________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૧૦૦ વરાહ છાપના સુવર્ણ–સિક્કાનું દાન કર્યું હોવાનો ઉલ્લેખ છે.
શ્રવણ બેલ્ગોલના આ લેખોનું મૂળ પ્રયોજન ધાર્મિક હતું. લગભગ સો જેટલા લેખ મુનિઓ, શ્રાવકો, શ્રાવિકાઓનાં સમાધિમરણના સ્મારક લેખ છે, એટલા જ લેખ મંદિર-નિર્માણ, મૂર્તિપ્રતિષ્ઠા, દાનશાલા,વાચનાલય, મંદિરોના દરવાજા, રંગશાળાઓ, તળાવો, કુંડો, ઉદ્યાનો વગેરેના જીર્ણોદ્ધારને લગતા છે. બીજા સોએક લેખ મંદિરોના નિભાવ માટેના ખર્ચ, પૂજા, અભિષેક, આહારદાન વગેરે માટે ગ્રામ, ભૂમિદાન વગેરેને લગતા છે. ૧૬૦ લેખો સંઘો અને યાત્રીઓની તીર્થયાત્રાના સ્મારકલેખો અને ૪૦ કોઈ આચાર્ય, શ્રાવક કે યોદ્ધાની સ્તુતિને લગતા છે.
ભંડારી મંદિરની પૂર્વ બાજુએ બીજા સ્તંભ પરના લેખ (નં. ૧૩૭–લગ. શકે ૧૦૮૦ - ઈ.સ. ૧૧૫૮)માં જણાવ્યા અનુસાર હોયસલવંશી નારસિંહ રાજાના મંત્રી હુલ્લરાજ દ્વારા ગુણચંદ્ર સિદ્ધાંતદેવના શિષ્ય નયકીર્તિ સિદ્ધાંતદેવને સવણેરુ ગ્રામ દાનમાં આપ્યાનો ઉલ્લેખ છે. હુલ્લરાજ વાજિવંશી યક્ષરાજ અને લોકામ્બિકેના પુત્ર હતા. એ મોટા જિનભક્ત હતા. રાચમલ્લ રાજાના મંત્રી (ચામુણ્ડરાય), વિષ્ણુ નરેશના મંત્રી ગંગણ (ગંગરાજ) અને નરસિંહદેવના મંત્રી હુલ્લ જૈન ધર્મના પોષક હતા. હુલ્લના ગુરુ કુક્કુટાસન મલધારિદેવ હતા. મંત્રી હુલ્લને જૈનમંદિરોનું નિર્માણ કરવામાં, જીર્ણોદ્ધાર કરવામાં, જૈનપુરાણ સંભળાવવામાં તથા જૈન સાધુઓને આહારાદિ દાન આપવામાં અત્યંત રુચિ હતી. એમણે બંકાપુરમાં પ્રાચીન બે મંદિરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો, કોપણમાં નિત્યદાન માટે વૃત્તિઓનો પ્રબંધ કર્યો, ગંગનરેશો દ્વારા સ્થાપિત પ્રાચીન કેહ્લગેરેમાં એક વિશાલ જિનમંદિર અને અન્ય મંદિરો બંધાવ્યાં અને બેલ્ગોલમાં કોટ, રંગશાળા અને બે આશ્રમો સહિત ૨૪ તીર્થંકર-મંદિર કરાવ્યાં.
તીર્થયાત્રાના ઉલ્લેખો
લગભગ ૧૬૦ લેખો તીર્થયાત્રાને લગતા છે. એમાંના ૧૦૭ દક્ષિણ ભારતના યાત્રીઓના અને ૫૩ ઉત્તર ભારતના તીર્થયાત્રીઓના છે. દક્ષિણ ભારતના યાત્રીઓના ૧૦૭માંથી ૫૪ લેખોમાં માત્ર યાત્રીઓના નામોલ્લેખ મળે છે. બાકીનામાં યાત્રીઓનાં બિરુદ અને નામ મળે છે. શ્રીધરન્, વીતરાશિ, ચાવુંડય્ય, કવિરત્ન, અકલંક પંડિત, અલસકુમાર મહામુનિ, માલવ અમાવર, સહદેવ મણિ, ચંદ્રકીર્તિ, નાગવર્મા, મારસિંગય્ય
Jain Education International.
૩૧૫
અને મલ્લિપેણ જેવા યાત્રિઓના નામોલ્લેખ-દેવ કે તીર્થવંદના કરી હોય તેવા મલ્લિષેણ ભટ્ટારકના શિષ્ય ચરેંગય્ય, અભયમંદિ પંડિતના શિષ્ય કોત્તપ્ય, શ્રી વર્મચન્દ્રગીતય્ય. નયનંદિવિમુક્તદેવના શિષ્ય મધુવષ્ય વગેરેનો નિર્દેશ છે.
ઉત્તર ભારતના યાત્રાલેખો મારવાડીમાં અને હિંદી ભાષામાં છે. એમાંના ૩૬ લેખોની લિપિ નાગરી છે. ૧૭ લેખો મહાજની લિપિમાં છે.નાગરી લેખોનો સમય શક ૧૪૦૦થી શક ૧૭૬૦ છે. મોટા ભાગના લેખ કાષ્ઠાસંઘના છે. કેટલાક યાત્રીઓ સાથે એમની વઘેરવાલ જાતિ અને ગોનાસા કે પીતલા ગોત્રનો નિર્દેશ છે. કેટલાક લેખોમાં યાત્રીઓનાં નિવાસસ્થાનનો નિર્દેશ છે. મહાજની લિપિના ૧૭ લેખોમાં આગરા, અવધ અને પંજાબના પ્રદેશોમાં વ્યાપારી મહાજનોમાં પ્રચલિત મુંડા ભાષાનો પ્રયોગ થયેલો છે. કેટલાક પંજાબના પહાડી પ્રદેશોમાં પ્રચલિત ટાકરી લિપિનો પ્રયોગ પણ જોવા મળે છે. ઘણા ખરા યાત્રીઓ અગ્રવાલ અને સરાવગી જાતિઓના છે. ગોયલ અને ગર્ગ ગોત્રોનાં નામ મળે છે.
જીર્ણોદ્વાર અને દાન
ગોમ્મટેશ્વર મંદિરની ડાબી બાજુના પાષાણલેખ (લગ. શક ૧૧૧૮-ઈ.સ. ૧૧૯૬)માં મહાપસાયિત વિજણના જમાઈ ચિક્ક મદુકણે મહામંડલાચાર્ય ચંદ્રપ્રભદેવ પાસેથી ગંગ સમુદ્રની થોડી જમીન ખરીદી લઈ અને ગોમ્મટેશની નિત્ય પૂજામાં વીસ પુષ્પમાલાઓ માટે અર્પણ કરી હોવાનો નિર્દેશ છે. નં. ૯૧ (લગ. શક ૧૧૦૦-ઈ.સ. ૧૧૭૮) અનુસાર બેલ્ગોલના ઝવેરીઓએ ગોમ્મટેશ અને પાર્શ્વદેવની પૂજામાં પુષ્પો માટે પ્રતિવર્ષ પોતાના માણેકો ઉપર વાર્ષિક ફાળો આપવાનો સંકલ્પ કર્યો. લેખ નં. ૯૪ (લગ. શકે ૧૧૯૭-ઈ.સ. ૧૨૭૫, ભાવ સંવત્સર)માં પ્રભાચંદ્ર ભટ્ટારક દેવના શિષ્ય બારકનૂરના મેધાવી સેટ્ટિની સ્મૃતિમાં ગોમ્મટદેવના અભિષેકાર્થ ૩ ‘માન’ (૬ શેર) દૂધ પ્રતિદિન ચઢાવવા માટે ૪ ગદ્યાણ (સુવર્ણનો સિક્કો)નું દાન કર્યું હોવાનું તથા નં. ૯૫ (લગ. શક ૧૧૯૭-ઈ.સ. ૧૨૭૫)ના લેખમાં ગોમ્મટદેવના નિત્યાભિષેક માટે સોમિ સેટ્ટિના પુત્ર હલસૂરનિવાસી કેત સેસટએ ૩ ‘માન’ દૂધ માટે ૩ ગદ્યાણનું દાન કર્યું હોવાનું જણાવ્યું છે, જેના વ્યાજમાંથી દૂધ લાવવાનું.
આમ શ્રાવણ બેલ્ગોલના જૈન શિલાલેખોમાંથી તે પ્રદેશના રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વિશે વેપુલ માહિતી પ્રાપ્ત થાય છે. રાજવંશો, ધર્મ, આચાર્યોની વંશાવલી, ગચ્છોની માહિતી,
For Private & Personal Use Only
www.jainelibrary.org