૦ (ઈ.સ. ૧0૨૮)ના લેખ (નં. ૧૦૯)માં જણાવ્યા અનુસાર ચામુંડરાય બ્રહ્મક્ષત્ર કુલના હતા અને સ્વામી માટે અનેક યુદ્ધો લડ્યા હતા. તેઓ એક સારા કવિ પણ હતા. એમનો લખેલો એક કન્નડ ગ્રંથ પણ મળે છે. એ અધિકાંશ ગદ્યમાં છે. એમાં ૨૪ તીર્થકરોનાં જીવનનું વર્ણન છે. એનો રચનાકાળ શક ૯૦૦ (ઈ.સ. ૯૭૮) છે. ગ્રંથમાં એમના કુળ અને ગુરુ અજિતસેન વગેરેનો પરિચય પ્રાપ્ત થાય છે.
રાષ્ટ્રકૂટ રાજાઓ જૈનધર્મના પોષક હતા. એમના સમયમાં સોમદેવ, પુષ્પદંત, ઇન્દ્રનંદિ વગેરે જૈનાચાર્યો થયા. કુગે બ્રહ્મદેવ સ્તંભલેખમાં ગંગરાજા મારસિંહે ઇન્દ્રરાજ (થા)નો અભિષેક કરાવ્યાનું જણાવ્યું છે. ચંદ્રગિરિ પર ગંધવારણ મંદિર તરફના સ્તંભ ઉપરના સ્મારકલેખમાં (શક ૯૦૪-ઈ.સ. ૧૦૮૨) રાષ્ટ્રકૂટ કૃષ્ણરાજ ૩જાના પૌત્ર ઇન્દ્રરાજે શ્રવણબેલ્યુલમાં સલ્લેખનામરણ કર્યાનો નિર્દેશ છે (નં. ૫૭).
ગંધવારણ મંદિરના બીજા મંડપમાંના તૃતીય સ્તંભ પરના શક ૧0૫ ના લેખ (નં. ૫૩)માં હોયસળ રાજા વિનયાદિત્યે ઘણાં તળાવો અને જૈન મંદિરો બનાવ્યોનો ઉલ્લેખ મળે છે. વિષ્ણુવર્ધનની પટરાણી શાન્તલદેવી જૈન ધર્માવલંબિની, ધર્મપરાયણ અને પ્રભાચંદ્ર સિદ્ધાન્તદેવની શિષ્યા હતી. ચંદ્રગિરિ પર તેરિન મંદિર પાસેના શિલાલેખ (શક ૧૦૩૯-ઈ.સ. ૧૧૧૭) નં. ૨૨૯માં હોયસળ રાજા વિષ્ણુવર્ધનના રાજ્યકાલ દરમ્યાન પોપ્સલ સેટ્ટિ અને નેમિ સેટ્ટિ નામના બે રાજવ્યાપારીઓની માતા માચિકળે અને શાંતિકળેએ જિનમંદિર અને નંદીશ્વરનું નિર્માણ કરાવી ભાનુનીતિ મુનિ પાસે જિનદીક્ષા લીધાનો ઉલ્લેખ છે. ચલગ્રામના બયિરેદેવ મંદિરના એક શિલાલેખ (શક ૧૦૪૭ - ઈ.સ. ૧૧૨૫)માં હોયસળ વંશના વિષ્ણુવર્ધને મંદિરોના જીર્ણોદ્ધાર તથા ઋષિઓનાં આહારદાન માટે દ્રમિણ સંઘના આચાર્ય શ્રીપાલ ઐવિદ્યદેવને શલ્ય નામનું ગામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે (નં. ૪૯૩).
ચામુંડરાય મંદિરની દક્ષિણ બાજુના મંડપમાં સ્તંભ પરના
શક ૧૦૪૩ (ઈ.સ. ૧૧૨૧)ના લેખમાં ગંગરાજે ગંગવાડિ પરગણાના જિનમંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યાનો તથા અનેક સ્થાનો પર નવીન જિનમંદિર કરાવ્યાનો ઉલ્લેખ છે (નં. ૪૪). એરટ્ટ કટ્ટે મંદિરની પશ્ચિમ બાજુના સ્તંભ પર (શક ૧૦૩૭ઈ.સ. ૧૧૫)ના લેખમાં ગંગરાજની ભાર્યા લક્ષ્મીના ભાઈ બૂચિરાજના સ્મારકરૂપે સેનાપતિ ગંગરાજે પાષાણ-સ્તંભ કરાવ્યાનો નિર્દેશ છે.
શ્રવણ બેલ્ગોલ નગરમાં ભંડારિ મંદિરની પૂર્વ બાજુના સ્તંભ પરના શક ૧૨૯૦-ઈ.સ. ૧૩૬૮ (નં. ૧૩૬)ના લેખમાં વીર બુક્કરાય ૧ લાએ જૈન અને વૈષ્ણવ સંપ્રદાયો વચ્ચે શાંતિ અને સુલેહ કરાવ્યાનું વર્ણન છે. પ્રત્યેક જૈનગૃહમાંથી કેટલુંક દ્રવ્ય પ્રતિવર્ષ એકત્ર કરવામાં આવશે, જેમાંથી બેલ્ગોલના દેવની રક્ષા માટે વીસ રક્ષક રાખવામાં આવશે તથા શેષ દ્રવ્ય મંદિરના જીર્ણોદ્ધાર વગેરેમાં ખર્ચ કરવામાં આવશે. લેખમાં મહારાજ દેવરાયની જૈનધર્માવલંબી રાણી અને પંડિતાચાર્યની શિષ્યા ભીમાદેવીએ મંગાથી મંદિરમાં શાંતિનાથની પ્રતિષ્ઠા (શક ૧૩૩૨ - ઈ.સ. ૧૪૧૦) કરાવ્યાનો નિર્દેશ છે (નં. ૪૨૮). ગોમ્યુટેશ્વર મૂર્તિ આગળના બ્રહ્મદેવ મંડપના સ્તંભ પરના શક ૧૩૪૪ – ઈ.સ. ૧૪૨૨ના (નં. ૮૨) લેખમાં હરિહર બીજાના સેનાપતિ ઇરુગપે બેલ્મોલ ગ્રામ, વનકુંજ અને એક તળાવ ગોમટેશ્વર પ્રતિમા માટે દાન કર્યું હોવાનું જણાય છે. ગોમ્પટેશ્વર મંદિરની પશ્ચિમ બાજુએ આવેલા મંડપમાંના સ્તંભલેખ (શક ૧૬૨૧ - ઈ.સ. ૧૬૯૯)માં મૈસૂર નરેશ કૃષ્ણરાજ ઓડેયરે ગોમટેશ્વર ભગવાનનાં દર્શન કરીને બેલ્ગોલમાં જૈન ધર્મની પ્રભાવના માટે બેલ્મોલ સહિત કેટલાંક ગામો દાનમાં આપ્યાં હોવાનું જણાવ્યું છે. - વિંધ્યગિરિ પર અખંડબાગિલની શિલા પરના શક ૧૦૮૨(ઈ.સ. ૧૧૬૦)ના લેખ નં. ૧૧૫માં મરિયણે દંડનાથના લઘુ ભ્રાતા મહામંત્રી ભરતમપ્ય દંડનાયકે ભરત અને બાહુબલિ કેવલિની મૂર્તિઓ બનાવ્યાના, રંગશાલામાં કઠેરા અને મહાસોપાન કરાવ્યાંના અને ગંગવાડિભટમાં ૮૦ નવીન મંદિરો અને ૨૦૦ જેટલાં મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યાના ઉલ્લેખ છે.
અષ્ટદિક્યાલ મંડપમાં એક સ્તંભ ઉપરના શક ૧૭૪૮ (ઈ.સ. ૧૮૨૬)ના લેખ (નં. ૯૮)માં મૈસૂરનરેશ કૃષ્ણરાજ ઓડેયરના પ્રધાન અંગરક્ષકનું મૃત્યુ ગોમ્પટેશ્વરના મહામસ્તકાભિષેકના દિવસે થયું. આથી એના પુત્ર પટ્ટ દેવરાજ અરસુએ ગોમ્મટ સ્વામીની વાર્ષિક પાદપૂજા માટે એ તિથિએ
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org