SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ કચ્છના અભિલેખો કચ્છમાં કંથકોટનું મહાવીર મંદિર વિ.સં. ૧૩૩૯ (ઈ.સ. ૧૨૮૨-૮૩)માં સારંગદેવના સમય દરમ્યાન બંધાવ્યું હોવાનો લેખ છે. કોઠારા શહેરમાં સં. ૧૯૧૮(ઈ.સ. ૧૮૬૨)માં શાંતિનાથનું દેરાસર બંધાયું ત્યારે મંદિર બંધાવનારે મુંબઈથી પોતાના ખર્ચે સંઘ કાઢેલો, તેમાં નવ ટંક મીઠાઈ જમાડેલી ને નાતમાં ઘરદીઠ કાંસાની ૨ થાળી, ૨ કોરી નાણું અને ૨..શેર સાકરની લહાણી કરેલી. એમાં કુલ ખર્ચ ૬ લાખ કોરી થયેલું. ભૂજની બૈરાજવાની વાવમાંથી મળેલી અને હાલ ભૂજ મ્યુઝિયમમાં સંગૃહીત શ્વેત આરસની જૈન બેસણી પર વિ.સં. ૧૩૦૦(ઈ.સ. ૧૨૪૩-૪૪)નો લેખ છે, જેમાં મુનિશ્રી સુવ્રતસ્વામીનું બિંબ કરાવ્યાનો ઉલ્લેખ છે. કંથકોટના મહાવીર મંદિરના મંડપના સ્તંભ પરના સં. ૧૩૪૦ (ઈ.સ. ૧૨૮૩૮૪)ના લેખમાં આમ્રદેવનાથના લાખુ અને સેહિક નામના બે પુત્રોએ મંડપ બંધાવ્યાના ઉલ્લેખ છે. ભદ્રેશ્વર મંદિરના સં. ૧૫૯૪ (ઈ.સ. ૧૫૩૭-૩૮)ના શિલાલેખમાં આનંદવિમલસૂરિના પ્રતિબોધથી શ્રી જામરાવળે ગાય ભૂમિ, સુવર્ણ, ઘોડાનું દાન કર્યું અને ભદ્રેશ્વરના જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાં એમ જણાવ્યું છે. આમ ગુજરાત-રાજસ્થાનના સાંસ્કૃતિક અને ધાર્મિક ઇતિહાસમાં અને જનજીવનમાં જૈન ધર્મનું અમૂલ્ય પ્રદાન રહ્યું છે. આ જૈન ધર્મનાં દેરાસરોમાંના શિલાલેખો, તક્તીલેખો તેમજ પ્રતિમાલેખો હજારોની સંખ્યામાં મળે છે. આ શિલાલેખોના અભ્યાસ દ્વારા જૈન સંસ્કૃતિ પરંપરામાં મહત્ત્વનું યોગદાન કરનાર મહાન આચાર્ય અને સૂરિઓ એમના ગચ્છો, શ્રાવકોની જ્ઞાતિઓ, કુળ, વંશ, ગોત્રો, પ્રાચીન સ્થળ નામોનાં અભિજ્ઞાનો, કાલગણના, તત્કાલીન ભાષા અને લિપિ, તેમાં થયેલાં પરિવર્તનો વગેરે વિશે વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે. દક્ષિણ ભારતમાં જૈન ધર્મ એક જૈનપરંપરા અનુસાર મૌર્યકાલમાં જૈન મુનિ ભદ્રબાહુએ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તને પ્રભાવિત કર્યા હતા અને તેઓ રાજ્યનો ત્યાગ કરી મુનિરાજ સાથે દક્ષિણ ગયા હતા. મૈસૂર પ્રાંતમાં શ્રવણ બેલ્ગોલમાં ચંદ્રગિરિ પર્વત પર ભદ્રબાહુએ તપસ્યા કરી હતી અને ચંદ્રગુપ્ત અંત સુધી તેમની સાથે રહ્યા Jain Education Intemational ૩૧૩ હતા. આમ મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં જૈન ધર્મનો દક્ષિણ ભારતમાં પ્રવેશ થયો મનાય છે. બૌદ્ધ આનુશ્રુતિક ગ્રંથ મહાવંશ અનુસાર બુદ્ધનિર્વાણ બાદ ૧૦૬ વર્ષ પછી શ્રીલંકામાં પાંડુકાભય રાજાએ રાજ્યાભિષેક પછી અનુરાધપુરની સ્થાપના કરી અને નિર્પ્રન્થ શ્રમણો માટે અનેક નિવાસસ્થાન બનાવ્યાં. ચંદ્રગુપ્તના પ્રપૌત્ર સંપ્રતિ, એક જૈનપરંપરા અનુસાર આચાર્ય સુહસ્તિના શિષ્ય હતા અને એમણે જૈન ધર્મનો સ્તૂપ, મંદિર વગેરે નિર્માણ કરી જૈન ધર્મનો પ્રસાર કર્યો. તમિળ પ્રદેશમાં પણ પ્રારંભિક સદીઓમાં જૈન ધર્મનો ઘણો પ્રસાર થયો હતો. દર્શનસાર' અનુસાર દ્રવિડ સંઘની સ્થાપના પૂજ્યપાદના શિષ્ય વજ્રનંદિ દ્વારા મદુરામાં ઈ.સ. ૪૭૦માં કરાઈ હતી. દક્ષિણ ભારતના કદમ્બ રાજવંશ, ગંગ રાજવંશ, રાષ્ટ્રકૂટ વંશ, ચાલુક્ય અને હોયસળ વંશના ઘણા રાજાઓ જૈન ધર્માનુયાયી હતા અને એમની સહાય સંરક્ષણથી જૈન મંદિરો અને ધાર્મિક સંસ્થાઓ દક્ષિણના પ્રદેશોમાં ખૂબ વિકાસ પામ્યાં હતાં. શ્રવણ બેલ્ગોલના જૈન શિલાલેખ શ્રવણ બેલ્ગોલ મૈસૂર રાજ્યના હાસન જિલ્લાના ચેન્નારાયપાટન તાલુકાના બે પહાડોની વચ્ચે આવેલું ગામ છે. એમાં ગામની દક્ષિણ બાજુએ આવેલ મોટો પર્વત દોડબેટ્ટ વિન્ધ્યગિરિ તરીકે પ્રસિદ્ધ છે, જેના ઉપર ગોટેશ્વરની વિશાળ મૂર્તિ સ્થાપેલી છે. આ ઉપરાંત કેટલાંક નાનાં જૈનમંદિરો આ પર્વત પર છે. ગામની ઉત્તરે ચિક્કબેટ્ટ નામે નાનો પર્વત ચંદ્રગિરિ નામથી પ્રસિદ્ધ છે. મૈસૂરનરેશ કૃષ્ણરાજ ઓડેયર ત્રીજાના એક સને ૧૮૩૦ના સનદલેખમાં જણાવ્યા અનુસાર શ્રવણબેલ્ગોલનાં મંદિરોની સંખ્યા ૩૨ છે, જેમાં વિંધ્યગિરિ પર ૮, ચંદ્રગિર પર ૧૬ અને બેલ્ગોલ ગામમાં ૮ મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરોમાંના ૧૪૪ લેખોનો સંગ્રહ ૧૮૮૯માં મૈસૂર પુરાતત્ત્વવિભાગના તત્કાલીન નિર્દેશક બી. લૂઈસે રોમન લિપિમાં પ્રકાશિત કર્યો. ૧૯૨૨માં આર. નરસિંહાચારજીએ બીજી આવૃત્તિ કન્નડ લિપિમાં બહાર પાડી, જેમાં દિગંબર જૈનોના ૫૦૦ જેટલા શિલાલેખોનો સમાવેશ કરેલો છે. ડૉ. હીરાલાલ જૈને આ શિલાલેખોનું પુનઃસંસ્કરણ અને સંપાદન કરીને લેખોનો પાઠ દેવનાગરીમાં રજૂ કર્યો. શ્રવણ બેલ્ગોલના જૈન શિલાલેખોમાં ઘણા રાજવંશોના નિર્દેશ આવે છે. ગંગ રાજાઓનો જૈન સાથે ઘનિષ્ઠ સંબંધ હતો. ચંદ્રગિરિ પર પાર્શ્વનાથના મંદિરમાં એક સ્તંભલેખ (નં. ૫૪)માં For Private & Personal Use Only www.jainelibrarv.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy